રાજ્યમાં બે ગંભીર અકસ્માત, 4ના મોત, 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત

ગુજરાતમાં દિનપ્રતિદિન અકસ્માતમાં મોત થવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. પોરબંદર નજીક યાત્રાળુઓને અકસ્માત નડ્યો જ્યારે અન્ય દાદરા નગર હવેલીમાં અકસ્માતની ઘટના બની હતી. બંને અકસ્માતની ઘટનામાં કૂલ 4 લોકોના મોત નિપજ્યા જ્યારે 12 લોકોને ગંભીર ઇજા પંહોચી છે. -> દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માત :- દ્વારકા-સોમનાથ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. પોરબંદર નજીક કુછડી ગામ પાસે મીની બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો. મીની બસમાં 19 જેટલા મુસાફરો સવાર હતા. બસમાં કર્ણાટકનો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. કર્ણાટકનો પરિવાર સોમનાથથી દ્વારકા જતા હતા. ત્યારે અકસ્માત ઘટનાનો ભોગ બન્યા. કછુડી ગામ પાસે મીની બસની ટ્રક સાથે જોરદાર ટક્કર થતાં કર્ણાટક પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળ પર જ મોત નિપજયા. જ્યારે અન્ય 12 યાત્રાળુઓને ગંભીર ઇજાને…

વડોદરામાં સોશિયલ મીડિયાનો ઉપયોગથી પરિણીતાને ધમકી, પરિવારજનોમાં રોષનો માહોલ

વડોદરા શહેરમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીના કારસ્તાનથી પરિણીતા અને તેના પરિવારને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણીત મહિલાના પ્રેમમાં પાગલ યુવાન તેજસ પટણીએ મહિલાના ઘરે જઈ તેને ધમકાવી. પાગલ યુવાને મહિલાને ધમકાવતા કહ્યું કે, મારી જોડે સંબંધ નહીં રાખે તો મજા નહીં આવે. યુવાને પાગલપનની હદ વટાવતા સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણીત મહિલાના ઘરનું સરનામું મેળવ્યું અને મહિલાના ઘરે પંહોચી ગયો. તેજસ પટણી નામનો યુવક પરિણીત મહિલાના ઘરે પંહોચતા તેના પતિએ યુવાનની ધોલાઈ કરી હતી. -> પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી :- વારંવાર હેરાનગતિ કરતાં એક મહિના અગાઉ જ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ યુવક દ્વારા પરિણીત મહિલા પર હુમલો કરે તેવી પણ આશંકા છે. પરંતુ પોલીસે આ મામલાને વધુ ગંભીરતાથી ના લેતા…

રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે. દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે. -> આરોપીઓ ફરાર થયાં :- ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને…