રાધનપુરમાં Police પર હુમલો: PSI ચૌધરી સહિત પોલીસકર્મીઓ ઘાયલ, 25 સામે ફરિયાદ Aggressive Assault

રાધનપુરના સીનાડ ગામે Police ટીમ પર હુમલો: PSI ચૌધરી સહિત પોલીસકર્મીઓ ઘાયલ, 25 સામે ફરિયાદ કિંજલ રબારી વિવાદના પ્રત્યાઘાત વચ્ચે તંગદિલી: લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શનાર્થીઓને અટકાવતાં ટોળાને સમજાવવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો; લોખંડની ખુરશી વડે PSI પર હુમલાનો આક્ષેપ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં કિંજલ રબારી વિવાદના પ્રત્યાઘાત વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો છે. લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહેલા કેટલાક દર્શનાર્થીઓને અટકાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા પહોંચેલી પોલીસ ટીમ પર જ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં PSI એચ.વી. ચૌધરી સહિત કેટલાક પોલીસકર્મીઓને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીનાડ ગામે પોલીસ પર હુમલાની ઘટના, 25થી વધુ સામે…