‘ડોલ્ફિન’ વાવાઝોડાનો જાપાનમાં કહેર, 2.6 લાખ લોકોને સ્થળાંતરનો આદેશ; 500થી વધુ ફ્લાઇટ્સ રદ
તાજેતરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા જાપાન સામે હવે વધુ એક કુદરતી પડકાર ઊભો થયો છે. ટાયફૂન ‘ડોલ્ફિન’ના કારણે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચા દરિયાઈ મોજાંએ જનજીવનને અસર પહોંચાડી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાપાનની હવામાન એજન્સી (JMA)એ લાખો લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને લગભગ 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે. ઓકિનાવા અને કાગોશિમા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક સેવાઓ પ્રભાવિત થઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઓકિનાવા અને કાગોશિમા સૌથી વધુ પ્રભાવિત ટાયફૂન ડોલ્ફિન સૌથી પહેલાં દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તારમાં પહોંચ્યું હતું. ત્યારબાદ તેની અસર કાગોશિમા સહિત નજીકના વિસ્તારોમાં પણ જોવા મળી…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે. ઇશિકાવા પ્રીફેક્ચર અને આસપાસના કિનારાકાંઠા વિસ્તારો માટે તાત્કાલિક સુનામી ચેતવણીઓ જાહેર કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સુનામીના મોજા 3 મીટર (લગભગ 10 ફૂટ) સુધી ઊંચા ઉછળી શકે છે, જે મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક રહેવાસીઓને તરત જ ઊંચી જમીન પર સ્થળાંતર કરવા સૂચના આપી છે. દરિયાકાંઠે રહેતા લોકોને દરિયા નજીકથી દૂર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર અને કટોકટી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. રાષ્ટ્રીય ટીવી પર સતત સ્થળાંતર સંબંધિત સૂચનાઓ અને ચેતવણીઓ પ્રસારિત થઈ રહી…
ફિલિપાઇન્સ: વધુ એક વાવાઝોડું તબાહી મચાવશે, 10 લાખ લોકોને કરાયા સ્થળાંતરિત
ફિલિપાઇન્સમાં એક પછી એક વાવાઝોડાંનો ત્રાસ ચાલુ છે. તાજેતરમાં આવેલા ટાયફૂન ફંગ-વોંગ (Typhoon Fung-Wong)ના કારણે દેશમાં ભારે વરસાદ, પૂર અને તોફાની પવનથી હાહાકાર મચ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 10 લાખ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ઓરોરા પ્રાંતમાં લેન્ડફોલની શક્યતા હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ ફંગ-વોંગ વાવાઝોડું ઓરોરા પ્રાંતમાં રાત્રે 8 થી 11 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરશે. વાવાઝોડાથી પ્રદેશમાં ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરકારે નાગરિકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે જવા સૂચના આપી છે. ઘણા વિસ્તારોમાં શાળાઓ, ઓફિસો અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. ફ્લાઇટ્સ રદ, પરિવહન પર અસર વાવાઝોડાને પગલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દક્ષિણ લુઝોન અને બિકોલ વિસ્તારમા પણ પૂરની…
લેહમાં ભૂકંપનો આંચકો: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ, જાણો વિગત
ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. લેહમાં આ ભૂકંપ આવ્યો છે, જે રિક્ટર સ્કેલ પર 4.1 તીવ્રતાનો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે નોંધાયું છે. NCS દ્વારા આ માહિતી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરવામાં આવી છે. પાકિસ્તાનમાં શનિવારે 3.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે 160 કિલોમીટર ઊંડાઈએ હતું, જ્યારે લેહમાં ભૂકંપનું કેન્દ્ર માત્ર 10 કિલોમીટર ઊંડાઈએ હતું. આ પહેલાં 24 ઓક્ટોબરે પણ 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારત વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય પ્રદેશોમાંના છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો મળે છે. આ વિસ્તારમાં વારંવાર મધ્યમથી મજબૂત ભૂકંપ આવે છે, જે ઘણીવાર સરહદની પારે અનુભવાય છે. હાલમાં ભારતના લેહમાં ભૂકંપના આંચકા…
પાકિસ્તાનમાં 4.7 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં દહેશત; કેટલીક ઇમારતોને નુકસાન
પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં સોમવારે સવારે ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 નોંધાઇ છે. લોકોએ ગભરાટભેર ઘરો અને ઓફિસો ખાલી કરી સુરક્ષિત સ્થળે દોડ્યું હતું. જો કે જાનહાનિની કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ કેટલાક ઘરો અને ઈમારતોને હલકું નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી રહી છે. ભૂકંપની વિગતો: – તીવ્રતા: 4.7 રિક્ટર સ્કેલ – સમય: સવારે 11:12 (ભારતીય સમય મુજબ) – ઉંડાઈ: 10 કિલોમીટર – સ્થાન: ઉત્તર પાકિસ્તાનના વિસ્તારો સરકારી તંત્ર સજ્જ છે સ્થાનિક તંત્ર અને બચાવ દળો સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. NCS (National Center for Seismology) દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી કે ભૂકંપની ઉપકેન્દ્ર ઊંડાઈ 10 કિમી હતી, જેના કારણે ઝટકો વધારે તીવ્ર લાગ્યા. વિસ્તાર સંવેદનશીલ: ભૂગર્ભશાસ્ત્રીઓના…
તમિલનાડુ: વિજયની રાજકીય રેલીમાં થયો ભયંકર નાસભાગ, 28થી વધુના મોત અનેક ઘાયલ
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતાથી રાજકારણમાં પ્રવેશેલા અને તમિલાગા વેત્ત્રી કઝાગમ (TVK) પાર્ટીના નેતા વિજયની રાજકીય રેલી દરમિયાન ભયંકર નાસભાગ સર્જાઈ હતી. ભારે ભીડના દબાણમાં આવી ભયંકર રીતે ભાગદોડ મચી ગઈ, જેના પરિણામે 28થી વધુ લોકોએ જાન ગુમાવી છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના રાજકીય અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની ગઈ છે. શુ શું થયું હતું? સોમવારના રોજ, કરુર ખાતે યોજાયેલી TVKની રાજકીય રેલી દરમિયાન વિજયનું ભાષણ ચાલી રહ્યું હતું, ત્યારે ભીડ અચાનક અણધારી રીતે આગળ ધસી, અને અફરાતફરી મચી ગઈ. હાજર લોકોની વિજયને જોવા માટે ભીડ નિયંત્રણથી બહાર જતી રહી, અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી જનસમૂહમાં ધક્કામુકી શરૂ થઈ. ભીડની વચ્ચે એક 9 વર્ષની બાળકી લાપતા થઈ ગઈ…












