તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ તેજ બન્યું છે. ઈરાનમાં રસ્તાઓ અને સંચાર સેવાઓ ઠપ આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, સુરક્ષા કારણોસર ઈરાને અનેક મુખ્ય રસ્તાઓ બંધ કર્યા છે તેમજ હવાઈ મુસાફરી પર મર્યાદાઓ લાદી છે. સાથે જ ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે. દુનિયાભરની અનેક એરલાઈન્સે ઈરાન તરફની ફ્લાઈટ્સ રદ કરી છે, જેના કારણે વિદેશી નાગરિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. અમેરિકાએ તેના નાગરિકોને શું સલાહ આપી? – અમેરિકન વિદેશ વિભાગે ઈરાનમાં રહેલા નાગરિકોને નીચે મુજબની સલાહ આપી છે: – અમેરિકી સરકારના ભરોસે બેસી ના રહો, તાત્કાલિક ઈરાન છોડો – શક્ય હોય તો આર્મેનિયા અથવા તુર્કીયે તરફ જાવ – ઈરાનમાં ઈન્ટરનેટ, મોબાઈલ નેટવર્ક અને રસ્તાઓ બંધ થઈ રહ્યા છે – જો દેશ છોડવો શક્ય ન હોય તો ખોરાક અને પાણીનો જથ્થો રાખી સુરક્ષિત જગ્યાએ આશરો લો – સ્થાનિક મીડિયાની માહિતી પર નજર રાખો અને કોઈ સાથે વાદવિવાદમાં ના પડો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત
તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન હુમલાના ડરથી જાહેર જીવનમાંથી દૂર રહેવું પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે ખામેનીને તેહરાનની આસપાસના ઉચ્ચ સુરક્ષાવાળા બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જૂન 2025માં પણ ખામેની લગભગ 21 દિવસ સુધી આ પ્રકારના બંકરમાં છુપાયેલા રહ્યા હતા. બીઈબીસી પર્શિયનના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીના “અંત” અંગે કાસિમ સુલેમાની અથવા આઈએસના અબુ બકર અલ-બગદાદી જેવા બનાવવાની વાત ખુલ્લેઆમ કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ જણાવ્યું છે કે, “જો ખામેની પર કોઈ હુમલો થાય તો તેને ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશે.” વિશ્લેષકોનું માનવું છે કે ખામેની અમેરિકાના નિશાન પર હોવાનો સૌથી મોટો કારણ એ છે કે તેઓ ઈરાનની તમામ મુખ્ય સત્તાઓ પર કાબૂ રાખે છે—સૈન્ય, ન્યાયતંત્ર, વિદેશ નીતિ અને પરમાણુ કાર્યક્રમ સહિત. 2016માં ઈરાન-અમેરિકા પરમાણુ કરાર દરમિયાન પણ ખામેનીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. આ દરમિયાન, ઈરાનમાં આંતરિક વિરોધ પ્રદર્શન શાંત થયા હોવા છતાં, બાહ્ય ખતરા યથાવત છે. અમેરિકાએ યૂએસએસ અબ્રાહમને મલાક્કા સમુદ્રધુનીમાં તૈનાત કર્યું છે, અને ઈરાનના આસપાસના વિસ્તારમાં ફાઇટર જેટ્સની ઉપસ્થિતિ નોંધાઈ છે. વિશ્વવિશ્લેષકોના મતે, ખામેનીનો બંકરમાં છુપાવું માત્ર સુરક્ષા પગલું નહીં, પરંતુ ઈરાન-અમેરિકા સંબંધોમાં ઊંડા અવિશ્વાસ અને ભવિષ્યમાં મોટા સંઘર્ષની ચેતવણી પણ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત
ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થી અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કું: – આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ બેચ ભારત માટે મોકલાશે. – સૌથી જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને પહેલાં લાવવામાં આવશે. – વિદેશ મંત્રાલય અને ઈરાન સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સુવિધા અને તૈયારીઓ: – પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરી રહેલ છે. – ભારતીય દૂતાવાસ ઈરાનમાં ફસાયેલા લોકોની વિગતો એકત્ર કરી રહ્યું છે. – વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજો અને સામાન સાથે તૈયાર રહેવાની સૂચના આપી છે. ચેલેન્જિસ: – ઈરાનમાં ઈન્ટરનેટ બ્લોકને કારણે સંચાર મુશ્કેલ થઈ રહ્યું છે. – સમગ્ર દેશમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ જારી છે. – ભારત સરકારે તમામ નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા અને નવી મુસાફરી ટાળવા સલાહ આપી છે. ભારત સરકારની તત્પરતા અને ગ્રાઉન્ડ લેવલ પર સતત દેખરેખ આ ઓપરેશનને સફળ બનાવવા માટે મુખ્ય કડી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં 2,000થી વધુ લોકોના મોત, જાણો સમગ્ર વાત
ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 લોકોના મોત થયા છે, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય પ્રદર્શનકારીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે ઈરાનની સત્તાવાળાઓએ આ ઊંચા મૃત્યુઆંકનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. સત્તાવાળાઓના નિવેદન રોઇટર્સ સાથે વાત કરતાં ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે જેમને તેમણે આતંકવાદી ગણાવ્યા હતા, તેઓ વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંનેના મોત માટે જવાબદાર છે. અધિકારીઓએ હજુ સુધી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે ખુલાસો કર્યો નથી. ઈરાનમાં અશાંતિ અને આર્થિક પૃષ્ઠભૂમિ અશાંતિના મૂળમાં ઈરાનની નબળી આર્થિક સ્થિતિ છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર માટે સૌથી મોટો આંતરિક પડકાર બની છે. ગઈકાલના ઇઝરાયલી અને યુએસ હુમલાઓ પછી પણ આ દબાણ વધ્યું છે. બેવડું ધોરણ અને કડક કાર્યવાહી 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તામાં રહેલા ઈરાનના ધાર્મિક અધિકારીઓએ વિરોધ પ્રદર્શનો સામે બેવડું વલણ અપનાવ્યું છે. એક તરફ તેઓ આર્થિક સમસ્યાઓને કારણે વિરોધને વાજબી ઠેરવે છે, જ્યારે બીજી તરફ કડક સૈનિક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય દોષારોપણ ઈરાન સરકારે અમેરિકાને અને ઇઝરાયલને આ અશાંતિને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે કેટલીક અજાણ્યાં સંસ્થાઓ અને આતંકવાદીઓએ વિરોધ પ્રદર્શનોને હાઇજેક કરી લીધા છે. માનવાધિકાર સંસ્થાઓનો અંદાજ અંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથે અગાઉ નોંધ્યું હતું કે સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહાર પ્રતિબંધો લાગુ પાડવામાં આવ્યા હતા, જેના કારણે માહિતીનો પ્રવાહ અશીર્ષ થયો છે. ઈરાનમાં ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનો અને ઉચ્ચ મૃત્યુઆંકને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સ્થાનિક નાગરિકો બંનેમાં ચિંતાનો માહોલ છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
“ઈરાન તાત્કાલિક છોડી દો” – હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને લઇ જાહેર કરી એડવાઈઝરી
ઈરાનમાં વધી રહેલી અસ્થિરતા, હિંસક જનઆંદોલન અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. અમેરિકી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા તમામ અમેરિકી નાગરિકોએ કોઈપણ વિલંબ કર્યા વગર દેશ છોડવો જોઈએ. પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાથી કોઈપણ પ્રકારની મદદ મળી શકે તેની ખાતરી નથી, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે. પ્રચંડ જનઆક્રોશ અને હિંસક સ્થિતિ ડિસેમ્બર 2025થી ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના 31 પ્રાંતોમાં આર્થિક કટોકટી, બેરોજગારી અને રાજકીય અસંતોષને કારણે લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે. સુરક્ષા દળોની કડક કાર્યવાહી દરમિયાન સેંકડો લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે. સ્થિતિ કાબૂમાં લેવા માટે સરકારે ઇન્ટરનેટ અને સંચાર સેવાઓ બંધ કરી દીધી છે, જેના કારણે ઈરાન લગભગ દુનિયાથી કપાઈ ગયો છે. જાહેર પરિવહન અને રસ્તાઓ ઠપ થતાં સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની છે. અમેરિકી નાગરિકો માટે સહાય મર્યાદિત અમેરિકી સરકારએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનમાં યુએસ દૂતાવાસ હાજર નથી, જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને સીધી રાજદ્વારી મદદ મળવી મુશ્કેલ છે. યુએસ વર્ચ્યુઅલ એમ્બેસીના જણાવ્યા મુજબ, નાગરિકોએ સરકારની મદદ પર નિર્ભર રહેવા કરતાં પોતાની સુરક્ષા માટે સ્વયં પગલાં લેવા જોઈએ. જો પરિસ્થિતિ સુરક્ષિત લાગે તો જમીન માર્ગે તુર્કી અથવા આર્મેનિયા તરફ સરહદ પાર કરવાની સલાહ આપવામાં આવી છે. જોકે, અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થતાં હવાઈ મુસાફરીના વિકલ્પો ખૂબ જ મર્યાદિત બન્યા છે. યુદ્ધના ભણકારા અને આંતરરાષ્ટ્રીય તણાવ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શક્ય હોવાનું સંકેત આપ્યો છે અને 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઈરાન સરકાર આ સમગ્ર વિરોધને અમેરિકા અને ઇઝરાયેલનું ષડયંત્ર ગણાવી રહી છે. આ તણાવભરી સ્થિતિમાં બેવડી નાગરિકતા ધરાવતા લોકો પર ધરપકડ કે અટકાયતનું જોખમ સૌથી વધુ હોવાનું પણ અમેરિકાએ ચેતવ્યું છે. મધ્ય પૂર્વમાં વધતો ખતરો ઈરાનમાં સર્જાયેલી આ અસ્થિરતા માત્ર દેશ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તેની અસર જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે ઊર્જા બજાર, વેપાર અને સુરક્ષા પર પણ તેની ગંભીર અસર પડી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ
વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી જરૂર પડ્યે સંપર્ક અને સહાય શક્ય બને. વૈશ્વિક તણાવ અને અમેરિકા-વેનેઝુએલા કાર્યવાહીની અસર ભારત દ્વારા આ એડવાઇઝરી એવા સમયે જાહેર કરવામાં આવી છે, જ્યારે અમેરિકાએ વેનેઝુએલા સામે કડક કાર્યવાહી કરી છે અને તેના રાષ્ટ્રપતિની કેદને લઈને વિશ્વભરમાં ભારે ચર્ચા ચાલી રહી છે. અનેક દેશોએ અમેરિકાની આ કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે. આ ઘટનાના પગલે વૈશ્વિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે કે ઈરાન અમેરિકાનું આગામી લક્ષ્ય બની શકે છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઈરાનને લઈને ફારસી ભાષામાં પણ સંદેશ જારી કર્યો હતો, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને કડક કાર્યવાહી કરનાર નેતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઇઝરાયલ તરફથી પણ ચેતવણી બીજી તરફ, ઇઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન અને વરિષ્ઠ નેતા નફતાલી બેનેટએ પણ ઈરાનને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ઈરાન પાસે હવે બહુ ઓછો સમય બચ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ તરફથી આવી રહેલી ધમકીઓના કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધ્યો છે. પરમાણુ કાર્યક્રમને લઈને ઈરાન પહેલેથી જ અમેરિકાના નિશાન પર હોવાનું માનવામાં આવે છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાના નાગરિકોની સુરક્ષા માટે આગોતરી સાવચેતીરૂપે આ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી
વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે કે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે દેશ તૈયારીને ઝડપથી મજબૂત બનાવી રહ્યો છે. જૂનમાં થયેલા 12 દિવસના ઈઝરાયલ–ઈરાન યુદ્ધ પછી ઈરાન ખુલ્લેઆમ રાષ્ટ્રીય સુરક્ષા માળખાને વિસ્તૃત કરી રહ્યું છે. તે જ સંઘર્ષ દરમિયાન ઈમરજન્સી ચેતવણી વ્યવસ્થામાં દેખાયેલ કેટલીક ખામીઓ બાદ સરકારે ચેતવણી સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પર થયેલા હુમલાઓએ પણ સરકારને વિશ્વાસ અપાવ્યો કે ભવિષ્યમાં ઝડપી અને વિશ્વસનીય ચેતવણી પ્રણાલી અનિવાર્ય છે. કોઈ એપ વગર સીધો ફોન સ્ક્રીન પર એલર્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા વચ્ચે ખાનગી મોબાઇલ વપરાશકર્તાઓને “કટોકટી ચેતવણી પ્રણાલીનું પરીક્ષણ સંદેશ” મોકલાયું. આ એલર્ટ સીધો ફોનના સ્ક્રીન પર દેખાયો અને અનેક ઉપકરણોમાં આપોઆપ એલાર્મ અથવા વાઇબ્રેશન પણ શરૂ થયું. સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે પરીક્ષણ દરમિયાન નાગરિકો તરફથી કોઈ પગલાં લેવાની જરૂર નથી. આગામી તબક્કાઓમાં વધુ મોબાઇલ ઓપરેટરોને જોડીને ચેતવણી પ્રણાલીની પહોંચ વિસ્તૃત કરવામાં આવશે અને મોટા પાયે નવા કવાયત કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. તણાવ વધતા અધિકારીઓની ચેતવણીઓ છેલ્લા કેટલાક અઠવાડિયાંથી અનેક ઈરાની વરિષ્ઠ અધિકારીઓએ ખુલ્લેઆમ જણાવ્યું છે કે પ્રદેશ “મોટા સંઘર્ષના દ્વાર પર” છે. તેના પગલે દેશમાં કટોકટી નીતિઓની સમીક્ષા, જાહેર સુચનાઓ માટેના નવા પ્રોટોકોલ અને રાષ્ટ્રીય સંકલનમાં તેજી લાવવામાં આવી છે. જાહેર આશ્રયસ્થાનોના અભાવ અંગે ચિંતા ટેસ્ટ એવા સમયે આવ્યું છે જ્યારે તેહરાનમાં જાહેર આશ્રયસ્થાનોની અછત અંગે ટીકા વધી રહી છે. થોડા જ ઝોનમાં નવા સુરક્ષિત આશ્રયસ્થાનો બનાવાયા છે, જ્યારે મોટા ભાગના નાગરિકોને સાંકટની સ્થિતિમાં મેટ્રો સ્ટેશનો, ભૂગર્ભ પાર્કિંગ અથવા ઘરનાં ભોંયરાં પર આધાર રાખવો પડશે. જૂનના યુદ્ધ દરમિયાન સરકાર અને લશ્કરી નેતાઓને સુરક્ષિત ભૂગર્ભ સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા, જેના પછી લોકો માટે પૂરતા આશ્રય વ્યવસ્થાનો અભાવ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in













