રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને લગભગ બે જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવી છે. આ તમામ મંત્રીઓને જે ફાળવવામાં આવ્યા હતા તે જિલ્લાઓ યથાવત રાખવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર તથા અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ લિસ્ટ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…

ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામે કરી લાલ આંખ, 15 દિવસમાં જ ઉકેલ્યા આટલા કેસ

સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ…

સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર સામે પોલીસ તંત્રએ કરી લાલ આંખ, 14 સામે FIR દાખલ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી પોસ્ટ કરનાર 14 વ્યક્તિઓ સામે ગુજરાત પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી દેશવિરોધી અને વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સાથે, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી, અફવાઓ કે સૈન્યની સુરક્ષાને જોખમમાં મૂકનારી પોસ્ટનું નિરીક્ષણ કરી, તાત્કાલિક ગુનો દાખલ કરવા અને આવા તત્વો સામે ત્વરિત કડક કાર્યવાહી કરવા રાજ્યની પોલીસને આદેશ આપ્યા હતા. ગુજરાત પોલીસની ઇન્ટેલિજન્સ શાખા અને સોશિયલ મીડિયા મોનિટરિંગ યુનિટ દ્વારા આવી પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં…

સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડનારની ખેર નથી… કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની સૂચના

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે,. આ દરમિયાન ગુજરાતમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં સેનાનું મનોબળ તોડવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના તમામ મહાનગરોના પોલીસ કમિશનર, રેન્જ વડા, જિલ્લા પોલીસ વડા સહિત સાયબર ક્રાઇમના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશ વિરોધી તેમજ સેનાનું મનોબળ તુટે તે પ્રકારના લખાણો પોસ્ટ કરનાર લોકો સામે…

ગાંધીનગર: સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે હર્ષ સંઘવીએ બોલાવી મહત્વની બેઠક, જાણો રાજ્યની શું છે સ્થિતિ

ભારત પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓ હાઇ એલર્ટ પર છે. આ દરમિયાન પાકિસ્તાને ભુજ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ હજુ પણ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હુલો કરે તેવી સંભાવનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મહત્વની બેઠક બોલાવી છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી ,મહેસુલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ હાજર રહ્યા હતા. ભારતે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડયા છે. અને પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા છે જેને લઈને રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. આ સાથે જ્યારે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના ધાર્મિક સ્થળો એવા સોમનાથ, શક્તિ…

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મોકડ્રીલ અંગે આપી વિસ્તૃત જાણકારી, જાણો કાલે ક્યારે થશે બ્લેકઆઉટ

ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા તા.7 મે ના રોજ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઈને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સામાન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે…

પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’ यह डर अच्छा है!! Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear. — Harsh Sanghavi (@sanghaviharsh) April 27,…

NARMADA NEWS : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી નર્મદા પરિક્રમા

મણીનાગેશ્વર મંદિર ખાતે દર્શન કર્યા નર્મદા પરિક્રમામાં ભાગ લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તમામ તૈયારી કરાઇ રિપોર્ટર :- રાજેશ ચૌહાણ

Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી

ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રી સમક્ષ રજૂઆત જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી.…

અમદાવાદ: મેટ્રિમોનિયલ સાઇટ પર લગ્નના બહાને એક મહિલા સાથે ૧૩.૨૦ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ

B INDIA વેજલપુર:- પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.     અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારની રહેવાસી 31 વર્ષીય મહિલાએ Shaadi.com પર લગ્ન માટે અમેરિકામાં રહેતા હોવાનો દાવો કરતા એક યુવકની પ્રોફાઇલ પસંદ કરી. તેથી, તેના વિશ્વાસનો લાભ લઈને, યુવકે છોકરી સાથે છેતરપિંડી કરી અને અલગ અલગ કારણો આપીને તેની પાસેથી ૧૩.૨૦ લાખ રૂપિયા પડાવી લીધા. વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.     –:તેના જન્મદિવસ પર ઓનલાઈન સાઈટ પરથી ફૂલો મોકલીને, છોકરીનો વિશ્વાસ મેળવ્યો:–   શહેરના જુહાપુરા મકતમપુરા વિસ્તારની રહેવાસી 31 વર્ષીય યુવતી તેના માતાપિતા સાથે રહે છે અને ઘરેથી એક વિદેશી કંપનીમાં કામ કરે છે. તેણીએ Shaadi.com પર લગ્ન માટે એક પ્રોફાઇલ બનાવી હતી અને પોતાના માટે એક…