નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત
ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારી ની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે. આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુલ રાબડીયા, ડેપ્યુટી મેયર મતી મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવા ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા…
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા
Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ કામગીરી રાજ્યના તમામ મ.સ.ત.પ્રમ કોર્ટના આદેશ અને સંબંધી પત્રોના અમલને અનુરૂપ છે. મુખ્ય સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસ: સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરેમાં રહેલ પ્રાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. પ્રાણીઓની સુખાકારી માટે સંસ્થા દ્વારા નિયમિત દેખરેખ અને જરૂરી કામગીરી કરવી. કચેરીઓ અને સરકારી વિભાગો: પ્રાણી કલ્યાણને ધ્યાનમાં રાખીને મો.સ.પ્રીમ કોર્ટના 07/11/2025ના આદેશ અનુસાર કામગીરી કરવી. મધ્યમ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી ટીમો અને કર્મચારીઓ પ્રાણીઓની સલામતી અને સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરશે. જવાબદારી અને અમલ: રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ,…
અમેરિકા: પોલીસ કારના અકસ્માતમાં મોત પામનાર ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર માટે બેવડો આઘાત
અમેરિકાના સિએટલમાં જાન્યુઆરી 2023માં પોલીસ કારની ટક્કરથી જીવ ગુમાવનાર 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થી જ્હાનવી કંડુલાના પરિવાર પર ફરી એકવાર દુઃખનો વલય તૂટી પડ્યો છે. લાંબી કાનૂની લડત બાદ સિટિ કાઉન્સિલ દ્વારા 29 મિલિયન ડોલર (અંદાજે 262 કરોડ રૂપિયા)ના વળતર (સેટલમેન્ટ)ની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ ઐતિહાસિક જાહેરાતના માત્ર બે દિવસ પહેલાં જ જ્હાનવીના પિતા, નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલ કંડુલા શ્રીકાંતનું હાર્ટ એટેકથી નિધન થયું. પિતાના અવસાનની વિગતો જ્હાનવીના પિતા કંડુલા શ્રીકાંત 10 ફેબ્રુઆરીના રોજ કુર્નૂલમાં હાર્ટ એટેકના કારણે અવસાન પામ્યા. તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ અડોની ખાતે કરવામાં આવ્યા હતા. દુઃખની વાત એ છે કે વળતર અંગેની સત્તાવાર જાહેરાત તેમના અવસાનના માત્ર 48 કલાક બાદ થઈ હતી. અકસ્માતની સમગ્ર ઘટના 23 જાન્યુઆરી, 2023નાં રોજ અમેરિકનાં…
પુલવામા હુમલાની સાતમી વરસી, વીર જવાનોને રાષ્ટ્રનું નમન
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સમગ્ર દેશ પુલવામા ખાતે 2019માં થયેલા ભયાનક આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. વર્ષ 2019માં આ જ દિવસે થયેલા આતંકી હુમલામાં Central Reserve Police Force (CRPF)ના 40 વીર જવાનો શહીદ થયા હતા. દેશની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર આ સપૂતોને આજે રાષ્ટ્ર ગર્વ અને આંસુભીની આંખોથી યાદ કરી રહ્યું છે. શહાદતની કાળી બપોર અને અડગ રાષ્ટ્રવાદ 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ કાયરતાપૂર્ણ હુમલામાં 40 જવાનોના બલિદાન બાદ ભારતે આતંકવાદ સામે વધુ કડક વલણ અપનાવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી. શહીદોના…
જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ
જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. 1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા…
ગુજરાતમાં બેવડી ઋતુની અસર: સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ
ગુજરાતમાં હાલ હવામાનમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે તો બપોરના સમયે તાપમાન વધતા ગરમીનો અનુભવ થાય છે. રાજ્યના વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હોવા છતાં, શિયાળો આ વર્ષે નરમ રહ્યો હોવાનું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. વિવિધ શહેરોમાં લઘુત્તમ તાપમાન રાજ્યના અનેક શહેરોમાં આજે નોંધાયેલું સૌથી નીચું તાપમાન નીચે મુજબ છે: – નલિયા – 14.3°C – કેશોદ – 15.3°C – રાજકોટ – 15.5°C – ભૂજ – 17.4°C – ડીસા – 17.1°C – વડોદરા – 18.4°C – ગાંધીનગર – 18.8°C – ભાવનગર – 18.6°C – અમદાવાદ – 19.7°C આ આંકડાઓ દર્શાવે છે કે રાજ્યમાં સવાર-સાંજ ઠંડક હોવા છતાં કડકડતી ઠંડીનો અભાવ છે. શિયાળો ‘નરમ’ કેમ રહ્યો? હવામાન…
ક્રિકેટના મહાકુંભમાં ‘મહાયુદ્ધ’, રવિવારે થશે બંને ટીમ વચ્ચે આરપારની ટક્કર
વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટી મેચ હવે નજીક છે. ICC Men’s T20 World Cupમાં રવિવારે, 15 Februaryએ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. શ્રીલંકાની રાજધાની Colomboમાં યોજાનારી આ મેચ માત્ર રમત નહીં, પરંતુ પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે. એશિયા કપ 2025 ની ફાઈનલ બાદ ફરી એકવાર બંને ટીમો આમને-સામને આવી રહી છે. ક્યારે અને ક્યાં જોવી મેચ? તારીખ: રવિવાર, 15 February સમય: સાંજે 7:30 PM (ટોસ 6:30 PM) સ્થળ: કોલંબો, શ્રીલંકા ટીવી પર લાઈવ પ્રસારણ મેચનું સીધું પ્રસારણ Star Sports નેટવર્ક પર થશે. ડિજિટલ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ JioStar પર ઉપલબ્ધ રહેશે. બંને ટીમો સુપર ફોર્મમાં ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. – ભારત: USA અને નામિબિયાને હરાવી ગૃપ-A માં ટોચ પર.…
વડોદરા BCA ચૂંટણીમાં કાયદાકીય પેચ: કિરણ મોરે સહિતના દિગ્ગજો મુશ્કેલીમાં, હાઈકોર્ટે આપ્યો આદેશ
બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની આગામી ચૂંટણીઓના વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. વડોદરાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા ન્યાયાધીશે આ મામલે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી સહિતના હોદ્દાઓની ચૂંટણી નિર્ધારિત સમય મુજબ જ યોજાશે, પરંતુ હાઈકોર્ટની આગોતરી મંજૂરી વિના આ ચૂંટણીના પરિણામો જાહેર કરી શકાશે નહીં. અરજદારે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા લોઢા સમિતિના માપદંડોને ટાંકીને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જિકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની માંગ કરી છે. આ કેસમાં BCCI અને BCA ને પક્ષકાર બનાવવામાં આવ્યા છે, કારણ કે અરજદારનો આક્ષેપ છે કે ચૂંટણી અધિકારીએ ઉમેદવારોની યોગ્યતા અંગેના વાંધા રજૂ કરવા છતાં…
બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન
બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બાંગ્લાદેશની જનતાની આશાઓ પૂર્ણ કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. વડાપ્રધાન મોદીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તારિક રહેમાન સાથે વાતચીત કરીને તેમને આનંદ થયો અને બાંગ્લાદેશની જનતાના વિશ્વાસ માટે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાય લખશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત લોકશાહી, સર્વસમાવેશક અને વિકાસમુખી બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અમદાવાદ ઈસરો ખાતે યુવા વૈજ્ઞાનિકોને સંબોધન, સ્પેસ ટેકનોલોજી અને કૃષિ સંશોધન પર ભાર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદ ઈસરો – સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા આયોજિત ડીપટેક ઈન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાયન્સ કોમ્યુનિટીને સંબોધન કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે. જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરીક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ભારતના અંતરીક્ષ વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી દેશે આજે સ્પેસ ટેકનોલોજીમાં અદ્દભૂત સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્યપાલએ જણાવ્યું કે સ્પેસ ટેકનોલોજી માત્ર સંશોધન પુરતી મર્યાદિત નથી પરંતુ તેમા સ્ટાર્ટઅપ, ઈનોવેશન, ડેટા સર્વિસ, ઉપગ્રહ આધારિત સેવાઓ અને ડિફેન્સ એપ્લિકેશન જેવા ક્ષેત્રોમાં રોકાણની વિશાળ તકો રહેલી છે. ખાનગીક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકો માટે સ્પેસ સેક્ટર ભાવિ વિકાસનું એક શક્તિશાળી માધ્યમ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર…
















