ટ્રમ્પના ટેરિફ કેસ પર યુએસ સુપ્રીમ કોર્ટમાં થઇ ઐતિહાસિક સુનાવણી, જાણો વિગત

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ ટેરિફ્સ હવે યુએસના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં આજે યોજાયેલી આ ઐતિહાસિક સુનાવણી અમેરિકન બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ વચ્ચેની આર્થિક સત્તાઓના સંતુલનને પુનઃપરિભાષિત કરી શકે છે. આ કેસ 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ ટ્રમ્પે લાદેલા ટેરિફ્સને લઈને છે. આ કાયદો રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી દરમિયાન આર્થિક પગલાં લેવાની મંજૂરી આપે છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પે તેની મર્યાદા લાંઘી? ન્યાયાધીશોના કડક પ્રશ્નો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ્હોન રોબર્ટ્સ અને અન્ય ન્યાયાધીશો દ્વારા સરકારના વકીલોને કડક પ્રશ્નો પૂછવામાં આવ્યા. રોબર્ટ્સે પૂછ્યું — “શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના ટેરિફ લાદી શકે છે, જ્યારે કરવેરાની સત્તા સ્પષ્ટ રીતે કોંગ્રેસને આપવામાં આવી છે?”…

ઇરાક પર આક્રમણના પ્રેરક, પૂર્વ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનું અવસાન

અમેરિકાના 46માં ઉપરાષ્ટ્રપતિ અને ઇતિહાસના મહત્વપૂર્ણ રાજનેતા ડિક ચેનીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારે મંગળવારે નિવેદન આપતાં જણાવ્યું કે ચેનીનું સોમવારે રાત્રે ન્યુમોનિયા અને હૃદય અને રક્ત વાહિનીઓના રોગને કારણે અવસાન થયું. ડિક ચેની રિપબ્લિકન પાર્ટીના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ વ્યોમિંગ કોંગ્રેસમેન હતા. તેઓ ટેક્સાસના ગવર્નર જ્યોર્જ ડબલ્યુ. બુશ સાથે 2000ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિના રનિંગ સાથી તરીકે જોડાયા હતા અને 2001 થી 2009 સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. ચેનીએ રાષ્ટ્રપતિના કાર્યાલયની સત્તાને વિસ્તૃત કરવાની દૃષ્ટિ અપનાવી અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમની સ્થાપના કરી. ચેની વર્ષ 2003માં ઇરાક પરના આક્રમણના પ્રબળ સમર્થક હતા અને ઇરાકમાં સામૂહિક વિનાશના શસ્ત્રોના કથિત જોખમ વિશે બુલશે વહીવટીતંત્રમાં ચેતવણી આપી. તેમ છતાં, આવા કોઈ શસ્ત્રો મળ્યા નહોતા. તેઓએ આતંકવાદના શંકાસ્પદો…

પાકિસ્તાન મૂળની વેબ સિરીઝ, ફિલ્મો અને પોડકાસ્ટના સ્ટ્રીમિંગ પર ભારતે મૂક્યો પ્રતિબંધ, જાણો કોને થશે અસર

ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન ભારતની કાર્યવાહી ફક્ત લશ્કરી પૂરતી સીમિત નથી રહી. પરંતુ તમામ પાસાઓ પર પાકિસ્તાનને અસરકર્તા નિર્ણયો ભારત લઈ રહ્યું છે. હવે OTT પ્લેટફોર્મ્સને તેમની લાઇબ્રેરીમાંથી પાકિસ્તાની મૂળની સામગ્રી દૂર કરવી પડશે, અને આનું પાલન ન કરનારા કોઈપણ પ્લેટફોર્મ સામે કાર્યવાહી શક્ય છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ભારતમાં કાર્યરત તમામ OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને ડિજિટલ મધ્યસ્થીઓને તાત્કાલિક અસરથી પાકિસ્તાની મૂળની વેબ સિરીઝ, ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય સામગ્રી – પછી ભલે તે સબ્સ્ક્રિપ્શન આધારિત હોય કે મફત – બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. આ પણ વાંચો:  વિદેશ સચિવે તસવીરો બતાવીને પાકિસ્તાનનો કર્યો…

મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં કર્યો મોટો ફેરફાર…. પૂર્વ RAW ચીફને સોંપી મહત્વની જવાબદારી

પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ (NSAB) માં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં હવે સાત સભ્યો હશે, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થશે. બોર્ડમાં લશ્કરી પૃષ્ઠભૂમિના ત્રણ નિવૃત્ત અધિકારીઓ, બે નિવૃત્ત ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારીઓ અને એક નિવૃત્ત ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારીનો સમાવેશ થાય છે. આ માળખું સંરક્ષણ, ગુપ્તચર અને રાજદ્વારી ક્ષેત્રોમાં સંતુલિત અભિગમ સુનિશ્ચિત કરશે. આલોક જોશીની નિમણૂક કેમ મહત્વપૂર્ણ છે? આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં…

આતંકી હુમલા બાદ સરકારે મીડિયા માટે જાહેર કરી એડવાઇઝરી, મુંબઈ આતંકવાદી હુમલાનો કર્યો ઉલ્લેખ

કેન્દ્ર સરકારે શનિવારે દેશના મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઇવ પ્રસારણ ટાળવાની સલાહ આપી હતી, અને કહ્યું હતું કે આવા રિપોર્ટિંગ અજાણતામાં દુશ્મનોને મદદ કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ સલાહ જારી કરવામાં આવી છે. તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ પ્રસારણ ન કરવા માટે એક એડવાઇઝરી જારી કરી છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી સંબંધિત બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારી દાખવે અને હાલના કાયદા અને નિયમોનું કડક પાલન કરે.’…

31 માર્ચ 2026 સુધીમાં ભારતમાંથી નક્સલવાદનો ખાત્મો કરી દેવાશે, રાજ્યસભામાં બોલ્યા અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં છેલ્લા 10 વર્ષમાં સુરક્ષા અંગે થયેલા કામનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું, “સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે. આપણે દરેક પડકારનો સામનો કરી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. સરહદની બહાર ઘણા ગુનાઓ થઈ રહ્યા છે. ચાર દાયકાથી દેશમાં ત્રણ ઘા હતા. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ પહેલો ઘા હતો. બીજો નક્સલવાદ હતો અને ત્રીજો ઉત્તર પૂર્વમાં બળવાખોરીનો હતો. આપણે પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી. આપણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી. પાછલી સરકાર આતંકવાદી હુમલાઓને ભૂલી જતી હતી.” આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે” ‘હવે આતંકવાદીઓને જ્યાં મરતા હોય ત્યાં દફનાવવામાં આવે છે’ :- ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “મોદી સરકાર આતંકવાદ…