રોહિત શેટ્ટી પર હુમલાનો ‘ક્રાઈમ માસ્ટરમાઇન્ડ’ ઝડપાયો, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધું કનેક્શન

બોલિવૂડની એક્શન ફિલ્મોના જાણીતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન પર ૩૧ જાન્યુઆરી રાત્રે થયેલા ગોળીબારના હુમલામાં અત્યાર સુધી ચાર આરોપીઓ પકડાયા છે. મુંબઈ પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલ દ્વારા કરાયેલ તપાસમાં ખુલ્યું કે આ હુમલાના મુખ્ય સૂત્રધાર ગેંગસ્ટર શુભમ લોંકર છે, જે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. શુભમ લોંકર અગાઉ એક સામાન્ય ખેડૂત અને ગોવાળ હતો, પરંતુ હથિયારોના વેપારમાં જોડાયા બાદ ગુનાખોરી તરફ આગળ વધ્યો. ઓક્ટોબર ૨૦૨૪માં થયેલી બાબા સિદ્દીકી હત્યા અને સલમાન ખાનના ઘરે ફાયરિંગમાં પણ તેનો નામ નોંધાયેલું હતું. હાલ પકડાયેલા આરોપીઓમાં આદિત્ય ગાયકી, સિદ્ધાર્થ યેનપુરે, સમર્થ પોમાજી અને સ્વપ્નિલ સકટનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હુમલાનો હેતુ બોલિવૂડમાં ભયનો માહોલ ઊભો કરવો અને ખંડણી વસૂલ કરવી હતો. દરેક આરોપી શુભમ લોંકરના સીધા સંપર્કમાં હતો અને બિશ્નોઈ ગેંગ તરફથી સૂચનાઓ પ્રાપ્ત કરતો હતો. હજુ એક આરોપી ફરાર છે, જેને પકડવા માટે પોલીસ અલગ-અલગ ટીમો દ્વારા ઓપરેશન ચલાવી રહી છે. રોહિત શેટ્ટી પર થયેલો આ હુમલો બોલિવૂડ અને અન્ડરવર્લ્ડ વચ્ચેના જોખમી કનેક્શનને ફરીથી સામે લાવ્યું છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગ્વાલિયરમાં નિવૃત્ત સૈનિકને કારના બોનેટ પર 500 મીટર સુધી ઢસડ્યા, જાણો સમગ્ર મામલો

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાર ચાલકે નિવૃત્ત સૈનિકની બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ જ્યારે નિવૃત્ત સૈનિકે વિરોધ નોંધાવ્યો, ત્યારે કારમાં સવાર યુવકો ઉગ્ર બન્યા અને તેમને ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. જીવ બચાવવા માટે નિવૃત્ત સૈનિક કારના બોનેટ પર લટકી ગયા હતા, છતાં આરોપી ચાલકે ગાડી રોકવાને બદલે પૂરઝડપે દોડાવી હતી. મળતી માહિતી મુજબ, આરોપીઓએ વડીલને કારના બોનેટ પર લટકાવીને લગભગ ૫૦૦ મીટર સુધી ગાડી ચલાવી હતી. આ સમગ્ર ઘટનાનો 16 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક સફેદ રંગની કાર ઝડપથી આગળ વધી રહી છે અને તેના બોનેટ પર એક વ્યક્તિ જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે. વીડિયો સામે આવતા જ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આટલેથી ન અટકતા, કાર રોક્યા બાદ આરોપીઓએ નિવૃત્ત સૈનિક સાથે મારપીટ પણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી કરી રહી છે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

પોલીસ ભરતી: અમદાવાદમાં RFID-CCTV મોનીટરીંગ વ્યવસ્થાનું ડૉ. કે.એલ.એન. રાવે કર્યું અવલોકન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી PSI અને લોકરક્ષક સંવર્ગની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે, આજે વહેલી સવારે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ દ્વારા અમદાવાદ ખાતે સૈજપુરબોઘા ગ્રાઉન્ડની સીધી મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના પોલીસ વડા દ્વારા ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ ચકાસવા માટે કેટલીક મહત્વની બાબતો પર વ્યક્તિગત અવલોકન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોના કોલલેટરની ચકાસણી, ચેસ્ટ નંબર અને RFID ટેગ ફાળવવાની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. તે ઉપરાંત રનિંગ ટ્રેક પર ટેકનોલોજીના માધ્યમથી દરેક ઉમેદવારના લેપ-વાઈઝ રેકોર્ડિંગ અને વ્યક્તિગત ટાઈમિંગની ગણતરી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરવામાં હતું. એટલું જ નહીં, કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક થાય તે માટે લગાવવામાં આવેલા CCTV કેમેરા અને ટેકનિકલ સ્ટાફની કામગીરીનું અવલોકન પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડા ડૉ. રાવે જણાવ્યું હતું કે, સમગ્ર ભરતી પ્રક્રિયા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની SOP (Standard Operating Procedure) મુજબ અત્યંત સુચારૂ રીતે ચાલી રહી છે. ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવેલી વિશેષ વ્યવસ્થાઓ સરાહનીય છે. રાજ્યના પોલીસ વડાએ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ અને તેમની સમગ્ર ટીમને ઉત્તમ આયોજન અને પારદર્શક પ્રક્રિયા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ તોડ્યું મૌન: કહ્યું “જ્યારે પણ બોલાવશે ત્યારે હાજર રહીશ”

નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે નવી અપડેટ સામે આવી છે. આજે SIT (વિશેષ તપાસ ટીમ) દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને ત્રણ કલાકથી વધુ સમય સુધી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પૂરી થયા પછી જયરાજ આહીરે પોતાની પ્રથમ જાહેર પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે તેઓ SITની તપાસ પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. જયરાજ આહીરના નિવેદન: જ્યારે પુછપરછ પૂર્ણ થઈ, જયરાજ આહીરે કહ્યું કે તેઓ SITની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. તેમણે સ્પષ્ટ કર્યું, “જ્યારે પણ SIT મને બોલાવશે, ત્યારે હું હાજર રહીશ અને સહકાર આપવા તૈયાર છું.” તેમણે ઉમેર્યું કે સત્ય સામે આવશે તેવી તેમને પૂરી આશા છે. SITમાં થયેલી પૂછપરછ અને હાલની સ્થિતિ – પીડિતની પૂછપરછ: બે દિવસ પહેલા SITએ નવનીત બાલધિયાને IG કચેરીમાં બોલાવી પૂછપરછ કરી હતી. ત્યાં તેમણે કુલ 15 મહત્વપૂર્ણ પુરાવા રજૂ કર્યા હતા. – સહાયક આરોપીઓની પૂછપરછ: SIT દ્વારા બગદાણા આસ્રમના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યું હતું. બંને વ્યક્તિઓ લગભગ બે થી અઢી કલાક સુધી SIT સમક્ષ માહિતી આપી, પરંતુ બહાર આવતા મૌન જાળવ્યું. – જયરાજ આહીરની હાજરી: આજે લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર SITમાં હાજર થયા. SIT દ્વારા તેમને સમન્સ આપવામાં આવ્યું હતું. આ કેસની પૃષ્ઠભૂમિ આ મામલો એક ભજન કાર્યક્રમ દરમિયાન શરૂ થયો હતો. 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમમાં તેમણે યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે ઉલ્લેખ કર્યો. આ ઘટના-social media પર વાયરલ થઈ. બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને ફોન કરીને ટકોર કરી. બાદમાં માયાભાઈએ ભૂલ સ્વીકારી અને માફી માંગતો વિડિયો મોકલ્યો, જે પણ વાયરલ થયો. આ બનાવે આગળ વધતા મામલો મારામારી સુધી પહોંચી ગયો. આરોપો અને તપાસની દિશા નવનીત બાલધિયાએ જયરાજ આહીર પર આ હુમલાની યોજનામાં સંડોવણી અને મારમુખી ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો છે. SITએ બંને પક્ષના નિવેદન અને પુરાવા ચોક્કસ રીતે તપાસી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સાચી હકીકત બહાર આવશે. સામાજિક અને રાજકીય પ્રભાવ જયરાજ આહીર લોકપ્રિય લોકકલાકાર માયાભાઈ આહીરના પુત્ર છે. આ કેસ માત્ર કાનૂની જ નહીં, પરંતુ સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો છે. સમગ્ર રાજ્ય અને મીડિયાનું ધ્યાન SITની તપાસ પર કેન્દ્રિત છે. જયરાજ આહીરે SITની પૂછપરછ બાદ કહ્યું કે તેઓ જયારે પણ તપાસ એજન્સી તેમને બોલાવશે, હાજર રહેશે અને સંપૂર્ણ સહકાર આપશે. SIT દ્વારા બંને પક્ષના નિવેદન અને પુરાવાનું બારીકાઈથી વિશ્લેષણ ચાલુ છે. આ કેસે સામાજિક, રાજકીય અને કાનૂની સ્તરે ભારે ચર્ચા જગાવી છે. હવે સાક્ષ્ય અને પુરાવાઓ આધારે જ આખી હકીકત સામે આવશે.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

યુપી બોર્ડર પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઝપાઝપી, જાણો મામલો

ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની, જ્યાં એઝાદ સમાજ પાર્ટીના સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી જોવા મળી. મેરઠમાં તાજેતરમાં થયેલી દલિત મહિલાની હત્યાના પીડિત પરિવારમાં મુલાકાત માટે આવતા સાંસદને ગાઝિયાબાદ પોલીસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે (DME) પર રોકી દીધા. પોલીસના પ્રયાસોના બાવજૂડ, ચંદ્રશેખર આઝાદ રસ્તા પર જ બેસી ગયા હતા, જેની કારણે NH-9 અને DME પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો. એમ્બ્યુલન્સ, બસો અને સામાન્ય વાહનો પણ બંધ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ટ્રાફિકને હાપુડ તરફ ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્થિતિ ગંભીરતા જોઇને ડીસીપી રૂરલ અને ડીસીપી ટ્રાન્સ હિંડન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. મેરઠમાં કાશી ટોલ પ્લાઝા પણ સીલ કરવામાં આવ્યો છે. પોલીસનો કહેવું છે કે સુરક્ષાના કારણોસર કોઈ રાજકીય નેતાને મેરઠમાં પ્રવેશ મંજૂર નથી. બીજી તરફ, ચંદ્રશેખર આઝાદે ચીમકી આપી છે કે તેઓ પીડિત પરિવારને મળ્યા વિના પાછા ફરીશું નહીં. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

નવનીત બાલધીયા કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની કરાઈ માંગ

ભાવનગરના બગદાણા વિસ્તારમાં થયેલા નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખાસ તપાસ ટીમ SIT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહુવા કોર્ટમાં SIT ટીમે 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટ દ્વારા આ કેસની આગળની હિયરિંગ આવતીકાલે ફિક્સ કરવામાં આવી છે. કેસમાં નવી કલમનો ઉમેરો આ મામલામાં કાયદાકીય પગલાંને વધુ મજબૂત બનાવવા માટે જૂની આઈપીસી કલમ 120 નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કલમના ઉમેરાથી કાયદાકીય કાર્યવાહી ઝડપી અને કડક બનશે તેવી SITની આશા છે. ખુલાસો: નવનીત બાલધીયાનો વીડિયો હમલાના પગલે નવનીત બાલધીયાએ સામાજિક મીડિયા પર વીડિયો દ્વારા ખુલાસો કર્યો હતો. પોતાના નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ કોઈપણ સમાજ સાથે વિવાદમાં નથી અને માત્ર જયરાજ આહિર સાથે તણાવ છે. નવનીતભાઈએ લોકોને અપીલ કરી કે તેમના નામનો ઉપયોગ કરીને કોઈ પણ સમાજની લાગણી દુભાય તેવા વીડિયો ન બનાવે. હૉસ્પિટલમાં સારવાર અને રજા 29 ડિસેમ્બરે થયેલા હુમલામાં નવનીતભાઈને ગંભીર ઇજા પહોંચી હતી, જેને પગલે તેમને મહુવા હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 11 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર પછી, નવનીત બાલધીયાને સુરક્ષિત રીતે રજા આપવામાં આવી છે. તેમણે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. હાલની સ્થિતિ SITના કાર્યવાહી અને કોર્ટની આગળની હિયરિંગ વચ્ચે, આ કેસ વધુ કાયદાકીય તપાસ અને મજબૂત કાર્યવાહી હેઠળ છે. હમલાના આરોપીઓ સામે કાયદાકીય પગલાં ઝડપથી લેવામાં આવી રહ્યા છે, અને નવનીતભાઈના સુરક્ષા અને સમાધાન માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in

સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ, જાણો શું છે મામલો

સુરતમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય માનવામાં આવતા કુખ્યાત શિવા ઝાલાને ફરી જેલમાં ભેગો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોર્ટ દ્વારા તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ શિવા ઝાલા અને તેના સમર્થકો દ્વારા નાગરિક કાયદાની અવમાનના કરતી ઉજવણી કરવામાં આવી. ઉજવણી અને પાડી પડેલ પડકાર જેલમાંથી છૂટ્યા પછી, શિવા ઝાલા તેના સમર્થકો સાથે ફટાકડા ફોડી, મોંઘીદાટ કારના કાફલા સાથે રેલી કાઢી, અને લોકલ પોલીસ તંત્રને પડકાર ફેંક્યો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસના ધ્યાનમાં આવ્યો અને ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી. પોલીસની કડક કાર્યવાહી સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં, શિવા ઝાલા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો. પોલીસ ત્વરિત અને સંયમિત પગલાંએ શિવા ઝાલાને ફરી ધરપકડ કરી જેલના સળિયા પાછળ ભેગું કરવામાં આવ્યો. તેની સમર્થકો દ્વારા કરવામાં આવેલ હેકડીઓ પણ પોલીસ દ્વારા ઉઠાવી લેવામાં આવી. પૃષ્ઠભૂમિ શિવા ઝાલા કાળા ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલા કુખ્યાત માફિયા તરીકે ઓળખાય છે. તેને અગાઉ પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, અને તેનું તાજેતરનું બહાર આવવું અને જાહેરમાં ખતરનાક ઉજવણી કરવી સારા સમાચાર માટે નાગરિકો અને કાયદા પ્રણાલીની ચિંતા વધારતી ઘટના બની. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in

Delhi Turkmen Gate હિંસા : 30 પથ્થરમારોની ઓળખ, 450 વીડિયો સ્કેન થઈ રહ્યા

તુર્કમાન ગેટ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન થયેલી હિંસામાં દિલ્લી પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. હિંસામાં સામેલ લગભગ 30 પથ્થરમારોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડવા માં લાગી છે. 450થી વધુ વિડિઓ ફૂટેજ સ્કેન પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 450થી વધુ CCTV, બોડીકેમ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિઓઝ એકત્રિત કરવામાં આવ્યા છે. આ તમામ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે જેથી હિંસામાં સામેલ દરેક વ્યક્તિની ઓળખ કરી શકાય. પ્રાથમિક તપાસમાં ખુલાસો તપાસમાં ખબર પડી છે કે હિંસામાં ફક્ત તુર્કમાન ગેટના સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બહારના વિસ્તારોમાંથી આવેલા લોકો પણ સામેલ હતા. પોલીસે જણાવ્યું કે ખોટી સોશિયલ મીડિયા અફવાઓ ફેલાવીને લોકોને ઉશ્કેરવામાં આવ્યું હતું, ખાસ કરીને એવી અફવા ફેલાવવામાં આવી હતી કે વિસ્તારમાં આવેલી મસ્જિદ તોડી નાખવામાં આવી રહી છે, જેના કારણે લોકો ગુસ્સામાં આવી ગયા. 5 આરોપીઓની ધરપકડ આ મામલે અત્યાર સુધીમાં કાશિફ, મોહમ્મદ કૈફ, મોહમ્મદ આરિબ, અદનાન અને સમીરની ધરપકડ થઈ છે. તેઓ ચાંદની મહેલ અને દરિયાગંજ વિસ્તારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. તમામ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરાર આરોપીઓ માટે ખાસ SIT ફરાર થયેલા આરોપીઓને પકડવા દિલ્લી પોલીસે ખાસ તપાસ ટીમ (SIT) બનાવ્યું છે. ટીમ ડ્રોન કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો મુજબ ઘણા આરોપીઓ ડરના કારણે ફરાર થઈ ગયા છે. તુર્કમાન ગેટમાં ભારે પોલીસ બંદોબસ્ત હિંસા બાદ તુર્કમાન ગેટ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અર્ધલશ્કરી દળો પણ તૈનાત છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જનતાને ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સોશિયલ મીડિયાના ખોટા માહિતી ફેલાવા કેટલો મોટો જોખમ બની શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત

લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો અનુસાર, ધીરેન કારિયા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારામાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી આરોપી ધીરેન કારિયા સામે મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી એક્ટ તેમજ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટોળકીના સભ્યો ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર ગુજસીટોક કેસ દાખલ થયા બાદ પોલીસ દ્વારા ટોળકીના અન્ય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે મુખ્ય આરોપી ધીરેન કારિયા લાંબા સમયથી ફરાર હતો. તેની સામે ધરપકડ વોરંટ જારી થવા છતાં તે હાથ લાગ્યો નહોતો. કલમ 82 હેઠળ વોન્ટેડ જાહેર પોલીસે બીએનએસએસની કલમ 82 મુજબ ધીરેન કારિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. સતત શોધખોળ બાદ હવે તેને અજમેરથી પકડી લેવાયો છે. પોલીસ ધીરેન કારિયાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જૂનાગઢ લાવી વધુ પૂછપરછ કરશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

JNU કેમ્પસમાં વિવાદ: PM મોદી અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, FIR નોંધાઈ

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હોવાના મામલે યુનિવર્સિટી વહીવટીતંત્રએ FIR નોંધાવી છે. JNU પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ શીખવા, વિચારોના આદાન-પ્રદાન અને નવીનતાનું કેન્દ્ર હોય છે, નફરત ફેલાવવાનું સ્થાન નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ તેના નામે હિંસા, કાયદાનો ભંગ કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને કોઈ સ્થાન નથી. કડક શિસ્તભંગની કાર્યવાહી થશે યુનિવર્સિટી વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, આ ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે તાત્કાલિક સસ્પેન્શન, યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કે કાયમી રીતે પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અગાઉ પણ 2016 અને 2020માં JNU કેમ્પસમાં આવા વિવાદાસ્પદ સૂત્રોચ્ચારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. શરજીલ ઇમામ અને ઉમર ખાલિદના જામીન મામલે વિરોધ મળતી માહિતી મુજબ, દિલ્હી હિંસા કેસમાં આરોપી શરજીલ ઇમામ અને ઉમર ખાલિદને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન ન આપવાના નિર્ણય બાદ, સોમવારે JNU કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ ઉશ્કેરણીજનક અને અભદ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સૂત્રોચ્ચારમાં બંધારણીય સંસ્થાઓને પડકારવા ઉપરાંત વડાપ્રધાન, ગૃહમંત્રી, RSS સહિત અન્ય લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાના આરોપો લગાવવામાં આવ્યા છે. દિલ્હી સરકારની કડક પ્રતિક્રિયા આ સમગ્ર ઘટનાની દિલ્હી સરકારના ગૃહમંત્રી આશિષ સૂદે કડક નિંદા કરી છે. તેમણે કહ્યું કે લોકશાહીમાં અસંમતિનો અધિકાર છે, પરંતુ હિંસા, ઉશ્કેરણી અને દેશ વિરુદ્ધ પ્રવૃત્તિઓ માટે કોઈ સ્થાન નથી. તેમણે ઉમેર્યું કે નીતિઓ અંગે ચર્ચા અને મતભેદ સ્વીકાર્ય છે, પરંતુ દેશને તોડવાના પ્રયાસો સામે કોઈ સહાનુભૂતિ રાખી શકાય નહીં. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in