આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ની સુવિધાનું એલાન કર્યુ

આંધ્ર પ્રદેશ સરકારે મહિલાઓ માટે ‘ઘરેથી કામ કરો’ (WFH) નીતિને મોટા પાયે લાગુ કરવાની યોજના બનાવી છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ પહેલની જાહેરાત કરતા કહ્યું કે આ પગલું ખાસ કરીને મહિલાઓ માટે અનુકુળ અને પ્રોડક્ટીવ કાર્ય વાતાવરણ બનાવવામાં મદદ કરશે.

કોવિડ-૧૯ મહામારી દરમિયાન કાર્ય સંસ્કૃતિમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે ટેકનોલોજીની ઉપલબ્ધતાએ ઘરેથી કામ કરવાની વિભાવનાને પ્રોત્સાહન આપ્યું છે. રિમોટ વર્ક, કોવર્કિંગ સ્પેસ (CWS) અને નેબરહૂડ વર્કસ્પેસ (NWS) જેવા ખ્યાલો અનુકુળ અને પ્રોડક્ટિવ વાતાવરણને પ્રોત્સાહન આપે છે.

-> મહિલા વ્યાવસાયિકોની ભાગીદારી વધશે :- આંધ્રપ્રદેશ આઇટી અને જીસીસી નીતિ 4.0 હેઠળ, સરકાર વિકાસકર્તાઓને દરેક શહેર, નગર અને મંડળમાં આઇટી ઓફિસો સ્થાપવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન કરવા માટે IT અને GCC કંપનીઓને પણ સહાય પૂરી પાડી રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય કાર્યબળની ભાગીદારી વધારવાનો છે, ખાસ કરીને મહિલા વ્યાવસાયિકોની, જેમને અનુકુળ રિમોટ અથવા હાઇબ્રિડ કાર્ય વિકલ્પોનો લાભ મળશે.

-> તમને તમારા કરિયરમાં પ્રગતિ કરવાની તક મળશે :- વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓ અને છોકરીઓને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે તેમની સરકાર આ ક્ષેત્રોમાં મહિલાઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આ યોજના દ્વારા, આંધ્રપ્રદેશ સરકાર મહિલાઓ માટે કાર્ય-જીવન સંતુલન સુધારવા અને તેમને તેમની કારકિર્દીમાં આગળ વધવા માટે તકો અને સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

Related Posts

વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ચેડાં નહીં ચાલે! જામનગર મનપાની ટ્યુશન ક્લાસ પર મોટી કાર્યવાહી

જામનગરમાં તંત્રની લાલ આંખ: ફાયર NOC વગર ધમધમતા ૩ ટ્યુશન ક્લાસ સીલ, સંચાલકોમાં ફફડાટ! જામનગર: તાજેતરના વર્ષોમાં દેશભરમાં કોચિંગ સેન્ટરોમાં બનેલી દુર્ઘટનાઓને પગલે જામનગર મહાનગરપાલિકા (JMC) ના ફાયર વિભાગ દ્વારા…

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *