ઇઝરાયલી દળોએ લીધો આતંકવાદી હુમલાનો બદલો, ગાઝામાં મચાવી તબાહી
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ ભારે ગોળીબાર કર્યો છે. બુધવાર બપોર સુધી ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. દરમિયાન, ઇઝરાયલે કહ્યું છે કે હુમલા ચાલુ રહેશે. સેનાએ કહ્યું કે આ ઇઝરાયલી સૈનિકો પર આતંકવાદી હુમલાનો જવાબ છે. આતંકવાદી હુમલામાં એક ઇઝરાયલી સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગાઝાની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે, જેમાં 5 મહિનાનું બાળક અને 10 દિવસનું બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં સાત મહિલાઓ અને એક પેરામેડિક પણ સામેલ છે. 10 ઓક્ટોબર, 2025 ના રોજ હમાસ સાથે યુદ્ધવિરામ થયા પછી ઇઝરાયલી સૈન્યએ અસંખ્ય હુમલાઓ કર્યા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…
ટ્રમ્પે પીએમ મોદીને ગાઝા શાંતિ બોર્ડમાં જોડાવાનું આમંત્રણ આપ્યું, જાણો વિગત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસ’માં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ બોર્ડનો હેતુ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા, પુનઃનિર્માણ કાર્ય આગળ વધારવા અને નવા શાસન વ્યવસ્થાનું સેટઅપ સુનિશ્ચિત કરવાનું છે. બોર્ડનું આયોજન ટ્રમ્પની 20 પોઈન્ટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારમુક્ત કરવું, ત્યાં માનવતાવાદી સહાય પહોંચાડવી, તબાહ થયેલા માળખાનું પુનઃનિર્માણ કરવું અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવું છે. આ કાર્યની દેખરેખ NCAG (નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા) દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ અધિકારી અલી શાથ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ બોર્ડ અત્યાર સુધીનું સૌથી પ્રતિષ્ઠિત અને મહાન બોર્ડ છે. બોર્ડની કાર્યકારી…
ગાઝામાં શાંતિ સ્થાપવા પાકિસ્તાની સૈનિકો જશે? અમેરિકાએ કહ્યું ‘પાકિસ્તાનનો ખૂબ આભાર’
ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કવાયત શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત International Stabilization Forceમાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવવા તૈયાર હોવાનું સંકેત મળ્યું છે. આ મુદ્દે અમેરિકી અધિકારીઓએ જાહેર રીતે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જણાવાય છે. અમેરિકાના એક ઉચ્ચ સ્તરીય નિવેદન અનુસાર, ગાઝામાં યુદ્ધવિરામ બાદ સ્થિરતા જાળવવા માટે એવા દેશોની જરૂર છે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય. આ સંદર્ભમાં પાકિસ્તાનનું નામ મહત્વપૂર્ણ રીતે સામે આવ્યું છે. ટ્રમ્પની ‘બોર્ડ ઓફ પીસ’ યોજના શું છે? અહેવાલો મુજબ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ ગાઝામાં યુદ્ધ બાદની સ્થિતિ સંભાળવા માટે ‘બોર્ડ ઓફ પીસ’ નામની એક સંભવિત વ્યવસ્થા પર વિચાર કરી રહી છે. આ યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય શાંતિ દળ બનાવવાનો…
અમેરિકાએ હુથીઓ પર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, 20 લોકોના મોત
અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો છે. અમેરિકા દ્વારા તાજેતરના હુમલાઓ હુથીઓના કબજા હેઠળના રાસ એસા તેલ બંદર પર કરવામાં આવ્યા છે. અમેરિકાના હવાઈ હુમલામાં 20 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. હુથી બળવાખોરોએ આ હુમલાની માહિતી આપી છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ, અમેરિકન સેના 15 માર્ચથી હુથી બળવાખોરો સામે ઝડપી હુમલાઓ કરી રહી છે. અમેરિકન સેના દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં માર્યા ગયેલા લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. હુથી બળવાખોરોની ન્યૂઝ ચેનલે હુમલા પછીની ઘટનાના ગ્રાફિક ફૂટેજ પ્રસારિત કર્યા હતા, જેમાં ઘટનાસ્થળે મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા. આ પણ વાંચો: અમેરિકા અને ચીન…
ઇઝરાયલે ગાઝામાં ઉગ્ર કાર્યવાહી કરી, ‘મોરાગ કોરિડોર’ દ્વારા નવી લશ્કરી વ્યૂહરચના કરી જાહેર
ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સતત તીવ્ર બની રહી છે. ઇઝરાયલી સૈન્યએ હવે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ‘મોરાગ કોરિડોર’ નામની નવી વિભાજન રેખા બનાવવાનો દાવો કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર, ગાઝાનો લગભગ એક તૃતીયાંશ ભાગ હવે ઇઝરાયલી લશ્કરી નિયંત્રણ હેઠળ છે. ગાઝાના મુખ્ય વિસ્તારો પર ઇઝરાયલી કબજો:- ઇઝરાયલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેણે ગાઝાના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારો અને માર્ગો પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું છે. ‘મોરાગ કોરિડોર’ રફાહ અને ખાન યુનિસ વચ્ચે બનાવવામાં આવ્યો છે, જે આ વિસ્તારોને મધ્ય ગાઝાથી અલગ કરે છે. આ ઉપરાંત, ‘નેત્ઝારિમ કોરિડોર’ નામનો બીજો લશ્કરી બફર ઝોન પણ બનાવવામાં આવ્યો છે, જે ગાઝા શહેરને ઉત્તરીય ભાગથી કાપી નાખે છે. ગાઝામાં ભારે વિનાશ, ખાન યુનિસ તબાહ:- સિન્હુઆ ન્યૂઝ એજન્સી દ્વારા…
ફરીએકવાર ઇઝરાયેલનો ગાઝાપટ્ટી પર બોંબમારો, 44 લોકોના મોત
ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્ફોટો સંભળાયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના મતે, ૧૯ જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ લંબાવવાની વાટાઘાટો અટકી પડી છે. ૧૯ જાન્યુઆરીના રોજ સંમત થયેલા ત્રણ તબક્કાના યુદ્ધવિરામને કેવી રીતે જાળવી રાખવો તે અંગે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મતભેદ છે. છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી વાટાઘાટોમાં યુએસ અને આરબ મધ્યસ્થી બંને પક્ષોને યુદ્ધવિરામ માટે સંમત થવા માટે સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેણે ગાઝામાં હમાસના…
ઇઝરાયેલની ચિંતા વધારતા સમાચાર, હમાસે નવા લડવૈયાઓની કરી ભરતી
ઓક્ટોબર 2023 થી ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં પેલેસ્ટિનિયન જૂથ હમાસને તાજેતરના સમયમાં ઘણું નુકસાન થયું છે. તાજેતરના મહિનાઓમાં તેના મોટા ભાગના ટોચના નેતાઓ અને કમાન્ડર માર્યા ગયા છે. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતોએ હાલમાં જ હમાસના વિનાશનો દાવો શરૂ કર્યો હતો, પરંતુ આ જૂથે ફરી એકવાર જોરદાર વાપસી કરી છે. ઈઝરાયેલની વેબસાઈટ જેરુસલેમ પોસ્ટ અને ચેનલ 12એ પોતાના અહેવાલોમાં જણાવ્યું છે કે હમાસ નવા લડવૈયાઓની ભરતી કરીને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી આર્મી (આઈડીએફ) સામે જોરદાર વાપસી કરી રહ્યું છે. આ અહેવાલ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી શકે છે.ચેનલ 12એ બુધવારે રાત્રે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે હમાસ પાસે હજુ પણ 20,000 થી 23,000 લડવૈયા છે. આઈડીએફનો દાવો છે કે…














