કૉંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક : ખડગે-રાહુલ ગાંધીએ બોલાવી 8 રાજ્યોની બેઠક, અમેરિકા ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેે પાર્ટી સંગઠન મજબૂત કરવા અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર રણનીતિ ઘડવા માટે 8 રાજ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક 10 ફેબ્રુઆરીે સવારે 10 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે યોજાશે. બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ હાજર રહેશે. ચર્ચા માટે આવેલા રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે. બેઠકમાં ચર્ચા માટે મુખ્ય મુદ્દાઓ: – પાર્ટીના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે રણનીતિ – મનરેગા સંબંધિત મુદ્દાઓ – ભારત-અમેરિકા સંભવિત વેપાર કરારથી ખેડૂતો પર પડતા અસર – જનતા સુધી ખેડૂત મુદ્દાઓ પહોંચાડવા માટે વ્યાપક રણનીતિ પક્ષનું નેતૃત્વ આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રાજકીય રણનીતિ ઘડી શકે છે. ખાસ કરીને…

“ઉત્સવોમાંથી બહાર આવી ખેડૂતોને સહાય નહીં, દેવા માફ કરો”, અમરેલી કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર લખીને રાજ્ય સરકાર સામે ખેડૂતોના મુદ્દે તીવ્ર સૂર ચડાવ્યા છે. તેમણે કહ્યું છે કે, “ઉત્સવોમાંથી બહાર આવીને સરકારે હવે ખેડૂતોની હકીકત પર ધ્યાન આપવું જોઈએ. સહાય નહીં, પરંતુ બેંક અને સહકારી સંસ્થાઓના બાકી દેવા માફ કરવાથી જ ખેડૂતોને વાસ્તવિક રાહત મળશે.” દુધાતે પત્રમાં આક્ષેપ કર્યો કે 2024માં જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાના આશરે 700 ગામડા બાકાત રહી ગયા હતા, જેના કારણે હજારો ખેડૂતોને કોઈ સહાય મળી નથી. હવે 2025ના કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેમણે સરકારની ડિજિટલ સર્વે પદ્ધતિ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. “ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી. વાસ્તવિક પરિસ્થિતિ અને…