નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત

ભાવનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાયદા વિભાગ હસ્તકની સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, ભાવનગર તેમજ જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર માટે નવનિર્મિત થનાર ‘ચેરિટી ભવન’નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યકક્ષાના કાયદા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

નવનિર્મિત ‘ચેરિટી ભવન’થી ચેરિટી કમિશનર કચેરી અને જાહેર ટ્રસ્ટોની નોંધણી સંબંધિત કામગીરી વધુ સુવિધાસભર અને સુવ્યવસ્થિત બનશે. આ કચેરી ખાતે નાયબ ચેરિટી કમિશ્નર અધિકારી ની ચેમ્બેર, કોર્ટ રૂમ, સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, બાર રૂમ સહિતની સુવિધાઓ હશે.

આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી મતી નીમુબેન બાંભણિયા, મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુલ રાબડીયા, ડેપ્યુટી મેયર મતી મોનાબેન પારેખ, ધારાસભ્ય સર્વે સેજલબેન પંડયા, શિવા ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આગેવાન કુમાર શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

“રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, આરોપીઓના જામીન પર લગાવી રોક!”

⚖️ રાજા રઘુવંશી હત્યા કેસ: સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આરોપીઓની જામીન અરજી પર લગાવી રોક નવી દિલ્હી: બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ આપતા આરોપીઓની જામીન…

“બેંગલુરુમાં બાળકો સાથે ક્રૂરતા: ડે-કેર સેન્ટરના સ્ટાફનો અમાનવીય વીડિયો વાયરલ!”

બેંગલુરુ ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે ક્રૂરતા: વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ શરૂ, વાલીઓમાં આક્રોશ બેંગલુરુ: આઈટી સિટી બેંગલુરુના એક ખાનગી ડે-કેર સેન્ટરમાં બાળકો સાથે કરવામાં આવતા દુર્વ્યવહારના કથિત કિસ્સાએ વાલીઓમાં…