ફરી પાકિસ્તાનને પાડ્યુ ખુલ્લુ, પ્રેસ કોન્ફરન્સ સોફિયા કુરેશીએ જાણો શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવ વચ્ચે, બંને દેશો હવે યુદ્ધવિરામ પર સંમત થયા છે. આ દરમિયાન, ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જવાબદારીપૂર્વક કામ કર્યું. સેનાએ કહ્યું કે અમારા હુમલાથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. સેના વતી, કમાન્ડર રઘુ આર નાયર, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી. પ્રેસ કોન્ફરન્સમાં, સેનાએ પાડોશી દેશની દરેક નાપાક ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, “પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે તેના JF 17 વડે અમારા S400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડ્યું છે, જે સંપૂર્ણપણે ખોટું છે. બીજું, તેણે એક ખોટી માહિતી પણ ચલાવી હતી કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભૂજમાં અમારા…







