“વૃક્ષો વાવો, જીવન બચાવો: ચોમાસામાં વનીકરણનો ધમધમાટ!”

હરિયાળું ગુજરાત: ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણનો મહાઅભિયાન, વનીકરણ પર વિશેષ ભાર ગાંધીનગર: ચોમાસાની ઋતુનું આગમન થતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજ્ય સરકાર, વન વિભાગ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ‘વનીકરણ’ને એક જન આંદોલન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને વેગ આપવા માટે રાજ્યભરમાં લાખો રોપાઓ વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. વૃક્ષારોપણ માટે ચોમાસું જ શા માટે શ્રેષ્ઠ? નિષ્ણાતો અને પર્યાવરણવિદોના મતે, વૃક્ષારોપણ માટે ચોમાસું સૌથી આદર્શ સમય છે. આ ઋતુમાં મળતા કુદરતી વરસાદી પાણીથી રોપાઓના મૂળ જમીનમાં ઊંડે સુધી મજબૂત બને છે, જેનાથી છોડના જીવિત રહેવાની શક્યતા અનેકગણી વધી જાય છે. આ કુદરતી સિંચાઈને કારણે રોપાઓને દરરોજ…