આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન અસ્થિર બન્યું છે. આ અસર હેઠળ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ભરશિયાળે વરસાદના છાંટા પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના માહોલ વચ્ચે વરસાદ પડતા લોકો…

મહેસાણામાં અચાનક વરસાદ, રવિ પાકને નુકસાનની ભીતિ

મહેસાણા શહેરમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું…

શેરબજારના નામે કરોડોની છેતરપિંડી: મહેસાણામાં EDની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી

રાજ્યમાં એકવાર ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મોટી કાર્યવાહી સામે આવી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી સામાન્ય લોકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર ટોળકી સામે EDએ કડક પગલા લીધા છે. અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા મહેસાણા જિલ્લામાં કરવામાં આવેલી આ કાર્યવાહી અત્યાર સુધીની સૌથી મોટી માનવામાં આવી રહી છે. શું છે સમગ્ર મામલો? EDના સત્તાવાર નિવેદન મુજબ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોતાના સાથીદારો સાથે મળીને મહેસાણા, વિસનગર અને વડનગરમાં અલગ-અલગ ઓફિસો શરૂ કરી હતી. અહીં કર્મચારીઓ દ્વારા સામાન્ય લોકોને ફોન કરીને શેરબજારમાં ઊંચા વળતરની ખાતરી આપી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ તપાસમાં ખુલ્યું છે કે રોકાણકારોની રકમ હકીકતમાં શેરબજારમાં ક્યાંય રોકવામાં આવતી નહોતી. આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના વ્યક્તિગત…

મહેસાણા: માતા અને દીકરીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાં આજે હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની નાની દીકરી સાથે નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક માતાનું નામ પ્રીતિકાબેન છે અને તેમની દીકરી પિનલ માત્ર ધોરણ 3માં ભણતી હતી. બંનેના મૃતદેહો નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાની આસપાસ બની છે, જ્યારે મૃતક પીડિતો મૂળ સાણંદ તાલુકાના મખીયાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ દરમિયાન કેનાલના કિનારેથી મૃતક મહિલાનો મોબાઈલ ફોન, એક થેલી અને એક ચિઠ્ઠી મળી આવી છે. ચિઠ્ઠીમાંથી મળેલી માહિતી અનુસાર, પ્રીતિકાબેન નટુ નામના વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની રકમ લેવાની…

Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

મહેસાણામાં પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ અત્યારે કાયદાના સંકજામાં આવ્યા છે. 11 વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વાલીઓએ કાયદાનું પાલન ના કરતા તેમના સગીર બાળકોને વાહન ચલાવવા આપ્યું હોવાનું સામે આવ્યા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી પોલીસ અને RTO દ્વારા વાલીઓ પર તવાઈ :- પોલીસ અને RTO દ્વારા સંયુક્તપણે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. આ સ્પેશિયલ ડ્રાઈવમાં શાળાઓ પાસે ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું. જેના બાદ પોલીસે આ સગીરના વાલીઓને બોલાવ્યા. અને તેમને સવાલ…

બાળ વાનગી મેળો, સોખડા અનુપમ પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન

B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’  મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં  ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી .     તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા…