PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને વિકાસની ચર્ચા કરી. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત એમ કહીને કરી હતી કે 2026નું વર્ષ નજીક આવી રહ્યું છે, અને આખા વર્ષની યાદો તેમના મનમાં છવાઈ ગઈ છે. ઘણી સિદ્ધિઓએ રાષ્ટ્રને એક કર્યું છે. 2025 એ આપણને એવી ઘણી ક્ષણો આપી છે જેનાથી દરેક ભારતીયને ગર્વ થયો છે. રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત ક્ષેત્ર સુધી, વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, ભારતે દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  આજે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે…