હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે કડક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા કામગીરીનો અહેવાલ મુકવામાં આવ્યા બાદ રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. આ બાબતે હવે કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે. અમદાવાદમાં હવે જો તમે રોંગ…
ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો
ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો
ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી…
Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ…
ઓરંગજેબ પર નાગપુરમાં મચ્યું તોફાન, પથ્થરમારો, તોડફોડ અને આગચંપીની ઘટના
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર થયેલા હોબાળા બાદ, સોમવારે સાંજે નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન, તોફાનીઓએ ઘણા વાહનોને આગ ચાંપી દીધી. તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું. પથ્થરમારામાં ડીસીપી સહિત ઘણા પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, વહીવટીતંત્રે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુ લાદ્યો છે અને વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. આ કેસમાં પોલીસે 40 બદમાશોની અટકાયત કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ મધ્ય નાગપુરના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પીટીઆઈ અનુસાર, એક અફવા ફેલાઈ હતી કે ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે વીએચપી-બજરંગ દળ દ્વારા કરવામાં આવેલા આંદોલન દરમિયાન મુસ્લિમ…
gandhinagar : રાજય પોલીસ વડાએ કમિશનર સાથે વીડિયો-કોન્ફરન્સ યોજી, સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર કરાઈ ચર્ચા
હોળી-ધૂળેટીનાં તહેવારને લઈને પોલીસે એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક સાથે એક વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ…
સૂર્યવંશમ’ અભિનેત્રી સૌંદર્યાની હત્યા: 22 વર્ષ પછી, અભિનેતા મોહનબાબુ પર હત્યાનો આરોપ; વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા
અમિતાભ બચ્ચનની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘સૂર્યવંશમ’માં ‘રાધા’ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુનો ખુલાસો 22 વર્ષ પછી થયો છે. આ અભિનેત્રીનું 2004 માં વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હવે, 22 વર્ષ પછી, દક્ષિણના પીઢ અભિનેતા મોહનબાબુ પર અભિનેત્રીની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અભિનેતા વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશમાં એક વ્યક્તિએ અભિનેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં સૌંદર્યાના મૃત્યુ માટે મોહનબાબુને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સૌંદર્યાનું મૃત્યુ અકસ્માત નહોતું પણ એક હત્યા હતી જેમાં મોહન બાબુ સંડોવાયેલા હતા. તમને જણાવી દઈએ કે કન્નડ અભિનેત્રી સૌંદર્યાનું 17 એપ્રિલ 2004ના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. આ અકસ્માતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડીનું પણ મૃત્યુ થયું હતું. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફરિયાદીનો…
અમાનતુલ્લાહ ખાનની મુસીબત વધી શકે છે, અનેક ધારાઓ હેઠળ ગુનાઓ નોંધ્યા, ઘણી કલમો બિનજામીનપાત્ર
અમાનતુલ્લાહ ખાનની ધરપકડ માટે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોલીસ અમાનતુલ્લાહ ખાનના નજીકના લોકોની પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. -> અનેક ટીમો AAP ધારાસભ્યને શોધી રહી છે :- દિલ્હી પોલીસની ઘણી ટીમો અમાનતુલ્લાહ ખાનને શોધી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, પોલીસે અમાનતુલ્લાહ ખાન પર રમખાણો સંબંધિત BNS કલમ પણ લગાવી છે. અમાનતુલ્લાહ પર ભીડ ભેગી કરવાનો અને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે. AAP ધારાસભ્ય પર BNS ની કલમ 191(2) પણ લાગુ કરવામાં આવી છે. વધુમાં, કલમ 190 પણ લાગુ કરવામાં આવી છે. જેનો અર્થ એ થયો કે જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર…
‘ચોરે ઘરમાંથી કંઈ ચોર્યું નથી’: સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરે હુમલા કેસમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું
૧૬ જાન્યુઆરીની વહેલી સવારે, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર એક ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો જે તેમના ઘરમાં ઘૂસ્યો. આ કેસના મુખ્ય આરોપીની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 35 ટીમો આરોપીઓને પકડવામાં રોકાયેલી છે. દરમિયાન, અભિનેતાની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. સમાચાર એજન્સી અનુસાર, શુક્રવારે સાંજે પોલીસ અધિકારીઓની હાજરીમાં અભિનેત્રીના નિવાસસ્થાને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. હુમલાના સંદર્ભમાં અત્યાર સુધીમાં 30 થી વધુ નિવેદનો નોંધવામાં આવ્યા છે. મુંબઈ પોલીસે તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની 10 ટીમો સાથે 20 ટીમો બનાવી છે. બાંદ્રા વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ જપ્ત કરવામાં આવ્યા છે અને ત્રણ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, આ ઘટનાના સંદર્ભમાં હજુ સુધી કોઈ ધરપકડ…
ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. –> ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે:…
















