ઇરાનના તેલને લઈને અમેરિકા-ચીન આમનેસામને, ‘ઇકોનોમિક ડી-ડે’થી વધી શકે છે ટેરિફ વોરની ભીતિ

અમેરિકા અને ચીન વચ્ચે ઇરાનના તેલના મુદ્દે ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. અમેરિકી ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાન સામે આર્થિક દબાણ વધારવા માટે કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ઇરાનની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માટે મોટા પાયે નાણાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી તરફ ચીને અમેરિકાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ચીનની કંપનીઓ અને તેના કાયદેસર આર્થિક હિતોને નિશાન બનાવવામાં આવશે તો બેઇજિંગ પોતાના અધિકારો અને હિતોની રક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. ચીને અમેરિકાને આપી સીધી ચેતવણી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને અમેરિકાની નવી પ્રતિબંધ નીતિનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ચીન ઇરાન સાથેનો સહકાર આંતરરાષ્ટ્રીય કાયદાના માળખામાં રહીને કરે છે અને તેમાં કોઈ બાહ્ય દેશે દખલ ન કરવી જોઈએ.…

શાંતિ પ્રયાસોને નવી ગતિ? પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર તેહરાન જશે

મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર 24 ઓગસ્ટે ઈરાનની રાજધાની તેહરાનની મુલાકાતે જવાના છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ રવિવારે આ મુલાકાતની પુષ્ટિ કરી હતી. મુનીર સાથે એક પ્રતિનિધિમંડળ પણ ઈરાન જશે અને ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે. મુનીરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અટકી ગઈ છે અને બંને દેશો વચ્ચે ફરીથી તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે. હવે મુનીરની તેહરાન મુલાકાતને ઈસ્લામાબાદના આ રાજદ્વારી પ્રયાસોના મહત્વપૂર્ણ આગામી પગલા તરીકે જોવામાં આવી રહી છે. અમેરિકા-ઈરાન વાતચીત ફરી શરૂ કરાવવાનો…

ઈરાનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, પરમાણુ હથિયાર મુદ્દે કડક ચેતવણી; ઓમાનને પણ આપી ધમકી

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવું તેમની સૌથી મોટી પ્રાથમિકતાઓમાંની એક છે. સાથે જ તેમણે ઈરાન સાથે કોઈપણ સમજૂતી માટે ઉતાવળ ન હોવાનો સંકેત આપ્યો છે. 17 ઓગસ્ટે ટ્રમ્પે ઈરાનને શરણાગતિ સ્વીકારવાની અપીલ પણ કરી હતી અને અમેરિકા-ઈરાન વાટાઘાટો અંગે કડક વલણ વ્યક્ત કર્યું હતું. ટ્રમ્પના તાજેતરના નિવેદનોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી ઉકેલની શક્યતાઓ હોવા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ હજુ યથાવત છે. ખાસ કરીને પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝની સામુદ્રધુનીને લઈને પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. ઈરાનને પરમાણુ હથિયારથી રોકવાનો દાવો ટ્રમ્પે સતત એ…

તાત્કાલિક ઈરાન છોડો: અમેરિકાની એડવાઈઝરી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્શન વધ્યું

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે ઈરાનમાં રહેતા તમામ અમેરિકન નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી બાદ મધ્ય પૂર્વમાં રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અમેરિકા–ઈરાન વચ્ચે તણાવમાં વધારો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી આંદોલનો શરૂ થયા હતા. ત્યારબાદ ઈરાની સરકારે ઈન્ટરનેટ અને સંચાર સેવાઓ પર કડક નિયંત્રણો લાદ્યા હતા. ઈરાન સરકારનું કહેવું છે કે આ આંદોલનો પાછળ વિદેશી શક્તિઓ જવાબદાર છે અને આંદોલનકારોને આતંકવાદી ગણાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, અમેરિકા વારંવાર ચેતવણી આપી રહ્યું છે કે જો ઈરાનમાં આંદોલનકારો પર હિંસા અથવા હત્યાઓ થશે તો તે કડક પગલાં લેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે વાકયુદ્ધ…

ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની ફરી અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા, જાણો વિગત

તેહરાન: ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સુરક્ષા કારણે ફરી એકવાર અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ છેલ્લા 7 મહિનામાં બીજી વખત છે જ્યારે ખામેનીને સંભવિત અમેરિકન હુમલાના ડરથી જાહેર જીવનમાંથી દૂર રહેવું પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીને કારણે ખામેનીને તેહરાનની આસપાસના ઉચ્ચ સુરક્ષાવાળા બંકરમાં ખસેડવામાં આવ્યા છે. જૂન 2025માં પણ ખામેની લગભગ 21 દિવસ સુધી આ પ્રકારના બંકરમાં છુપાયેલા રહ્યા હતા. બીઈબીસી પર્શિયનના અહેવાલ મુજબ, અમેરિકન રાષ્ટ્રપતિએ ખામેનીના “અંત” અંગે કાસિમ સુલેમાની અથવા આઈએસના અબુ બકર અલ-બગદાદી જેવા બનાવવાની વાત ખુલ્લેઆમ કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પણ જણાવ્યું છે કે, “જો ખામેની પર કોઈ હુમલો થાય તો તેને ઈરાન સામે યુદ્ધ માનવામાં આવશે.” વિશ્લેષકોનું…

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત

ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થી અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કું: – આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ બેચ ભારત માટે મોકલાશે. – સૌથી જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને પહેલાં લાવવામાં આવશે. – વિદેશ મંત્રાલય અને ઈરાન સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સુવિધા અને તૈયારીઓ: – પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરી રહેલ છે. – ભારતીય દૂતાવાસ ઈરાનમાં ફસાયેલા લોકોની વિગતો એકત્ર કરી રહ્યું છે. – વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજો અને સામાન સાથે તૈયાર રહેવાની સૂચના આપી છે.…

ઈરાનમાં વિરોધ પ્રદર્શનોમાં 2,000થી વધુ લોકોના મોત, જાણો સમગ્ર વાત

ઈરાનમાં ચાલી રહેલા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં લગભગ 2,000 લોકોના મોત થયા છે, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને સામાન્ય પ્રદર્શનકારીઓ બંનેનો સમાવેશ થાય છે. આ પહેલીવાર છે જ્યારે ઈરાનની સત્તાવાળાઓએ આ ઊંચા મૃત્યુઆંકનો સત્તાવાર સ્વીકાર કર્યો છે. સત્તાવાળાઓના નિવેદન રોઇટર્સ સાથે વાત કરતાં ઈરાનના અધિકારીઓએ જણાવ્યું કે જેમને તેમણે આતંકવાદી ગણાવ્યા હતા, તેઓ વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ બંનેના મોત માટે જવાબદાર છે. અધિકારીઓએ હજુ સુધી વિશિષ્ટ વ્યક્તિઓ વિશે ખુલાસો કર્યો નથી. ઈરાનમાં અશાંતિ અને આર્થિક પૃષ્ઠભૂમિ અશાંતિના મૂળમાં ઈરાનની નબળી આર્થિક સ્થિતિ છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર માટે સૌથી મોટો આંતરિક પડકાર બની છે. ગઈકાલના ઇઝરાયલી અને યુએસ હુમલાઓ પછી પણ આ દબાણ વધ્યું છે. બેવડું ધોરણ અને કડક કાર્યવાહી 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તામાં…

“ઈરાન તાત્કાલિક છોડી દો” – હુમલાની આશંકા વચ્ચે અમેરિકાએ તેના નાગરિકોને લઇ જાહેર કરી એડવાઈઝરી

ઈરાનમાં વધી રહેલી અસ્થિરતા, હિંસક જનઆંદોલન અને સંભવિત યુદ્ધના ભય વચ્ચે અમેરિકાએ તેના નાગરિકો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. અમેરિકી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા તમામ અમેરિકી નાગરિકોએ કોઈપણ વિલંબ કર્યા વગર દેશ છોડવો જોઈએ. પરિસ્થિતિ ઝડપથી બગડી રહી હોવાથી કોઈપણ પ્રકારની મદદ મળી શકે તેની ખાતરી નથી, તેમ એડવાઈઝરીમાં જણાવાયું છે. પ્રચંડ જનઆક્રોશ અને હિંસક સ્થિતિ ડિસેમ્બર 2025થી ઈરાનમાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનોએ હવે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. દેશના 31 પ્રાંતોમાં આર્થિક કટોકટી, બેરોજગારી અને રાજકીય અસંતોષને કારણે લોકો રસ્તા પર ઉતર્યા છે. પ્રદર્શનકારીઓ સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના શાસન સામે ખુલ્લેઆમ નારા લગાવી રહ્યા છે. સુરક્ષા દળોની કડક કાર્યવાહી દરમિયાન સેંકડો લોકોના મોતના અહેવાલો સામે આવ્યા છે.…

ભારતે ઈરાન માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, ભારતીયોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ

વૈશ્વિક સ્તરે વધતી તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઈરાન માટે મહત્વપૂર્ણ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાનમાં રહેલા ભારતીય નાગરિકો અને ત્યાં તેમના પરિવારજનો તથા ઓળખીતાઓએ વિશેષ સાવધાની રાખવી જોઈએ. તેમને વિરોધ પ્રદર્શનવાળા વિસ્તારોમાંથી દૂર રહેવા, સ્થાનિક પરિસ્થિતિ અંગે સચેત રહેવા અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસની વેબસાઇટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મળતી માહિતી પર સતત નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. ઈરાનમાં રહેલા ભારતીયો માટે ખાસ સૂચનાઓ ઈરાનમાં લાંબા ગાળાના વિઝા પર રહેતા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓએ હજી સુધી ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવી ન હોય, તો તરત નોંધણી કરાવે, જેથી…

ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી

વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે કે કોઈપણ અણધારી પરિસ્થિતિ માટે દેશ તૈયારીને ઝડપથી મજબૂત બનાવી રહ્યો છે. જૂનમાં થયેલા 12 દિવસના ઈઝરાયલ–ઈરાન યુદ્ધ પછી ઈરાન ખુલ્લેઆમ રાષ્ટ્રીય સુરક્ષા માળખાને વિસ્તૃત કરી રહ્યું છે. તે જ સંઘર્ષ દરમિયાન ઈમરજન્સી ચેતવણી વ્યવસ્થામાં દેખાયેલ કેટલીક ખામીઓ બાદ સરકારે ચેતવણી સિસ્ટમને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો હતો. અમેરિકાના ઈરાનના પરમાણુ સ્થળો પર થયેલા હુમલાઓએ પણ સરકારને વિશ્વાસ અપાવ્યો કે ભવિષ્યમાં ઝડપી અને વિશ્વસનીય ચેતવણી પ્રણાલી અનિવાર્ય છે. કોઈ એપ વગર સીધો ફોન સ્ક્રીન પર એલર્ટ સવારે 10 થી બપોરે 12 વાગ્યા વચ્ચે ખાનગી મોબાઇલ વપરાશકર્તાઓને “કટોકટી…