અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…

અલ-ફલાહ યુનિવર્સિટી સામે સરકારની મોટી કાર્યવાહી: સભ્યપદ રદ, તપાસ એજન્સીઓ સક્રિય

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા તાજેતરના આતંકવાદી હુમલા બાદ તપાસ એજન્સીઓની કાર્યવાહી સતત તેજ બની રહી છે. આ કડીમાં હરિયાણાના ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી સામે કેન્દ્ર અને રાજ્ય સ્તરે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારતીય યુનિયન્સ (AIU) એ અલ-ફલાહ યુનિવર્સિટીને આપેલું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી AIUનો લોગો અને નામ પોતાના તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ડોકટરોની અટકાયત અને તપાસ તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં યુનિવર્સિટી સાથે સંકળાયેલા અનેક ડોકટરોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ સુધી ચાર ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે – ડૉ. ઉમર ઉન નબી – ડૉ. શાહિદ – ડૉ. નિસાર-ઉલ-હસન – ડૉ. મુઝમ્મિલ આ તમામ ડોકટરો…

Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસ માટે NIA (National Investigation Agency), ED (Enforcement Directorate) અને અન્ય નાણાકીય તપાસ એજન્સીઓને એક સાથે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અલ-ફલાહ યુનિવર્સિટીની ફોરેન્સિક તપાસ પણ થશે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીની સંપૂર્ણ ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. એ ઉપરાંત, ED અને અન્ય એજન્સીઓ યુનિવર્સિટી સાથે જોડાયેલા એક ડૉક્ટરના નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરશે. આ તપાસમાં ભંડોળના સ્ત્રોતો, મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ફંડિંગના દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 10 નવેમ્બરના વિસ્ફોટથી સમગ્ર દેશ હચમચી ગયો 10 નવેમ્બરનાં રોજ…

દિલ્હી બ્લાસ્ટના તાર પુલવામા સુધી પહોંચ્યા : કાર પુલવામાના તારીકને વેચાઇ હોવાનું ખુલાસો, જાણો વિગત

દિલ્હી લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર વિસ્ફોટ પછી સુરક્ષા એજન્સીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરંભિક માહિતી અનુસાર, વિસ્ફોટમાં ઉપયોગમાં આવેલ i-20 કાર ઘણી વાર ખરીદવામાં અને વેચવામાં આવી હતી અને છેલ્લે તે પુલવામાના તારીક નામના શખ્સને વેચાઈ હોવાનું સામે આવ્યું છે. વિગતવાર તપાસ અને તપાસમાં મળેલ માહિતી પુલવામામાં રહેતા તારીકને આ કાર વેચાઈ હોવાનો ખુલાસો થતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. તપાસ મુજબ, ફરિદાબાદમાં આવેલ રોયલ કાર ઝોનમાંથી કાર તારીકને આપવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા હરિયાણાના સલમાન નામના શખ્સની અટકાયત કરી હતી, જે આ i-20 કારનો માલિક હોવાનું બહાર આવ્યું હતું. સલમાનની પૂછપરછમાં એ જાણવા મળ્યું કે કાર બોગસ દસ્તાવેજો વડે ઘણી વખત ખરીદવામાં અને વેચવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ…

વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી પર DRIની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિક સહિત 4ની ધરપકડ

વલસાડ જિલ્લાના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા, અશોક પીઠારીયા અને બે વર્કર સહિત કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRI દ્વારા ફેક્ટરીમાંથી 114 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેના બજાર મૂલ્યનો અંદાજ રૂ. 20 કરોડથી વધુનો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી વધુ સમયથી આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા. DRIએ આરોપીઓને કસ્ટડીમાં લઈને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ફેક્ટરીના સપ્લાય નેટવર્ક સહિત વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર દવા ઉત્પાદનના નેટવર્ક અંગે અનેક નવી વિગતો બહાર આવવાની સંભાવના છે.…

અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો. યુવકની હકીકત સામે આવતા મહીલાઓએ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ તપાસમાં થયો ખુલાસો:- શાહિબાગ પોલીસની તપાસમાં સિવિલ હોસ્પિટલના વાયરલ થયેલ વિડિયોને લઇને નવો વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં યુવક કેમ આવું વર્તન કરતો હોવાની સમગ્ર હકીકત સામે આવી. યુવક માનસિક અસ્થિર હોવાના કારણે જાતે જ કપડા કાઢી નાખી નગ્ન થયો હતો. યુવકના પરિચિત એક શખ્સે યુવકમાં થયેલ આ બદલાવનું કારણ આપ્તા જણાવ્યું કે બાળક જન્મતાની સાથે જ 3 વખત મૃત્યુ પામ્યા હોવાથી તે ભાંગી પડ્યો. ત્રણ-ત્રણ વખત સંતાન ગુમાવતા યુવકની…

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…

અમદાવાદમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત થયા હતા. ત્યારે ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. –> વિક્રમસિંહ ઝાલાનું બાઇકચાલકની અડફેટે મોત:- નિકોલમાં રહેતા 64 વર્ષીય વિક્રમસિંહ ઝાલા નિવૃત જીવન ગુજારતા હતા. સોમવારે વહેલી સવારે તેઓ ઘરેથી વોકિંગ કરવા નીકળ્યા હતા. ત્યારે તેઓ ચાલતા ચાલતા તેઓ બાપુનગર બીઆરટીએસ એપ્રોચ પાસે પહોચ્યા તે સમયે રેલિંગની અંદર ચાલતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલ અજાણ્યા બાઇકચાલકે તેમને અડફેટે લેતા ફ્ંગોળાઇને જમીન પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકોએ તેમને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર…

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી…