આસામના પૂરપીડિતો માટે નીતા અંબાણીની મોટી જાહેરાત: ₹21 કરોડનું દાન, 50 હજારથી વધુ લોકોને સહાય પહોંચાડવાનો સંકલ્પ
આસામમાં વિનાશક પૂરના કારણે હજારો પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે હજારો લોકોને રાહત કેમ્પોમાં આશરો લેવો પડ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં આસામના પૂરપીડિતોની મદદ માટે મુખ્યમંત્રી રાહત કોષમાં ₹21 કરોડનું દાન આપવાની જાહેરાત કરી છે. આસામમાં નીતા અંબાણીએ જણાવ્યું કે આસામના લોકો આ મુશ્કેલ સમયમાં એકલા નથી. તેમણે કહ્યું, “અમારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ આસામના દરેક પરિવાર સાથે છે. આ વિનાશક પૂરે અનેક પરિવારોને અસર કરી છે અને તેમનું દુઃખ અમને સ્પર્શી ગયું છે. રિલાયન્સ પરિવાર હંમેશા તેમની સાથે ઊભો રહેશે.” આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વ્યક્ત કર્યો આભાર…
કેનેડામાં ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવરે દેખાડ્યો માનવતાનો અનોખો દાખલો, જાણો વિગત
કેનેડાના કેલગરી શહેરમાં એક માનવતાભર્યો અને અવિસ્મરણીય બનાવ સામે આવ્યો છે. ભારતીય મૂળના ટેક્સી ડ્રાઈવર હરદીપ સિંહ તૂરે પોતાની સમજદારી અને હિંમતથી ગર્ભવતી મહિલા અને તેના બાળકના જીવનને સુરક્ષિત બનાવ્યું. તાત્કાલિક કોલ મળતાં જ દંપતીને હોસ્પિટલ લઈ ગયા એક રાત્રે હરદીપ સિંહ તૂરને તાત્કાલિક કોલ મળ્યો હતો, જેમાં એક દંપતીને હોસ્પિટલ પહોંચાડવાની જરૂર હતી. કોઈ પણ વિલંબ કર્યા વગર હરદીપ પોતાની ટેક્સી લઈને દંપતીને લેવા પહોંચ્યા અને તરત જ હોસ્પિટલ તરફ રવાના થયા. રસ્તામાં જ શરૂ થઈ પ્રસવ પીડા રસ્તામાં જ ગર્ભવતી મહિલાને ભારે પ્રસવ પીડા શરૂ થઈ. સ્થિતિ અત્યંત નાજુક હતી. સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે, પરંતુ ખરાબ હવામાન અને સમયની તાકીદને કારણે હરદીપે ટેક્સીને જ સૌથી ઝડપી અને સુરક્ષિત વિકલ્પ માન્યો. ટેક્સીની પાછળની…








