જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો શુભારંભ
મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. (મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય) દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-સહ-વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો. મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ ચીજવસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા. ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’ના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમ.ડી. પી. એ.નિનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ‘મહિલા…








