મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ, 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા
ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રિના પાવન અવસરે ભવનાથ ખાતે યોજાયેલ ભવ્ય મેળાની વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. મહાશિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે પાંચ દિવસીય મેળો સંપન્ન થયો. કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ખુદ ભગવાન શિવ સાધુ સ્વરૂપે અહીં હાજરી આપે છે. આ માન્યતાને પગલે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અંદાજે 5 દિવસમાં 25 લાખથી વધુ ભાવિકોએ મેળાની મુલાકાત લીધી હતી. રવેડીમાં નાગા સાધુઓના અવનવા કરતબ મહાશિવરાત્રિની રાત્રે ભવનાથમાં ભવ્ય રવેડી નીકળી હતી. વિવિધ અખાડાના નાગા સાધુઓ રવેડીમાં સામેલ થયા હતા. હર હર મહાદેવના ગગનભેદી નાદ વચ્ચે નાગા સાધુઓએ અવનવા કરતબ રજૂ કર્યા હતા. રસ્તાની બંને બાજુ બપોરથી જ ભાવિકો ગોઠવાઈ ગયા હતા અને સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિદેશી…
પ્રયાગરાજમાં આસ્થાનું મહાકુંભ: આવતીકાલથી સંગમ તટે ‘માઘ મેળો 2026’નો ભવ્ય પ્રારંભ
ઉત્તર પ્રદેશના પવિત્ર તીર્થસ્થાન પ્રયાગરાજમાં આવતીકાલથી આસ્થાના મહાપર્વ માઘ મેળો 2026નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે પોષ પૂર્ણિમા (3 જાન્યુઆરી)ના રોજ વર્ષનું પ્રથમ શાહી સ્નાન યોજાશે. આગામી 44 દિવસ સુધી લાખો ભક્તો અહીં મુક્તિની ડૂબકી લગાવશે. માઘ મેળો માત્ર ધાર્મિક મેળો નહીં પરંતુ હિન્દુ સંસ્કૃતિમાં આત્મશુદ્ધિ, તપસ્યા અને મોક્ષ પ્રાપ્તિનું સૌથી પવિત્ર કેન્દ્ર માનવામાં આવે છે. 44 દિવસનો મહાપર્વ, કલ્પવાસની શરૂઆત માઘ મેળો 2026 3 જાન્યુઆરીથી શરૂ થઈને 15 ફેબ્રુઆરી (મહાશિવરાત્રી) સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ કડકડતી ઠંડીમાં સંગમ તટે રેતી પર રહીને કલ્પવાસ કરશે. ભક્તો દિવસમાં ત્રણ વખત સંગમમાં સ્નાન કરી જપ-તપ અને દાન પુણ્ય કરશે. આ છ પવિત્ર સ્નાન તિથિઓનું વિશેષ મહત્વ માઘ મેળામાં કુલ…








