ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું છે.

જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને તે સરકાર અને સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદીની ગૂડબૂકમાં પણ નામ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અ સાથે જ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.

જગદીશ વિશ્વકર્માના જો વ્યવસાયની વાત કારવમાં આવે તો તે ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યોમાંથી એક છે. આ સાથે જ નિકોલ મતવિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે. અને હાલમાં તેમની પાસે કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મહત્વપૂર્ણ હવાલાઓ છે.

જગદીશ વિશ્વકર્મા ડાઉન ટુ અર્થ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1998માં થઈ હતી. જગદીશ વિશ્વકર્માએ બુથ ઇન્ચાર્જ તરીકે રાજકારણમાં પ્રથમ ડગલું માંડ્યું હતું, અને ત્યાર બાદ ભાજપમાં વિવિધ મહત્વપૂર્ણ પદો પર કાર્યરત રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા ઉદ્યોગ સેલના સંયોજક અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *