Radhanpur : રાધનપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મ, નરાધમે ગર્ભવતી બનાવતા ચકચાર મચી
રાધનપુર પંથકમાં વધુ એક સગીરા હવાસનો ભોગ બની છે. રાધનપુર પંથકમાં છેલ્લા ઘણા સમયથી અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યાં 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવવામાં આવી છે. જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાધનપુરના એક ગામે વાડી વિસ્તારમાં રહેતી સગીરાએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ ઠાકોર અશોકભાઈ ભલાભાઇ મારી વાડી વિસ્તારની બાજુના ખેતરના ઘરમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર મારા ઘરની આગળથી નીકળતા હતા. જેના કારણે મારે તેમની સાથે પરિચય થયેલ અને થોડા દિવસ પછી અમારા ખેતર નજીક આવેલી કેનાલ પાસે ઘાસ વાઢતી હતી.…
surat : સુરતમાં વડાપ્રધાન મોદીનાં આગમનને લઈને તૈયારી શરુ, પોલીસે જાહેરનામું બહાર પાડ્યું
સુરતમાં વડાપ્રધાન મોદીનાં પ્રવાસને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદી આગામી તારીખ 7 માર્ચના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન મોદી સાથે અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. વડાપ્રધાન મોદી અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પણ વાંચો :- gandhinagar : સરકારી નોકરી આપતા ઉમેદવારો રાખે ખાસ ધ્યાન, GPSC એ વર્ગ 1 અને વર્ગ 2ની ભરતીને લઈને નવા નિયમો જાહેર સુરત પોલીસનું જાહેરનામું :- વડાપ્રધાન મોદીની સુરત મુલાકાતને લઈને સુરત પોલીસના જાહેરનામાં અનુસાર, સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા…
Vadodara: વડોદરામાં 12 સાયન્સના વિદ્યાર્થીનો આપઘાત, પરિવારજનોમાં છવાયો શોકનો માહોલ
વડોદરા શહેરમાં ધોરણ 12ની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાર્થીએ મોડી રાત સુધી વાંચ્યા બાદ પરીક્ષાના તણાવથી સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે. 12 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ સાયન્સ વિદ્યાર્થીનો આપઘાત :- હરણી વિસ્તારમાં વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો સામે આવતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીનું નામ દેવ પાટીલ હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીના આપઘાતની તપાસ કરતા પોલીસે પરિવારના નિવેદન લીધા છે. પરિવારના લોકોએ જણાવ્યું કે, દેવ મોડી રાત સુધી વાંચતો હતો. 17 વર્ષીય દેવ 12 સાયન્સમાં અભ્યાસ કરે…
Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી…
Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ
ગુજરાતમાં એક પછી એક યુવાનોના હૃદય બંધ પડી રહ્યા છે. ત્યારે આજે પણ વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. આજકાલ લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે. તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. અમદાવાદના વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પરમાર ગોમતીપુર પોલીસ ખાતે સોમવારે વહેલી સવારે પરેડમાં હતા. આ દરમિયાન અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો. અને હોસ્પિટલમાં ખસેડવામાં…
સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક
સુરતમાં ફરી એક યુવકે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર,અઠવાલાઈનના ગોપીપુરામાં ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરતા લોકો જોઈ ગયા અને આરોપી ઉવેશ શેખને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો,નરધમની હરકત જોઈ બાળકીઓએ બુમાબુમ કરી હતી. તો અઠવા લાઈન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં ગોપીપુરામાં બાળકીઓ રમતી હતી તે દરમિયાન અચાનક વિકૃત અચાનક ત્યાં આવી પહોંચ્યો હતો. અને બાળકીઓ સાથે ખરાબ હરકત કરવા લાગ્યો હતો. તેને જોઈને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકીઓ ભોગ બને તે પહેલા તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. આ પણ વાંચો :-…
દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે…
અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ
અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. શિક્ષક વિદ્યાર્થિની પર છેલ્લા 8 દિવસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. તો સમગ્ર મામલે બાળકીઓએ માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. -> શાળામાં આચર્યુ દુષ્કર્મ :- આ ઘટનાં અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કૂલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય…
અમદાવાદમાં મહિલાને થયો કડવો અનુભવ, હોટલનાં માલિકે મહિલાને વોશરૂમ ન જવા દેતા મામલો બિચક્યો
અમદાવાદમાં મહિલાને કડવો અનુભવ થયો છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીરિયડ્સ દરમિયાન મહિલાને વોશરૂમ જવું હતું. પરંતુ હોટલના માલિકે તેને વોશરૂમનો ઉપયોગ કરવા દેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ મહિલા થોડા દિવસ પહેલા યુનિવર્સિટી પાસેથી પસાર થતી હતી મહિલા પીરિયડ્સમાં હોવાથી વોશરૂમ જવું હતું. હોટેલ લુત્ફ નજીક હોવાથી મહિલા ત્યાં પહોંચી. પરંતુ મહિલાને હોટેલ માલિકે તેના વોશરૂમનો ઉપયોગ કરવા માટે ના પાડી દીધી. મહિલાને કડવો અનુભવ થયો હતો. હોટલ માલિકે ના પાડી અને અંતે મહિલાએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં અરજી કરી હતી. તો બીજી તરફ હોટેલ માલિક હરપ્રભ સીંગે જણાવ્યું હતું કે, મહિલાને વોશરૂમ ઉપયોગ કરવાનની મનાઈ નથી કરવામાં આવી. મહિલાએ દિવસે એક યુવક સાથે આવી હતી.…
દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ, પોલીસ થઇ દોડતી
દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ થઈ છે. શિવ મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતાં લોકોની લાગણી દુભાઈ છે. શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવાયું છે. જ્યાં દરિયા કિનારેથી શિવલિંગનો અડધો ભાગ મળી આવ્યો છે. દરિયાકિનારે શિવલિંગ વગરનો ભાગ પડ્યો હતો. જો કે, પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, અત્યાર સુધી આ મામલે કંઈ વિસ્તૃત વિગતો સામે આવી નથી કે, આવું કૃત્યુ કોણે કર્યું છે. જો કે, લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, દોઢ વર્ષ પૂર્વે દરિયા કિનારાના ગેર કાયદેસર દબાણો દૂર કરાયા હતા. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ…
















