કૈલાશ માનસરોવરમાં ડૂબકીને લઇ જાણો ચીનના નિયમ પાછળનું કારણ
કૈલાશ માનસરોવર યાત્રામાં બદલાયો સ્નાનનો નિયમ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવતી કૈલાશ માનસરોવર યાત્રા સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવના પવિત્ર ધામની યાત્રા કરવા માટે પહોંચે છે. માન્યતા અનુસાર માનસરોવર ઝીલમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ મળે છે અને ભક્તો માટે આ યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જોકે, હવે શ્રદ્ધાળુઓ માનસરોવર ઝીલમાં સીધી ડૂબકી લગાવી શકતા નથી. વર્ષ 2018થી ચીન સરકાર દ્વારા માનસરોવર ઝીલમાં ઉતરીને સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે, શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને ઝીલના પાણીથી બહાર રહીને સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે યાત્રાળુઓ એક ડોલમાં પાણી ભરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરે છે. ચીન સરકારે કેમ લગાવ્યો કૈલાશ માનસરોવરમાં સ્નાનનો પ્રતિબંધ? માનસરોવર…
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…
વિરમપુરમાં રાજ્યપાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, પ્રાકૃતિક ખેતીને આપ્યું પ્રોત્સાહન
બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા…
આરએસએસ સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું આગમન રાજકોટમાં, શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત વિશેષ સંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અખિલ ભારતીય પ્રવાસ યોજના અંતર્ગત પરમપૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવત રવિવારે રાજકોટના સેવાભારતી ભવનમાં આગમન થયા. તેમની મુલાકાત દરમ્યાન તેઓ જાહેર સભાને સંબોધન નહીં કરે, પરંતુ સમાજના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ કરશે. આ મુલાકાત દરમિયાન, ડૉ. મોહનજી ભાગવત ‘પંચ પરિવર્તન’ ના વિષયો પર ભાર મુકશે, જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશી (સ્વબોધ), પર્યાવરણ સંરક્ષણ અને નાગરિક કર્તવ્ય જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા થશે. સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રોના આગેવાનો સાથે આ સંવાદ દ્વારા ઊંડું ચિંતન અને વિચારોનો વિનિમય થશે. ઉલ્લેખનીય છે કે, ડૉ. મોહનજી ભાગવતનો ગુજરાત સાથે દેહ અને પારિવારિક સંબંધ છે. તેમના પિતા સ્વ. મધુકરરાવજી ભાગવત, ભૂતકાળમાં ગુજરાતના પ્રાંત પ્રચારક તરીકે મહત્વપૂર્ણ દાયિત્વ નિભાવતા રહ્યા…
દિલ્હી સરકારનો મોટો નિર્ણય : PUCC નહીં તો ઇંધણ નહીં, DTC સંભાળશે બસ વ્યવસ્થા
વધતા પ્રદૂષણ સામે કડક વલણ અપનાવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં દિલ્હી મંત્રીમંડળે પર્યાવરણીય સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. આ પગલાંઓનો હેતુ દિલ્હીને સ્વચ્છ, સ્વસ્થ અને પ્રદૂષણમુક્ત બનાવવાનો છે. કેબિનેટના નિર્ણયોની જાહેરાત કરતાં પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે હવે માન્ય PUCC (Pollution Under Control Certificate) વિના કોઈપણ વાહનને ઇંધણ આપવામાં આવશે નહીં. આ નિર્ણય વાયુ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો પર સીધી અસર કરશે અને પ્રદૂષણ નિયંત્રણ પ્રણાલીમાં કાયમી સુધારો લાવશે. ₹100 કરોડથી દિલ્હીના જળસ્ત્રોતોનું પુનર્જીવન કેબિનેટે દિલ્હીના જળસ્ત્રોતોના પુનર્જીવન માટે ₹100 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે. દિલ્હીમાં આશરે 1,000 જળસ્ત્રોતો છે, જેમાંથી લગભગ 160 જળસ્ત્રોતો દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળ આવે છે. અગાઉ ડીપીસીસી દ્વારા ₹19 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જ્યારે…
અરવલ્લી પર મોદી સરકારનો મહત્વનો નિર્ણય: નવા ખનન પર પ્રતિબંધ, આખો વિસ્તાર સંરક્ષિત
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે તમામ રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે હવે અરવલ્લી વિસ્તારમાં કોઈપણ નવા ખનન પટ્ટાને મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અરવલ્લીના પર્યાવરણીય સંતુલનને જાળવવાનો અને ગેરકાયદેસર ખનન પર અંકુશ મૂકવાનો છે. મંત્રાલયના નિવેદન મુજબ, અરવલ્લી પર્વતમાળા જૈવ વૈવિધ્ય, ભૂગર્ભ જળ સંરક્ષણ અને ઉત્તર ભારતના પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દિલ્હીથી ગુજરાત સુધી વિસ્તરેલી આ પર્વતમાળા પર વધતી ખનન પ્રવૃત્તિઓને કારણે વનસ્પતિ, પ્રાણીજીવન અને પાણીના સ્ત્રોતોને ભારે નુકસાન થઈ રહ્યું હતું. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધ સમગ્ર અરવલ્લી રેન્જમાં સમાન રીતે લાગુ પડશે. ઉદ્દેશ એ છે કે અરવલ્લીને એક અખંડ અને સતત ભૂગર્ભીય પર્વતમાળા તરીકે જાળવી…
અરવલ્લી પર્વતમાળાને બચાવવા ગુજરાતમાં અભિયાન, સુપ્રીમ કોર્ટે આપી નવી વ્યાખ્યા
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગુજરાતમાં વિરોધ શરૂ થયો છે. અરવલ્લી રણપ્રદેશ માટે લોકો ભયભીત છે અને ચુકાદામાં ફેરફારની માંગ કરી રહ્યા છે. નેતાઓ, સ્થાનિકો અને સાધુ-સંતોએ પણ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોના દાવો અનુસાર, જો પર્વતો દૂર થાય તો અસ્તિત્વ પર જોખમ ઉભું થશે. કોંગ્રેસે અરવલ્લી બચાવવા માટે અભિયાન શરૂ કર્યું છે અને ખેડૂતો, પર્યાવરણપ્રેમીઓ અને સંતોને સાથે રાખીને આંદોલન કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લી પર્વતોની નવી વ્યાખ્યા મંજૂર થતા વ્યાપક વિવાદ થયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે આ ફેરફાર ખનન માટે ખોટો સંકેત નથી. રક્ષણિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન, વાઘ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં ખનન પર પ્રતિબંધ રહેશે. રાષ્ટ્રીય હિતમાં જરૂરી, રણનીતિક અથવા ઊડાણમાં સ્થિત ખનીજ માટે મર્યાદિત મુક્તિઓ જ આપવામાં આવશે. પર્યાવરણ…
અરવલ્લી વિવાદ પર પર્યાવરણ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું-“90 ટકાથી વધુ વિસ્તાર સુરક્ષિત, ખનનને……”
ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અરવલ્લી પર્વતમાળાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીની નવી પરિભાષા બદલવાથી મોટા પાયે ખનનને મંજૂરી આપવામાં આવી રહી હોવાના દાવા ખોટા અને ભ્રામક છે. પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્ર યાદવે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલો માળખો અરવલ્લી ક્ષેત્રને અગાઉ કરતાં વધુ મજબૂત સુરક્ષા આપે છે. પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ અરવલ્લી વિસ્તારના 90 ટકા કરતાં વધુ ભાગને સંરક્ષિત ક્ષેત્ર તરીકે આવરી લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમગ્ર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવામાં ન આવે ત્યાં સુધી નવા ખનન પટ્ટાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ યથાવત્ રહેશે. પરિભાષા બદલવાથી ચિંતા, સરકારે આપી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે અરવલ્લી પહાડીઓની એકસમાન પરિભાષાને મંજૂરી આપ્યા બાદ પર્યાવરણવિદો…














