પોરબંદરના ધરમપુર નજીક આવેલા નેશ વિસ્તારમાં ભારતીય નૌસેનાનું એક અનઆર્મ્ડ અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ભારતીય નૌસેનાના અધિકારીઓ, પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ક્રેશ થયેલા UAVના અવશેષોને સુરક્ષિત રીતે કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
નૌસેનાએ UAV ક્રેશ થવાના કારણોની તપાસ શરૂ કરી છે. ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણસર આ ઘટના બની છે કે નહીં, તે અંગે નિષ્ણાતોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોકે, સુરક્ષા દળોએ લોકોને સુરક્ષિત અંતરે રાખીને સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ તપાસની કાર્યવાહી આગળ વધારી છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





