શું તમારા લગ્ન કાયદેસર છે? જાણો ગુજરાત હાઈકોર્ટે સપ્તપદી વિશે શું કરી મોટી ટિપ્પણી?
ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો: માત્ર મેરેજ સર્ટિફિકેટથી હિન્દુ લગ્ન સિદ્ધ થતા નથી, ‘સાત ફેરા’ અને વિધિ અનિવાર્ય! ગુજરાત હાઈકોર્ટે હિન્દુ લગ્ન પરંપરાઓ અને તેની કાયદાકીય માન્યતા અંગે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નને કાયદેસર ગણાવવા માટે માત્ર મેરેજ સર્ટિફિકેટ (લગ્નનું પ્રમાણપત્ર) હોવું પૂરતું નથી. જો લગ્ન સમયે હિન્દુ ધાર્મિક વિધિઓ, ખાસ કરીને ‘સાત ફેરા’ અને ‘સપ્તપદી’ જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું ન હોય, તો તે લગ્નને કાયદાની નજરમાં અમાન્ય ગણવામાં આવશે. શું હતો સમગ્ર મામલો? આ કેસમાં એક દંપતીએ લગ્નનું પ્રમાણપત્ર મેળવી લીધું હતું, પરંતુ પાછળથી લગ્નની માન્યતાને લઈને વિવાદ ઉભો થયો હતો. કેસની સુનાવણી દરમિયાન એ વાત સામે આવી હતી કે, દંપતીએ સર્ટિફિકેટ તો મેળવી…







