યુક્રેનમાં ફરી ભારતીયો પર સંકટ: ઓડેસા બંદર નજીક વેપારી જહાજ પર હુમલો
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એકવાર ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વધી છે. યુક્રેનના મહત્વપૂર્ણ ઓડેસા બંદર નજીક એક વેપારી જહાજ પર હુમલો થતાં તેમાં સવાર ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી બે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે ભારતીયોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કીવ સ્થિત ભારતીય દૂતાવાસે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે તે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત એજન્સીઓના સતત સંપર્કમાં છે. શું બની સમગ્ર ઘટના? ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, યુક્રેનના ઓડેસા બંદર પર ‘MV AGN Ragnar’ નામના વેપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજમાં ચાર ભારતીય ક્રૂ મેમ્બર્સ ફરજ બજાવી રહ્યા હતા. હુમલા બાદ બે ભારતીયો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય બે અંગે હજુ સુધી સ્પષ્ટ…
લેબનોનમાં શરણાર્થી શિબિરમાં ઇઝરાયલનો ઘાતક હવાઈ હુમલો, 11નાં મોત
દક્ષિણ લેબનોનના આઈન અલ-હિલવેહ શરણાર્થી શિબિર પર મંગળવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ થયા. ગયા વર્ષે ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધમાં થયેલા યુદ્ધવિરામ પછી લેબનોનમાં આ સૌથી ઘાતક હુમલો ગણવામાં આવી રહ્યો છે. રાજ્ય મીડિયા અનુસાર, એક ડ્રોન સિડોનની બહાર આવેલી મસ્જિદના પાર્કિંગમાં ઊભેલી કારને નિશાન બનાવી ટક્કર માર્યો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે 11 મોતની પુષ્ટિ કરી છે, પરંતુ ઘટનાસ્થળે હાજર હમાસના લડવૈયાઓએ પત્રકારોને અંદર જવા દીધા નહોતા. ઇઝરાયલનો દાવો vs હમાસનો વિરોધ ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુમલો હમાસના “તાલીમ સંકુલ” પર કરવામાં આવ્યો હતો, જ્યાંથી ઇઝરાયલ પર હુમલાની તૈયારી ચાલી રહી હતી. હમાસે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે હુમલો એક રમતગમતના મેદાનમાં થયો હતો અને તેને “જઘન્ય ગુનો” ગણાવ્યો. છેલ્લા…
પાકિસ્તાન-તાલિબાન અથડામણ ઉગ્ર: પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, અફઘાનનો સરહદી ચોકીઓ પર કબજાનો દાવો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ વધુ ઘેરો બન્યો છે. તાલિબાનની આગેવાની હેઠળના અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે પાકિસ્તાની હવાઈ હુમલાના જવાબમાં તેમણે સીમાવર્તી પાકિસ્તાની સૈન્ય ચોકીઓ પર હુમલાઓ કર્યા છે. આ અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે અને કેટલીક ચોકીઓનો કબજો પણ અફઘાન દળોએ લઈ લીધો છે. તાલિબાનનો આક્રમક પ્રતિસાદ અફઘાન રક્ષા મંત્રાલયના નિવેદન અનુસાર, આ કાર્યવાહી “પાકિસ્તાન દ્વારા અફઘાન વિસ્તારમાં કરાયેલા બોમ્બ હુમલાના જવાબમાં” કરવામાં આવી છે. તેઓએ દાવો કર્યો કે ડ્યુરન્ડ લાઇન નજીક પાકિતિકા પ્રાંતના મારગી વિસ્તારમાં એક નાગરિક બજાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેને અફઘાનિસ્તાનએ તેના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. “આ ઉશ્કેરણીજનક પગલું છે. અફઘાનની જમીનનું રક્ષણ કરવાનો અમારો અધિકાર છે,” – અફઘાન સંરક્ષણ મંત્રાલય. હવાઈ…









