NIAના 5 રાજ્યોમાં દરોડા, જાણો શું છે મામલો

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગુરુવારે અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરાના સંદર્ભમાં પાંચ રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અલ કાયદા ગુજરાત આતંકવાદી કાવતરામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ સામેલ હોવાની શંકા છે. NIA એ પાંચ રાજ્યોમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIA ટીમોએ બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમના સહયોગીઓ સાથે જોડાયેલા સ્થળોની તપાસ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ કેસ 2023 માં નોંધવામાં આવ્યો હતો અને તેમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો – મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ અને અબ્દુલ લતીફના નામ છે. આરોપીઓ નકલી ભારતીય ઓળખ દસ્તાવેજોનો…

જામનગરમાં પણ અમદાવાદ જેવો ખ્યાતિ ખાંડ ? આ હોસ્પિટલ પર સરકારે કરી કાર્યવાહી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા…

બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને 140થી 167 બેઠક મળવાની સંભાવાના મહાગઠબંધનને 70થી 103 બેઠકો મળવાની શક્યતા જન સૂરજ પાર્ટીને 0થી 5 બેઠક મળવાની શક્યયતા 243 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 122 બેઠકો જરૂરી

હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત

આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો…

ખેડૂતો મામલે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠક લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી એ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ,…

સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર ફરશે દાદાનું બુલડોઝર ! જાણો શું કહ્યું હર્ષ સંઘવીએ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કડક આદેશોથી રાજ્યભરમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં ગઈકાલે તંત્ર દ્વારા મોટા પાયે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સરકારી જગ્યાઓ પર ઊભા કરી દેવાયેલા તમામ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કુલ 12 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ દબાણોમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.આ…

મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી સરસણની યુ. આર. પટેલ વિદ્યાલય ખાતે યોજાયો. કાર્યક્રમની અધ્યક્ષતા સંતરામપુર APMC ચેરમેન શાંતિલાલ એચ. પટેલ એ કરી. વિશિષ્ટ મહેમાનોમાં મોટી સરસણ ગામના સરપંચ સુખાભાઈ બામણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ મતી હીરાબેન પટેલ, તથા જિલ્લા નોડલ અધિકારી ધર્મેન્દ્રકુમાર ભમાત સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત નૃત્ય રજૂ કરી સૌનું મન મોહી લીધું. બાદમાં મહેમાનોનું સાલ-પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું. રાકેશભાઈ આર. પટેલ (શારદા વિદ્યાલય, કાળીબેલ) એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું, જ્યારે નિરક્ષર નાગરિકોને…

રાજ્ય સરકારે પ્રભારી મંત્રીઓની કરી જાહેરાત, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન હવે મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓની ફાળવણી કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓને લગભગ બે જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી આ ઉપરાંત 6 જેટલા મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના જૂના મંત્રીઓ કે જેમને રિપીટ કરવામાં આવી છે. આ તમામ મંત્રીઓને જે ફાળવવામાં આવ્યા હતા તે જિલ્લાઓ યથાવત રાખવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર તથા અને વડોદરાના પ્રભારી મંત્રી તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જુઓ સંપૂર્ણ લિસ્ટ   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india…

મહેસૂલ વિભાગમાં બદલીઓ, 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તાજા આદેશ જાહેર કરતાં વધુ એક મોટો ફેરફાર કર્યો છે. આ આદેશ અંતર્ગત કુલ 15 ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. બદલી થયેલા અધિકારીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી અને તાપી જિલ્લાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાર્જ સંભાળવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સરકારના આદેશ મુજબ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ તથા ચૂંટણી વિભાગ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નવા અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આર.બી. ગઢવી અને એચ.જે. સોલંકીને બઢતી આ આદેશ અંતર્ગત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે તથા એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં…

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ, BBPS દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ

રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના નેતૃત્વમાં અને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફત ભરી શકતા હતા. હવે આ સુવિધામાં…