મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે? Dolo 650 શું છે? Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ. Dolo 650ની આડઅસરો 1. અંતરડાને નુકસાન: જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. 2. થાક અને નબળાઈ: કેટલાક…