ગુજરાત પોલીસની નવી પહેલ: રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે લેવાયો ખાસ નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની મહિલાઓબાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’. ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકોમહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે.

 

State Monitoring Cell (SMC ...

 

–> ‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય :–

 

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે ગુજરાત પોલીસની નવી પહેલ - Revoi.in

 

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.

 

–> વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ‘સાંત્વના કેન્દ્ર’માં ઉપલબ્ધ બનશે:–

 

Telangana has no money for women's safety?

 

“સાંત્વના કેન્દ્ર”માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં “સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

 

Protection of women and children in India

 

–>પોલીસ સ્ટેશનોમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે “સાંત્વના કેન્દ્ર”માં ઉપલબ્ધ બનશે:–

 

24×7 Helpline '181 Abhyam': Gujarat's Initiative for Women Safety | The  Protector

 

• વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરતી હોય છે.
• ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે.
• ૧૮૧-અભયમ: ૧૮૧-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.
• PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર): PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

 

–>‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો:-

 

Gujrat police kaise bane? जाने पूरी जानकारी Qualification, Job, salary

• પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા.
• તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું.
• જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરવું.
• પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરીત પુર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી.

 

આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાશ્રીએ સુચનાઓ આપી છે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નરશ્રી તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકશ્રીએ તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે તો આ ૪ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેમ હતા. ઘટનાની જાણ થતાં જ ડોલવણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પી. આઈ. કે.ડી. શર્મા પોતાની ટીમ સાથે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા. સ્થિતિ અત્યંત ગંભીર હતી અને પાણીનું સ્તર છાતીસમા ઊંડાણ સુધી પહોંચી ગયું હતું. જોકે, આવી પરિસ્થિતિમાં પણ ક્ષણનોય વિલંબ કર્યા વગર, પોતાની સુરક્ષા કે જીવની સહેજ પણ પરવા કર્યા વિના પી. આઈ. કે.ડી. શર્મા અને તેમની ટીમે પાણીમાં ઝંપલાવ્યું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનની ગંભીરતાને ધ્યાને રાખી તાપીના નાયબ પોલીસ અધીક્ષક (DYSP) પી. જી. નરવાડે જાતે જ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે સ્થળ પર રહીને સમગ્ર ઓપરેશનનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને પોલીસ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉચ્ચ અધિકારીની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને યોગ્ય આયોજનને કારણે પોલીસ ટીમે સમયસૂચકતા વાપરીને અત્યંત સાહસપૂર્વક ચારેય નાગરિકોને સુક્ષમ રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા. ખાખી વર્દી પાછળ છુપાયેલી અસલ માનવતા સામાન્ય રીતે પોલીસની છબી કડક કે શિસ્તબદ્ધ અધિકારી તરીકેની હોય છે, પરંતુ જ્યારે પણ નાગરિક મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આ ખાખી વર્દી જ તેમની ઢાલ બનીને ઊભી રહે છે. ‘સેવા, સુરક્ષા અને શાંતિ’નું સુત્ર માત્ર કાગળ પર કે બોર્ડ પર લખવા પૂરતું નથી, પરંતુ તેને વર્તનમાં કેવી રીતે ઉતારવું તે ડોલવણ પોલીસે આ કામગીરી દ્વારા સાબિત કરી બતાવ્યું છે. પૂર જેવા મોત સમાન ભયની વચ્ચે ઊભા રહીને ૪ જીંદગીઓને નવજીવન આપવું એ કોઈ સામાન્ય કામ નથી, પરંતુ એક અદ્ભુત અને પ્રેરણાદાયી સાહસ છે. સમગ્ર પંથકમાંખાખીની બહાદુરીના વખાણ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સ્થાનિક ગ્રામજનો અને તાપી જિલ્લાના નાગરિકો દ્વારા ડોલવણ પોલીસ તેમજ સમગ્ર તાપી પોલીસ વિભાગ પર પ્રશંસાની વર્ષા થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયાથી લઈને પ્રત્યક્ષ રીતે પણ પોલીસની આ ઉત્કૃષ્ટ અને સાહસિક કામગીરીને બિરદાવી રહ્યા છે. ભયાનક પૂર વચ્ચે પોતાની ફરજને સર્વોપરી ગણીને લોકોના પ્રાણ બચાવનાર ડોલવણ પોલીસની આ બહાદુરી ખરેખર સલામને પાત્ર છે. અહેવાલ: ગૌતમ ગુલાલે (તાપી)   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક સંબંધિત રજૂઆતોની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી માટે અહેવાલ રજૂ કરવાની પણ છે. સાથે જ વિભાગ વિવિધ ખાતાઓની કાર્યપદ્ધતિની સમીક્ષા કરીને પારદર્શિતા અને ગુણવત્તા સુધારવા માટે પણ કામગીરી કરે છે. લેખિત અથવા ઈ-મેઇલથી પણ કરી શકાય રજૂઆત નાગરિકો પોતાની લેખિત ફરિયાદ વિજિલન્સ ખાતું, પહેલો માળ, C-બ્લોક, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ – 380001 ખાતે જમા કરાવી શકે છે. ઉપરાંત vigilance@ahmedabadcity.gov.in પર ઈ-મેઇલ દ્વારા પણ ફરિયાદ અથવા રજૂઆત મોકલી શકાય છે. દસ્તાવેજી પુરાવા તપાસને વધુ અસરકારક બનાવે છે ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજો, ફોટોગ્રાફ, વીડિયો અથવા અન્ય આધારભૂત માહિતી રજૂ કરવામાં આવે તો તપાસ વધુ અસરકારક બની શકે છે. અંતિમ નિર્ણય તપાસમાં સામે આવેલા તથ્યો અને સક્ષમ સત્તાના નિર્ણય પર આધારિત રહે છે. ઉચ્ચ અધિકારીનો દાવો: વિજિલન્સ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે, “વિભાગને મળતી દરેક રજૂઆતને ગંભીરતાથી લેવામાં આવે છે. પ્રાથમિક ચકાસણી બાદ તથ્યોના આધારે તપાસ કરવામાં આવે છે અને જ્યાં જરૂરી હોય ત્યાં સક્ષમ સત્તાને નિયમ મુજબ કાર્યવાહી માટે અહેવાલ મોકલવામાં આવે છે. કોઈપણ ફરિયાદ માત્ર કાગળ સુધી મર્યાદિત ન રહે, તે માટે પ્રક્રિયાત્મક દેખરેખ રાખવામાં આવે છે.”   Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r… WEBSITE : https://bindia.co/ INSTAGRAM : https:// bindia.in FACEBOOK : https://www.facebook.com/buletinindialive  X : https://x.com/bindia276  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *