Patan News 2026: કિંજલ રબારી અપહરણના હાઈડ્રામાનો વળતો પ્રહાર Tension and Escalation

કિંજલ રબારી અપહરણ વિવાદ વચ્ચે સીનાડ ગામે પોલીસ પર ટોળાનો હુમલો, PSI સહિત પોલીસકર્મીઓ ઘાયલ Patan 50થી વધુ લોકોના ટોળાએ પોલીસને ઘેરી હુમલો કર્યો; મંદિર દર્શનના મુદ્દે વિવાદ બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત Patan: ગુજરાતી સિંગર કિંજલ રબારી સાથે જોડાયેલા અપહરણના વિવાદ વચ્ચે રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં પોલીસ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ગામમાં અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં સોમવારે અગિયારસના દિવસે લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. મામલો ઉગ્ર બનતાં 50થી 60 જેટલા લોકોના ટોળાએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Patan આ હુમલાની ઘટનામાં રાધનપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી. ચૌધરી સહિત અન્ય…