વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ

બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી થઈ, જેમાં 8 લોકો માર્યા ગયા અને 3 અન્ય ઘાયલ થયા. મૃતકોમાં 5 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાથી મંદિરમાં હાજર ભક્તોમાં ગભરાટ ફેલાઈ ગયો. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી સંભાળી અને ઘણા લોકોને બચાવ્યા. ભારે વરસાદ બાદ ભારે પવન ફૂંકાતા સિંહાચલમ ટેકરી પર રાત્રે લગભગ 2:15 વાગ્યે આ અકસ્માત થયો. આ દરમિયાન, 300 રૂપિયાની ટિકિટ માટે કતારમાં ઉભા રહેવા માટે બનાવેલી નવી દિવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો. દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી સાત…

આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધાનું એલાન કર્યુ

આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘ઘરેથી કામ કરો’ (WFH) નીતિને મોટા પાયે લાગુ કરવાની યોજના બનાવી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ પહેલની જાહેરાત કરતા કહ્યું કે આ પગલું ખાસ કરીને મહિલાઓ માટે અનુકુળ અને પ્રોડક્ટીવ કાર્ય વાતાવરણ બનાવવામાં મદદ કરશે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન કાર્ય સંસ્કૃતિમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે ટેકનોલોજીની ઉપલબ્ધતાએ ઘરેથી કામ કરવાની વિભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. રિમોટ વર્ક, કોવર્કિંગ સ્પેસ (CWS) અને નેબરહૂડ વર્કસ્પેસ (NWS) જેવા ખ્યાલો અનુકુળ અને પ્રોડક્ટિવ વાતાવરણને પ્રોત્સાહન આપે છે. -> મહિલા વ્યાવસાયિકોની ભાગીદારી વધશે :- આંધ્રપ્રદેશ આઇટી અને જીસીસી નીતિ 4.0 હેઠળ, સરકાર વિકાસકર્તાઓને દરેક શહેર, નગર અને મંડળમાં આઇટી ઓફિસો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવા માટે…