કૉંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક : ખડગે-રાહુલ ગાંધીએ બોલાવી 8 રાજ્યોની બેઠક, અમેરિકા ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેે પાર્ટી સંગઠન મજબૂત કરવા અને વર્તમાન રાજકીય મુદ્દાઓ પર રણનીતિ ઘડવા માટે 8 રાજ્યોની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક 10 ફેબ્રુઆરીે સવારે 10 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય ઇન્દિરા ભવન ખાતે યોજાશે.

બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલ હાજર રહેશે. ચર્ચા માટે આવેલા રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

બેઠકમાં ચર્ચા માટે મુખ્ય મુદ્દાઓ:
– પાર્ટીના સંગઠનાત્મક માળખાને મજબૂત બનાવવા માટે રણનીતિ
– મનરેગા સંબંધિત મુદ્દાઓ
– ભારત-અમેરિકા સંભવિત વેપાર કરારથી ખેડૂતો પર પડતા અસર
– જનતા સુધી ખેડૂત મુદ્દાઓ પહોંચાડવા માટે વ્યાપક રણનીતિ

પક્ષનું નેતૃત્વ આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યની રાજકીય રણનીતિ ઘડી શકે છે. ખાસ કરીને સંગઠનને મજબૂત બનાવવું અને રાજ્યોમાં પાર્ટીની સક્રિયતા વધારવું આ બેઠકનો મુખ્ય હેતુ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ચીનના વૈજ્ઞાનિકોનું AI મોડેલ ડિપ્રેશનનું જોખમ અગાઉથી ઓળખી શકે? મગજની પ્રતિક્રિયાથી આગાહીનો પ્રયાસ

ચીનમાં માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ચીનના સંશોધકો પણ AI અને મગજના ડેટાની મદદથી ડિપ્રેશનના જોખમને વહેલી તકે ઓળખવાના પ્રયાસો કરી રહ્યા છે. આવા સંશોધનોનો મુખ્ય હેતુ ડિપ્રેશનના ગંભીર લક્ષણો દેખાય તે પહેલાં જોખમમાં રહેલા લોકોની ઓળખ કરવી અને સમયસર માનસિક આરોગ્ય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. ચીનમાં શેનઝેન યુનિવર્સિટી સાથે સંકળાયેલા સંશોધનમાં માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશનના જોખમને સમજવા માટે મગજની પ્રવૃત્તિ, ભાવનાત્મક માહિતીની પ્રક્રિયા અને લાંબા ગાળાના માનસિક સ્વાસ્થ્યના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. શેનઝેન યુનિવર્સિટીની સંશોધન ટીમો અગાઉથી પણ ચહેરાના હાવભાવ, ભાવનાઓ અને ડિપ્રેશન સાથે સંબંધિત AI આધારિત ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ચીનમાં ડિપ્રેશનની આગાહી માટે AIનો ઉપયોગ ડિપ્રેશન એક જ કારણથી થતી સ્થિતિ નથી. તેમાં વ્યક્તિના મગજની…

સોશિયલ મીડિયા પર ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ની એન્ટ્રી, PM મોદીના નિવેદન બાદ ચર્ચા જાગી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં કરવામાં આવેલા ‘દિમાગી નક્સલ’ શબ્દપ્રયોગને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘દિમાગી નક્સલ જનતા પાર્ટી’ નામનું એક નવું એકાઉન્ટ સામે આવ્યું છે. એકાઉન્ટનું હેન્ડલ @DNJP_India હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, આ એકાઉન્ટને સત્તાવાર રાજકીય પક્ષ તરીકે માન્યતા મળી છે કે કેમ તે અંગે હાલ કોઈ પુષ્ટિ સામે આવી નથી. તેથી તેને હાલ સોશિયલ મીડિયા આધારિત પહેલ અથવા વ્યંગાત્મક રાજકીય એકાઉન્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ‘દિમાગી નક્સલ’ શબ્દનો ઉપયોગ કરતાં દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે પણ આ શબ્દપ્રયોગને…