બદલાપુર MIDCમાં પેસિફિક કેમિકલ કંપનીમાં ભીષણ બ્લાસ્ટ, અંધેરીમાં આગથી બેનાં મોત
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં રાત્રે 7 જાન્યુઆરીએ ભીષણ દુર્ઘટના ઘટી છે. ખરવાઈ MIDC સ્થિત પેસિફિક કેમિકલ કંપનીમાં સતત 8 થી 10 બ્લાસ્ટ થયા, જે એટલા ભયંકર હતા કે જ્વાળાઓ 2-3 કિમી દૂરથી જોઈ શકાતી હતી. સ્થાનિકો જણાવતા મુજબ બ્લાસ્ટનો અવાજ 3 કિમી સુધી સાંભળાયો. ધરતી ધ્રૂજતા લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી. ઘટનાની જાણ થતાં બદલાપુર ફાયર ડિપાર્ટમેન્ટની બે ફાયર એન્જિન સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી હતી. ફેક્ટરીની અંદર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું, અને સૌભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે રાત્રે ફેક્ટરીમાં સ્ટાફ હાજર નહોતો. ચીફ ફાયર ઓફિસર દામોદરે કહ્યું, “સાંજે લગભગ 7 વાગ્યાના સમયે પેસિફિક કેમિકલ કંપનીમાં આગ લાગી. હજુ સુધી કોઈ ઘાયલ કે જાનહાનિનો અહેવાલ નથી. આગ…
ઇન્ડોનેશિયાના જકાર્તામાં લાગી ભીષણ આગ, 20 લોકોના મોત
હોંગકોંગમાં એક ઈમારતમાં લાગેલી ભયાનક આગમાં 100 થી વધુ લોકોના મોત થયા બાદ, હવે બીજી બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે, ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક ઓફિસ ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે એક મીડિયાના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડીવારમાં જ આગ આખી ઈમારતને ઘેરી લે છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા વિસ્તારમાં આગના કારણે રહેવાસીઓ અને કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક કોમ્પાસ ટીવી અનુસાર, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો…
Bhavnagar : અનેક હોસ્પિટલ ધરાવતા સમીપ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરથી વધુ એક આગની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. આ કોમ્પલેક્ષમાં ઘણી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે. આગની ઘટનાને લઈને 25-30 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ આગની ઘટના મામલે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમા ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આગ…
પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ
હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે લતીફાબાદ પોલીસ સ્ટેશનની બી-સેક્શનની હદમાં ચલાવવામાં આવી રહી હતી, અને કોઈ લાયસન્સ નહોતું. વિસ્ફોટ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લિયાકત યુનિવર્સિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોના જણાવ્યા મુજબ બે લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેઓના શરીર પર લગભગ 100 ટકા દાઝાના ઘા છે. મેડિકો-લીગલ અધિકારીએ બે અજાણ્યા પુરુષોના મૃતદેહ પણ પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી છે. હૈદરાબાદના SSP અદીલ ચંડીયોનું કહેવું છે કે ફેક્ટરીના માલિકની ઓળખ માટે તપાસ ચાલુ છે. સિંધના ગૃહમંત્રી…
જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી…
સુરત: મિશન હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે
રાજ્યમાં આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની મિશન હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી છે. આગની ઘટનાને લઈને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરતના અઠવાલાઇન્સ સ્થિત મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 15 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગ લાગવાને પગલે હોસ્પિટલમાં નાસભાગ અને દોડધામ મચી છે. આગની ઘટનાને લઈને હોસ્પિટલમાંથી દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ સાથે જ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.…
Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત
રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર…
Ahmedabad: જીવરાજપાર્ક ચાર રસ્તા નજીક ACના ગોડાઉનમાં લાગી આગ, બે લોકોના મોતની આશંકા
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એસીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક લાગેલી આગની ઘટનાને લઈને 10 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા છે. આ સાથે જ વેજલપૂરના ધારાસભ્ય અમીત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારાઆગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. 5 કાર બળીને ખાખ બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે. આગની ઘટનાની નજીક પાર્ક કરેલી 5…
Banaskantha: ડીસા GIDCમાં મોતનું તાંડવ, ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 19 લોકોએ ગુમાવ્યા જીવ
રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અ દરમિયાન બનાસકાંઠામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં 19 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો ફેક્ટરીમાં કામ કરતા કામદારો હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે , બાજુમાં આવેલું ગોડાઉન ધરાસાશી થયું હતું અને કાટમાળ 200 મીટર દૂર સુધી ફેલાયો હતો.મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી…
















