નાઇજીરીયામાં મોટો આતંકી હુમલો, આતંકવાદીઓએ બે વાહનોમાં કર્યા વિસ્ફોટ

ભારત સહિત વિશ્વભરના ઘણા દેશો સતત આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છે. આ આતંકવાદી હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામતા રહે છે. ભારતના જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારે હવે આફ્રિકન દેશ નાઇજીરીયામાં પણ એક મોટો આતંકવાદી હુમલો થયો છે. આતંકવાદીઓએ બે બોમ્બ વિસ્ફોટ કર્યા છે જેમાં 20થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. ભયાનક આતંકવાદી હુમલો સોમવારે નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય બોર્નો રાજ્યમાં થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ બે વાહનોમાં વિસ્ફોટ કર્યા હતા. વિદેશી નાગરિકોને સુરક્ષા પૂરી પાડતી આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાએ માહિતી આપી છે કે આ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી અનુસાર, બોર્નો રાજ્ય ઇસ્લામિક ઉગ્રવાદનો ગઢ છે. નાઇજીરીયામાં વધી રહ્યા છે સતત હુમલાઓ…