મહેસાણા: માતા અને દીકરીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાં આજે હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની નાની દીકરી સાથે નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક માતાનું નામ પ્રીતિકાબેન છે અને તેમની દીકરી પિનલ માત્ર ધોરણ 3માં ભણતી હતી. બંનેના મૃતદેહો નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાની આસપાસ બની છે, જ્યારે મૃતક પીડિતો મૂળ સાણંદ તાલુકાના મખીયાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ દરમિયાન કેનાલના કિનારેથી મૃતક મહિલાનો મોબાઈલ ફોન, એક થેલી અને એક ચિઠ્ઠી મળી આવી છે.

ચિઠ્ઠીમાંથી મળેલી માહિતી અનુસાર, પ્રીતિકાબેન નટુ નામના વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની રકમ લેવાની હતી. પરંતુ તે પૈસા ન મળતા અને રસીક લોકોના દબાણ કે ડરથી તેઓએ આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો હોય તેવી શંકા પોલીસ વ્યકત કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આર્થિક તંગી અને માનસિક તણાવને કારણે માતા-દિકરીએ જીવ ટૂંકાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટના બાદ કણજરી અને મખીયાવ ગામે શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક લોકોમાં પણ ઘટના અંગે દુખ અને આશ્ચર્ય જોવા મળ્યું છે. પોલીસ વિભાગે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે. નટુ નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેના પર આર્થિક દબાણનું સંદિગ્ધ આરોપ છે.

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *