BJP નેતાએ જાતિ આધારિત જનગણનાને લઈ કર્યું ધગધગતું ટ્વીટ, કર્ણનો કર્યો ઉલ્લેખ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીની ગુડબૂકમાં સ્થાન ધરાવતા જાણીતા સામાજિક ચિંતક ડૉ. ભરત કાનાબારે જાતિ આધારિત જનગણનાને લઈ એક મહત્વનનું ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સમાજમાં ચાલતા જાતિવાદના વિરોધમાં કડક શબ્દોમાં પ્રહારો કર્યો છે. ટ્વીટમાં ડૉ. ભરત કાનાબારે મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણનું એક પ્રસંગ ટાંક્યો છે. તેમણે કહ્યું, જાતિ ! હાય રે જાતિ ! કર્ણ કયા હદય ક્ષોભસે ડોલા, કુપિત સુર્યકી ઓર દેખ વાહ વીર ક્રોધ સે બોલા. “જાતિ- જાતિ રતટે, જિનકી પૂંજી કેવલ પાષંડ , મે ક્યાં જાનું જાતિ? જાતિ હૈ મેરે ભુજદંડ ઉપર સીર પર કનક-છત્ર, ભીતર કાલે કે કાલે, શર્માટે નહીં જગતમે જાતિ પૂછનેવાલે. આ પણ વાંચો: Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ ડૉ. ભરત કાનાબાર અનેક…

AAPના નેતા મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વધી મુશ્કેલી, ACBએ નોંધ્યો કેસ; જાણો શું છે મામલો

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ સરકારી શાળાઓમાં વર્ગખંડોના બાંધકામ સંબંધિત કથિત ભ્રષ્ટાચાર કૌભાંડ સાથે સંબંધિત કેસ નોંધ્યો છે. જેમાં અંદાજે 2000 કરોડનું કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના ભૂતપૂર્વ મંત્રી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન સામે ACB એ કેસ નોંધ્યો છે. દિલ્હીમાં AAP સરકારના કાર્યકાળ દરમિયાન 12,748 વર્ગખંડો અને સંબંધિત ઇમારતોના બાંધકામ સાથે સંબંધિત આ કેસ છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-A હેઠળ સક્ષમ અધિકારી પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ ACB એ કેસ નોંધ્યો. એજન્સીએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટમાં નોંધપાત્ર અનિયમિતતાઓ અને ખર્ચમાં વધારો જોવા મળ્યો હતો.…

પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…

વિસાવદરની પેટા ચૂંટણીમાં જામશે ચાર પાંખિયો જંગ ! શંકરસિંહ વાઘેલાએ શરૂ કરી તૈયારી

ગુજરાતમાં કડી અને વિસાવદરની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસે આપ સાથે ગઠબંધન વગર લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલા પણ વિસાવદર પર ફોકસ વધારી રહ્યા છે. વિસાવદરની પેટા ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ હવે શંકરસિંહ વાઘેલાની પ્રજા ડેમોક્રેટિક પાર્ટીએ પણ તૈયરીઑ શરૂ કરી દીધી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે વિસાવદરના કાર્યકર્તાઑને સંબોધન કરશે અને પેટા ચૂંટણીની તૈયારીઑ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન તૂટયું લોકસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જોવા મળ્યું હતું. પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી…

રાજ્યમાં વધુ એક લેટર કાંડ ! હવે આ ધારાસભ્ય વિરુદ્ધ નનામી લેટર થયો વાયરલ

રાજ્યમાં ભાજપમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. આ દરમિયાન હવે અમરેલી બાદ હવે ધોરાજી-ઉપલેટાનાં MLA મહેન્દ્ર પાડલિયા વિરૂદ્ધ એક નનામી લેટર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, ધારાસભ્ય પાલડિયાએ આરોપોને ફગાવ્યા છે. હજુ અમરેલી લેટર કાંડ સતત ચર્ચામાં છે ત્યારે હવે રાજકોટ જિલ્લામાં પણ હવે નનામી પત્રથી ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યાં છે. નનામી પત્રો વાયરલ કરી કૌભાંડોની પોલ ખોલવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના ધોરાજી-ઉપલેટાના MLA મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્ર વાયરલ થયો છે જેમાં તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકાયા છે. પત્રમાં તેઓ 2000 કે 3000 જેવી રકમની ઉઘરાણી કરતા હોય તેમ આક્ષેપો કરવામાં આવ્યાં છે. આ સાથે નનામી પત્રમાં ધારાસભ્ય…

Amreli: દામનગર પાલિકા ઉપપ્રમુખના પતિને જિલ્લા ભાજપ અધ્યક્ષે 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ, જાણો શું છે કારણ

દામનગર નગર પાલિકાની મહિલા ઉપપ્રમુખ ભાવનાબેન દલોલીયાના પતિ અતુલ દલોલીયા વિવાદાસ્પદ વર્તનના કારણે ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ આ અંગે પગલું ભરતાં તેમને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. અતુલ દલોલીયા પર આરોપ છે કે તેમણે દામનગરમાં કેટલાક નિર્દોષ લોકોને માર મારી ભયનો માહોલ ઊભો કર્યો હતો. ઘટના બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થતાં તેઓ હાલમાં ફરાર છે. અગાઉ પણ આવી ચૂક્યા છે વિવાદમાં દામનગર નગર પાલિકાના ઉપપ્રમુખના પતિ અતુલ દલોલીયા પહેલાથીજ વિવાદોમાં રહ્યા છે. દારૂના સેવન સાથેના વીડિયો વાયરલ થયા હતા તેમજ પોલીસ મથક બહાર રોફ છાંટતા વાયરલ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. વારંવાર થતા આવા કૃત્યોને પગલે હવે ભાજપે ગંભીર પગલું…

ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…

ગુજરાત માટે રાહુલ ગાંધીએ તૈયાર કર્યો માસ્ટર પ્લાન, ભાજપ માટે ઘડી આ રણનીતિ

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન ગુજરાતમાં ભાજપને ચેલેન્જ આપ્યા બાદ હવે ગુજરાત માટે તે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતના મોડાસામાં જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસ પક્ષ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જિલ્લા કાર્યકર્તા સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ ફક્ત રાજકીય લડાઈ નથી પણ વિચારધારાની લડાઈ પણ છે. દેશમાં ફક્ત બે જ વૈચારિક પક્ષો છે, એક ભાજપ અને બીજો કોંગ્રેસ. આખો દેશ જાણે છે કે ફક્ત કોંગ્રેસ પક્ષ જ ભાજપ અને આરએસએસને હરાવી શકે છે. જો આપણે દેશમાં ભાજપ અને આરએસએસને હરાવવા હોય, તો રસ્તો ગુજરાતમાંથી પસાર થાય છે.” રાહુલ ગાંધીએ કહ્યું ગુજરાત પ્રોજેક્ટ રાહુલ ગાંધીએ…

ઠાકરશી રબારીની અટકાયતને લઈ ગરમાયુ રાજકારણ, યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની અટકાયત થતાં ખળભળાટ મચ્યો છે. રાજસ્થાન પોલીસે અફિણ કેસમાં થરાદ ખાતેની રબારી સમાજની હોસ્ટેલમાંથી તેમની અટકાયત કરી હતી. જેને લઈને યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. રાજસ્થાન પોલીસે ત્રણ કિલોગ્રામ અફિણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરશી રબારીની ધરપકડ કરી હતી. આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બનાસકાંઠા કોંગ્રેસના નેતા ઠાકરશી રબારીને રાજસ્થાનની સ્વરૂપગંજ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન રાજસ્થાનમાં અફિણ મામલે કોંગ્રેસના નેતાની ધરપકડ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યુ છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન મુદ્દે કર્યા પ્રહાર કરતાં કહ્યું છે કે, ગુજરાત…

આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો, જણાવ્યું આ કારણ

ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. 1 વર્ષ પહેલા એકટલે વર્ષ 2024માં ભાજપ સાથે જોડાયા બાદ હવે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આ સાથે તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે. કોઈનું સંભાળતા નથી. ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહેશ વસાવાએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, વિચારધારાના કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપમાં અહંકાર છે કોઈનું સાંભળતા નથી. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. છોટુ વસાવા થયા હતા નારાજ છોટુભાઈ વસાવા તેમના પુત્રના ભાજપમાં જવાના નિર્ણયથી નારાજ થયા હતા. તેમણે જારી કરેલા એક વીડિયો નિવેદનમાં ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપે…