આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યુદ્ધનું મોકડ્રિલ, ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને 7 મેના રોજ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના 15 જિલ્લામાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે. પરિપત્રમાં મોકડ્રીલ દરમિયાન લેવાના પગલાંની માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયતો અને રિહર્સલનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગ્રામ્ય સ્તર સુધી આ કવાયતનું આયોજન કરવાનું આયોજન છે.’ આ કવાયતનો ઉદ્દેશ્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ મશીનરીની તૈયારીનું મૂલ્યાંકન અને વધારો કરવાનો છે. વર્ષ 1971 બાદ પ્રથમ…
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગૃહ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, તમામ રાજ્યોને આપી આ સૂચના
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ એક મોટું પગલું ભર્યું છે. દેશના અનેક રાજ્યોને મોક ડ્રીલ કરવા સૂચના આપી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશમાં જણાવાયું છે કે રાજ્યો 7 મેના રોજ સરળ નાગરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આ આદેશનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સૂચનાઓ એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને દેશમાં એવું વાતાવરણ છે કે ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. છેલ્લી વખત આવી કવાયત 1971 માં યોજાઈ હતી, જ્યારે ભારત અને પાકિસ્તાન બે મોરચા પર યુદ્ધમાં હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલી સૂચનાઓમાં, નીચેના…








