વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો પર્દાફાશ, જાણો પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું
ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલુ છે. આ દરમિયાન, વિદેશ મંત્રાલય અને સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષિત હુમલાના જવાબમાં, પાકિસ્તાને 7-8 મેની રાત્રે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કેટલાક સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાઓને ભારતીય વાયુ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. અમને મળેલો કાટમાળ પાકિસ્તાની હુમલાના પુરાવા છે. વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા નથી. જ્યારે પાકિસ્તાને 7-8 મેના રોજ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લક્ષ્યો પર ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને હવાઈ ડિફેન્સ સિસ્ટમ…







