ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના 4 લોકોનું ઈરાનમાં અપહરણ, 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે. માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા. તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને…
ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ત્રણ વખત હુમલાઓની ઘટના બની છે અને મોદીજીએ ત્રણેય આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. આજે અમિત શાહન ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસ છે. જેમાં ગાંધીનગરમાં અમિત શાહે કહ્યું કે ભારતના હુમલાથી પાકિસ્તાન ડરી ગયું છે. ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનના લોકોને કોઈ નુકસાન નથી થયું. અમે પાકિસ્તાનના એરબેઝનો નાશ કર્યો. આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા. આજે પાકિસ્તાન ભારતથી ડરે છે. અમિત શાહે વધુમાં કહ્યું કે અમે 9 એવા સ્થળોનો નાશ કર્યો જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હતી અને તેમના ઠેકાણા હતા. આપણી…
Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર…
Gandhinagar : ગાંધીનગરમાં લાંચિયા અધિકારી સકંજામાં, RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી ઝડપ્યા અધિકારી
ગાંધીનગરમાં લાંચિયા અધિકારી ફરી ACBનાં સકંજામાં આવી ગયા છે. ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા છે. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે.RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે. આ પણ વાચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો ACBને ગાંધીનગરની RTO કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની મળેલ અનેક ફરિયાદ બાદ છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોની ફરિયાદ છે કે, અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે…
Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”
ગુજરાત વિધાનસભાના આજના સત્ર દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કડક અવતાર જોવા મળ્યો. ગૃહની શિસ્ત, ધારાસભ્યોનું વર્તન અને નિયમોનું પાલન ન થવાની બાબતે તેમણે ખુલ્લી ટકોર કરી. તેમણે નોંધ્યું કે, ઘણા ધારાસભ્યો ગૃહની પ્રક્રિયાઓથી અજાણ છે અને ગૃહની ગૌરવશાળી પરંપરાને યોગ્ય રીતે સંભાળવી જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે ઘણો સમય થયો હવે તમામને શીખવાડવાનું ન હોય. ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત ન કરે અને ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઇએ. આ ઉપરાંત અધ્યક્ષે મંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને ટકોર કરી હતી. ગૃહમાં અધિકારીઓને વિધાનસભાના અધ્યક્ષે માગણીઓ પરની ચર્ચા દરમિયાન અધિકારીઓ હાજર ન રહેતા ટકોર કરી હતી. અને સંબંધિત અધિકારીઓ હાજર ન હોય તો હાજર રહેવા સુચના અપાઈ હતી. મંત્રી કુંવરજી હળપતિ ગ્રામ…
Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા
ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403…
ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા
–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ GFGNL દ્વારા વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે અંદાજિત 25,000 ફાઇબર ટુ હોમ જોડાણ આપવામાં આવશે :- –> હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલિ) પહેલની શરૂઆત :- ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ થકી જનસુખાકારી અને ‘ઇઝ ઑફ લિવિંગ’ વધારવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. સમયની સાથે આ અભિયાન વધુ વિસ્તૃત થયું છે. આ અભિયાનને સાકાર કરવા માટે ગુજરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ડિજિટલની દિશામાં આગળ વધી રહ્યું…
સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ
–>ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે:- • સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું સીધું માર્ગદર્શન મળશે તેમજ તપાસમાં પણ ગુપ્તતા જળવાઇ રહેશે. B INDIA GUJARAT : રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામેની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે એક નવો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પોલીસ ભવન ખાતે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ને ઝીરો બજેટથી અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો આપી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાજ્યમાં અને રાજ્યની બહાર બનતાં ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને…
ગુજરાત પોલીસના 240 ASI ને PSIના પદ પર બઢતી આપવામાં આવી
B india ગાંધીનગર : ગુજરાત સરકારે આજે જાહેરાત કરી હતી કે, તેણે 240 આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI)ને 30મી ડિસેમ્બરના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ના હોદ્દા પર બઢતી આપી હતી, કારણ કે તેઓ વિભાગીય બઢતીની પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા. આ સાથે આ વર્ષે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)થી માંડીને કારકુની સ્ટાફ સહિત કુલ 6,770 કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારે પોતાના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, બઢતીથી કર્મચારીઓને માત્ર ઊર્જા મળે છે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે એટલું જ નહીં, પરંતુ તેમના પરિવારો પર પણ સકારાત્મક અસર પડે છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે પ્રમોશન માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ થાય તે માટે સક્રિય અભિગમ અપનાવ્યો છે. જેના કારણે 2024માં 6,770 પોલીસ કર્મચારીઓ અને…
ગુજરાત સરકારે રવિ સિઝન 2024-25 માટે ડિજિટલ પાક સર્વે શરૂ કર્યો
B ઈન્ડિયા ગાંધીનગર : ભારત સરકારે વર્ષ 2024-25થી દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વેની નવી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ખરીફ 2024-25 સિઝનનો ડિજિટલ ક્રોપ સર્વે 25 ઓક્ટોબરે પૂર્ણ થયો હતો. હવે રવિ સિઝનની શરૂઆત સાથે જ રાજ્યના 33 જિલ્લાના તમામ ખેતરો માટે રબી 2024-25 ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આજથી 15મી ડિસેમ્બરથી ગ્રામ્ય કક્ષાએ પસંદગી પામેલા સર્વેયર દ્વારા રાજ્યભરમાં 45 દિવસ સુધી ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના 33 જિલ્લાના 18,464 ગામોના તમામ ખેતીલાયક વિસ્તારોના એક કરોડથી વધુ સર્વે પ્લોટને આવરી લેવામાં આવશે. આ ડિજિટલ ક્રોપ સર્વેના કારણે અગાઉ મહેસૂલ વિભાગ પાણીપતટ્રેક સેમ્પલ નં.12ની નોંધણી કરી રહ્યું હતું, જે સંપૂર્ણ રીતે પૂર્ણ થતું ન હતું, જેને ડિજિટલ ક્રોપ…















