અમદાવાદ–ગાંધીનગર એલર્ટ: શાળાઓને બોમ્બની ધમકી બાદ સચિવાલયમાં સઘન ચેકિંગ, સુરક્ષા વધારી
અમદાવાદમાં આજે અનેક શાળાઓને બોમ્બની ધમકી ભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ધમકી મળતાની સાથે જ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ચેકિંગ શરૂ કર્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગાંધીનગર સચિવાલયને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સચિવાલયમાં ચુસ્ત બંદોબસ્ત દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ શાળાઓને બોમ્બની ધમકી મળતા તંત્ર સાવચેત બન્યું છે. રાજધાની ગાંધીનગરના સચિવાલયમાં સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે. સચિવાલયની આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારાયું છે. સુરક્ષાના ભાગરૂપે બહારના રસ્તાઓ પર ફૂલના કુંડા સહિતની વસ્તુઓ તપાસવામાં આવી રહી છે અને આવન-જાવન કરતા તમામ લોકોની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. પાટનગર વિસ્તારમાં ખાનગી વાહનોનું પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. શાળાઓમાં સ્વૈચ્છિક…
સ્પાની આડમા કાળા કારોબાર પર રોક કયારે ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ વિવાંતા સ્પામાં પોલીસે નકલી ગ્રાહક મોકલીને ખેલ પાડ્યો મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો વૈષ્ણોદેવી વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહ્યો હતો ગોરખ ધંધો AHTU પોલીસે બે દિવસમાં 3 કૂટણખાનાનો કર્યો પર્દાફાશ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ, કચ્છના નલિયામાં 10 ડિગ્રી નોંધાયું
ગુજરાતમાં ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે, કચ્છના નલિયા શહેરમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદ 13.8°, ગાંધીનગર 13.5°, કંડલા એરપોર્ટ 11.5°, અમરેલી 12°, ડીસા 12.8°, વડોદરા 13°, રાજકોટ 13.2°, પોરબંદર 13.4°, વલ્લભ વિદ્યાનગર 15.5°, ભુજ 14.4°, ભાવનગર 15.4°, સુરેન્દ્રનગર 15.5°, મહુવા 15.3°, કેશોદ 15.5°, દમણ 15°, દ્વારકા 17.6°, દીવ 16.6°, સુરત 19.4°, વેરાવળ 19.2° તાપમાન નોંધાયું. હવામાન વિભાગ મુજબ, ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો રહેશે. આવું હવામાન 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર ન હોવાનું આ આગાહી છે, જેને કારણે ઠંડીનો અનુભવ સતત રહેશે. ખેડૂતો માટે રવિ પાક માટે આ ઠંડી લાભદાયક રહેશે, જ્યારે નાગરિકોને ઠંડીથી બચવા માટે પગલાં…
અમદાવાદમાં સુભાષ બ્રિજ અચાનક બંધ, વાહનચાલકો માટે વિકલ્પ માર્ગ સૂચવાયા
અમદાવાદના વ્યસ્ત સુભાષ બ્રિજને મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અચાનક બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામી સ્થિતિ સર્જાઈ છે. બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ જોવા મળતા, AMCની ટીમે સુરક્ષાને પગલે તાત્કાલિક રિપેરિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તાત્કાલિક પગલાં અને ટ્રાફિક પર અસર – બ્રિજ બંધ થતાં નારણઘાટ, સુભાષબ્રિજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં વાહનોની લાઈનો કિલોમીટર્સ સુધી લાગી ગઈ. – ટ્રાફિક પોલીસ અને AMCના સ્ટાફ તાત્કાલિક માર્ગ પર ઉતરીને વાહનચાલકોને માર્ગદર્શન આપી રહ્યા છે. – ઘણા વાહનચાલકોને રસ્તા ફેરવવા અને વિકલ્પ માર્ગો અપનાવવા માટે મંજુર થવું પડ્યું. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે જણાવ્યું કે તિરાડની પ્રાથમિક તપાસમાં બ્રિજના મધ્ય ભાગમાં સ્પાન નીચે સરકવાનો ખતરનાક સંકેત જોવા મળ્યો. આ સ્થિતિને કારણે સાંજે છ વાગ્યે બ્રિજ સંપૂર્ણપણે…
Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !
અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
કોમનવેલ્થ ગેમ્સ 2030: અમદાવાદ મજબૂત દાવેદાર, હર્શ સંઘવી ગ્લાસગોમાં કરશે પ્રેઝન્ટેશન
અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ–2030ની યજમાની અપાવવા માટે રાજ્ય સરકારે સત્તાવાર કવાયત શરૂ કરી છે. આ માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના નેતૃત્વમાં ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ સ્કોટલેન્ડના ગ્લાસગો જશે, જ્યાં ગેમ્સ માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી – 24 થી 27 નવેમ્બર દરમિયાન યોજાનારી આ એસેમ્બલીમાં અમદાવાદ 2030 ગેમ્સ માટેનું હોસ્ટિંગ પ્રપોઝલ રજૂ કરશે. – પ્રેઝન્ટેશન બાદ સભ્યો દ્વારા મતદાન થશે. – મતદાનમાં મંજૂરી મળે તો આગળ **‘હોસ્ટ કોલેબરેશન એગ્રીમેન્ટ’**ની પ્રક્રિયા શરૂ થશે. – એગ્રીમેન્ટ થયા બાદ અમદાવાદને સત્તાવાર યજમાન શહેર તરીકે માન્યતા મળવાની શક્યતા છે. પ્રતિનિધિમંડળમાં કોણ–કોણ? – ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી – આમસી કમિશનર બંછાનિધી પાની – અન્ય રાજ્યના ઉચ્ચ અધિકારીઓ – ગુજરાત માટે ઐતિહાસિક તક જો આ પ્રેઝન્ટેશન સફળ રહેશે તો ગુજરાત…
ઇસ્કોન બ્રિજ દુર્ઘટના કેસ : આરોપી તથ્ય પટેલ સામે આજે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર થયેલી ભયાનક દુર્ઘટનાના મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે આજે, મંગળવારે, અંતે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ થવાના છે. આ અકસ્માતમાં નવ નિર્દોષ લોકોના કરૂણ મૃત્યુ થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાયો હતો. લાંબા સમયથી કેસ ચાલી રહ્યો હોવા છતાં, દસથી વધુ વખત ચાર્જફ્રેમની કાર્યવાહી મુલતવી રહી હતી. મૃતકોના પરિવારો તથા વકીલોએ વારંવાર વિનંતી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને ત્રણ અઠવાડિયામાં ચાર્જફ્રેમ કરવાની સુચના આપી હતી. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ હવે કાર્યવાહી ઝડપી બની રહી છે. આજે તથ્ય પટેલને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ અંતર્ગત સત્તાવાર રીતે ચાર્જફ્રેમ કરવામાં આવશે. ચાર્જફ્રેમ થવાની પ્રક્રિયા બાદ કેસની ટ્રાયલ શરુ થશે અને…
અમદાવાદ : ભુવલડી પાસે બેફામ રફ્તારનો કહેર, સગીર નબીરાની બેદરકારીથી ગર્ભવતી શ્રમિકાનું મોત
અમદાવાદ શહેરના ભુવલડી નજીક આજે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભુવલડીથી ઝાણુ ગામ તરફ જતા રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને સગીર નબીરાની બેફામ કાર રફ્તારે કુચડી નાખ્યા હતા. પ્રત્યક્ષ દર્શી અનુસાર, પૂર્વ સરપંચના પુત્ર એવા આ નાબાલિકે હ્યુન્ડાઈ વર્ના કાર ઝડપથી હંકારતા નિયંત્રણ ગુમાવ્યું હતું. આ અકસ્માતમાં રસ્તાની બાજુએ કામ કરતી એક ગર્ભવતી શ્રમિક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો અને સ્થાનિક લોકોએ દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ઘટનાની વધુ તપાસ શરૂ કરી ચુકી છે…
















