અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનારા તમામને કોર્ટે જામીન પર મુક્ત કર્યા

અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્વનું છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા.

-> અલ્લુ અર્જુનના ઘરે જોરદાર હંગામો થયો :- અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.

-> 1 કરોડના વળતરની માંગણી કરી રહ્યા હતા :- રિપોર્ટ અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ અભિનેતાના ઘરની અંદર ટામેટાં ફેંક્યા અને બહારના વાસણો તોડી નાખ્યા. કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે હુમલાની પણ માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં માર્યા ગયેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યા હતા.

-> શું છે મામલો? :- 4 ડિસેમ્બર, 2024ના રોજ, અલ્લુ અર્જુન પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે તેની ટીમ સાથે સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.. આ દરમિયાન અર્જુનને જોવા માટે લોકો પણ એકઠા થઈ ગયા હતા. અર્જુન અંદર મૂવી જોઈ રહ્યા હતા ત્યારે બહાર ભાગદોડ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી ઘણા લોકો અલ્લુ અર્જુનનો વિરોધ કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અલ્લુ અર્જુન હાલમાં જામીન પર બહાર છે.

Related Posts

Surat : સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

surat સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. શહેરના એક ફાર્મ હાઉસમાં કથિત રીતે ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં 8 યુવતી અને 14 યુવકો સહિત કુલ 22 લોકોને ઝડપી લેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી બાદ ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું અને ત્યાં કઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ફાર્મ હાઉસમાં પાર્ટીની બાતમી પ્રાથમિક માહિતી મુજબ, પોલીસને સુરતના એક ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોવાની માહિતી મળી હતી. આ સ્થળે કથિત રીતે દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. માહિતીની ખરાઈ કર્યા બાદ પોલીસ ટીમ ફાર્મ…

PM નરેન્દ્ર મોદીએ 1 કરોડ યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ, AI તાલીમની જાહેરાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં 1 કરોડ યુવાનોને આગામી એક વર્ષમાં AI તાલીમ આપવાની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ આગામી એક વર્ષ દરમિયાન 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગની વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરી હતી. આ જાહેરાતને ભારતના યુવાનોને ભવિષ્યની ટેક્નોલોજી અને રોજગારની બદલાતી જરૂરિયાતો માટે તૈયાર કરવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. AIના વધતા ઉપયોગ વચ્ચે નવી ટેક્નિકલ કુશળતા ધરાવતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *