ભાવનગરમાં દીપડાની દહેશત, નવા સાંગણા ગામે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું કર્યુ મારણ
B INDIA ભાવનગર : ભાવનગરમાં દીપડાએ આતંક મચાવ્યો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મોડી રાત્રીના સમયે દીપડાએ ખેતરમાં ઘુસીને વાછરડીનું મારણ કર્યુ છે. દીપડાના આતંકથી ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે. અને અનેકવાર રજૂઆત કરવા છતાં ફોરેસ્ટ વિભાગ ઘોર નિદ્રામાં દેખાઈ રહ્યું છે. ખેડૂતોના માલઢોર ઉપર છાશવારે દીપડો હુમલો કરી રહ્યો છે. જેને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. તો બીજી તરફ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે, વન વિભાગને પણ આ વાતની જાણ છે તેમ છત્તા વન વિભાગ દીપડાને પકડવાનું કામ નથી કરી રહ્યું, ,આ વાત એક વખતની નથી લાંબા સમયથી છે. દીપડાએ અનેક વાર વાડામાં જંપલાવીને મારણ કરતો હોય છે. -> દીપડાએ કર્યુ પશુનું મારણ :- મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં જંગલમાં આવેલા કદમખંડી…







