ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠન મજબૂત કરવાની કવાયત: 42 જિલ્લા-મહાનગર અને 7 મોરચાના પ્રભારીની નિમણૂક
ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ તેમજ 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’ ગાંધીનગર માંથી બહાર પડેલા નિમણૂક પત્રમાં વિવિધ વિસ્તારોના વરિષ્ઠ અને અનુભવી કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે કિરીટ પટેલની નિમણુંક કરવામાં આવી છે. સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરો ઉપરાંત તાપી, નર્મદા, પોરબંદર, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ નવા પ્રભારીઓ નિયુક્ત કરાયા છે. આ નિયુક્તિઓ પાછળ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહાત્મક ગોઠવણ કરવામાં આવી હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક પ્રભારીને પોતાના…
સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું
સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોની આંખો છલકાઈ ઉઠી હતી. સત્તાની ખુરશીનો રુઆબ ત્યજીને લોકોની વચ્ચે ‘ભઈલુ’ અને ‘સંગાથી’ બનીને રહેનારા આ અધિકારીની વિદાય એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ બની ગઈ હતી. સત્તા અને સંવેદનાનો અનોખો સંગમ મેહુલ કે. દવેએ તેમના કાર્યકાળ દરમિયાન સાબિત કરી દીધું કે જ્યારે સત્તા સંવેદના સાથે ભળે છે, ત્યારે વહીવટ માત્ર પ્રક્રિયા નથી રહેતો પણ એક ‘પરિવાર’ બની જાય છે. આંગણવાડીના ભૂલકાઓ માટે તેઓ ‘કલેક્ટર સાહેબ’ નહીં પણ વાર્તા કહેનારા ‘મોટા ભાઈ’ બનીને જમીન પર બેસી જતા. ખેડૂતોની વચ્ચે પલાઠી વાળીને બેસવું અને તેમની પીડા…
ગુજરાતમાં કુપોષણ મુદ્દે સરકારની કબૂલાત: 64.23% ગ્રાન્ટ વપરાઈ નહીં
ગુજરાતમાં બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકાઈ હોવા છતાં સ્થિતિ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું કે કુપોષિત બાળકો માટે ફાળવવામાં આવેલી કુલ ગ્રાન્ટમાંથી 64.23 ટકા રકમ ખર્ચવામાં આવી નથી. ₹1550 કરોડ ફાળવ્યા, પરંતુ ₹995.90 કરોડ બાકી વિધાનસભામાં ધારાસભ્યના સવાલના લેખિત જવાબમાં સરકારે માહિતી આપી કે વર્ષ 2025-26 માટે કુપોષણ નિવારણ માટે કુલ ₹1550 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાંથી માત્ર ₹554.42 કરોડનો જ વપરાશ થયો છે, જ્યારે ₹995.90 કરોડ જેટલી મોટી રકમ વપરાયા વિના જ રહી ગઈ છે. કુપોષણ મુદ્દે સરકાર પર પ્રશ્નચિહ્ન રાજ્યમાં કુપોષણ જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ફાળવાયેલાં નાણાંનો પૂરતો ઉપયોગ ન થવો પ્રશાસન પર સવાલ ઊભા કરે છે. નિષ્ણાતોનું માનવું…
ગાંધીનગરમાં યોજાયો સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ: સંસ્કૃતિનો જીવંત વારસો ગણાવી અધ્યક્ષ હિમાંજય પાલીવાલનું સંબોધન
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ કાર્યક્રમમાં રાજ્યની કુલ 223 સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ 476 શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ…
ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…
પોલીસને પડકાર ફેંકનાર સામે કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી
ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ, જેલ અને અન્ય માળખાકીય સુવિધાઓના બાંધકામ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. દહેગામ ખાતે બનનારી નવી જેલનું ખાતમુહૂર્ત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે દિવસ-રાત કામગીરી કરે છે અને સરકાર પણ પોલીસ પરિવારની સુખાકારી માટે પ્રતિબદ્ધ છે. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગ હેઠળ અંદાજે રૂ. 273 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. બજેટમાં આગામી પાંચ વર્ષમાં પોલીસ પરિવાર માટે 20,400 મકાનો બનાવવાની યોજના જાહેર કરવામાં આવી છે. “પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ” કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીએ કડક સંદેશ આપતા જણાવ્યું કે પોલીસને પડકાર ફેંકનારાઓ સામે કાયદેસર અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર…
અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’, ₹250 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની “મંથન બેઠક” યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા તેમજ સહકારી સંઘવાદને મજબૂત બનાવવાની દિશામાં આ મંથન બેઠક એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે, તેમ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. સહકાર ક્ષેત્રની મંથન બેઠક અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર…
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યોના સહકારી મંત્રીઓની ‘મંથન બેઠક’ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.…
ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે
તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કેરળના પ્રતિનિધિઓએ…
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા
Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ કામગીરી રાજ્યના તમામ મ.સ.ત.પ્રમ કોર્ટના આદેશ અને સંબંધી પત્રોના અમલને અનુરૂપ છે. મુખ્ય સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસ: સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરેમાં રહેલ પ્રાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. પ્રાણીઓની સુખાકારી માટે સંસ્થા દ્વારા નિયમિત દેખરેખ અને જરૂરી કામગીરી કરવી. કચેરીઓ અને સરકારી વિભાગો: પ્રાણી કલ્યાણને ધ્યાનમાં રાખીને મો.સ.પ્રીમ કોર્ટના 07/11/2025ના આદેશ અનુસાર કામગીરી કરવી. મધ્યમ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી ટીમો અને કર્મચારીઓ પ્રાણીઓની સલામતી અને સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરશે. જવાબદારી અને અમલ: રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ,…
















