દિલ્હી: PM આવાસ બહાર કોંગ્રેસનું ધરણું, રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની અટકાયત

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. કોંગ્રેસે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ સુધી વિરોધ માર્ચ કાઢી ધરણું શરૂ કર્યું હતું. આ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો અને પોલીસે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકાર વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપવાના બદલે વિરોધનો અવાજ દબાવી રહી છે, જ્યારે ભાજપે સમગ્ર ઘટનાને રાજકીય નાટક ગણાવી છે. દિલ્હી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય સાંસદોએ ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના આવાસ સુધી આશરે 7 કિલોમીટરની પદયાત્રા કાઢી હતી. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર…