રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા શરૂ, જાણો શું કહ્યું અમિત શાહે

મંગળવારે રાજ્યસભામાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે ચર્ચા યોજાઈ રહી છે. આ ચર્ચાની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી હતી. પોતાના સંબોધનમાં અમિત શાહે કહ્યું, “આ મહાન ગૃહમાં વંદે માતરમની ભાવના, તેની પ્રશંસા અને તેને અમર બનાવવા અંગે ચર્ચા થવી જોઈએ. આ ચર્ચા દ્વારા આપણા દેશના બાળકો, કિશોરો અને યુવાનોએ આવનારી પેઢીઓ માટે સ્વતંત્રતામાં વંદે માતરમના યોગદાનને યાદ રાખવું જોઈએ. વંદે માતરમની રચનામાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના, ભાવિ ભારતના નિર્માણમાં તેનું યોગદાન, આપણી ભાવિ પેઢીઓ પણ આ બધી બાબતોથી પ્રભાવિત થાય. તેથી, હું દરેકને અભિનંદન આપું છું કે આજે ગૃહમાં આ ચર્ચા થઈ રહી છે.” જ્યારે વંદે માતરમ પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે ગઈકાલે લોકસભામાં કેટલાક સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આજે વંદે…