જમ્મુ રેલવે ડિવિઝનની કડક કાર્યવાહી: ટિકિટ વગર મુસાફરી કરનારાઓ પાસેથી વસૂલ્યો ₹32 લાખથી વધુનો દંડ
તહેવારોની સિઝનમાં મુસાફરોની વધતી ભીડ વચ્ચે ભારતીય રેલ્વેના જમ્મુ રેલવે ડિવિઝને ટિકિટ વગર તથા અનિયમિત રીતે મુસાફરી કરનારાઓ સામે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી છે. માત્ર છેલ્લા 10 દિવસમાં 2,500થી વધુ મુસાફરો પાસેથી કુલ ₹32 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઝુંબેશનું નેતૃત્વ સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર ઉચિત સિંઘલ કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ જમ્મુ ડિવિઝનના તમામ રેલવે સ્ટેશનો પર વિશેષ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશનો હેતુ ગેરકાયદેસર મુસાફરી રોકીને રેલવેની આવકમાં વધારો કરવાનો અને નિયમિત મુસાફરોને સુવિધાજનક સફર પૂરી પાડવાનો છે. તહેવારોના દિવસોમાં દૈનિક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવતું હતું, જેમાં અસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર મનોજ મીણા અને ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અબ્દુલ રશીદ સહિતના અધિકારીઓની ટીમે ટ્રેનો (અપ અને ડાઉન બંને) અને વિવિધ…
ભાવનગર જિલ્લામાં વરસાદને લઈ યેલો એલર્ટ, બંદરો પર લગાવાયું નંબર 3નું સિગ્નલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી બાદ ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે કમોસમી માવઠું વરસતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. માહિતી મુજબ, મહુવા તાલુકામાં હોસ્પિટલ માર્ગ સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે. કમોસમી વરસાદના કારણે કપાસ, સીંગ, સોયાબીન અને ઘાસચારો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરના જેસર, બીલા, ઉગલવાણ અને કાત્રોડી ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ઘણા વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાક પલળી જવાથી ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા જોવા મળી રહી છે. તે ઉપરાંત, ઘોઘાના દરિયા વિસ્તારમાં કરંટ (Sea Current) જોવા મળતાં તમામ બંદરો પર નંબર 3નું સિગ્નલ…
ઑસ્ટ્રેલિયા જવા નીકળેલા ગુજરાતના 4 લોકોનું ઈરાનમાં અપહરણ, 2 કરોડ રૂપિયાની ખંડણી માંગ
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાંથી વિદેશ જવાના સપના સાથે નીકળેલા ચાર ગુજરાતીઓ ઈરાનમાં અપહરણનો ભોગ બન્યા છે. અપહરણકર્તાઓએ પરિવારજનોને વીડિયો કોલ કરીને રૂ. 2 કરોડની ખંડણી માંગ કરી છે. માહિતી મુજબ, માણસાના બાપુપુરા અને બદપુરા ગામના અજયકુમાર ચૌધરી, અનિલકુમાર ચૌધરી, નિખિલકુમાર ચૌધરી અને પ્રિયાબેન ચૌધરી 19 ઓક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા. સૌપ્રથમ તેમને અમદાવાદથી દિલ્હી લઈ જવામાં આવ્યા અને ત્યાંથી અમિરેટ્સ એરલાઈન દ્વારા બેંગકોક થઈને ઈરાનના તહેરાન પહોંચાડવામાં આવ્યા. તહેરાન પહોંચ્યા બાદ ચારેય લોકોને અજાણ્યા લોકો દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે. અપહરણકર્તા, જે પોતાને “બાબા” તરીકે ઓળખાવે છે, તેણે પરિવારજનોને વીડિયો કોલ કરીને ખંડણીની માંગ કરી છે. પરિવારજનોને મોકલેલા વીડિયોમાં ચારેય જણને નગ્ન કરીને જમીન પર ઊંધા સૂવડાવવામાં આવ્યા છે, હાથ પાછળ બાંધેલા છે અને…
4.00 PM 4 રિપોર્ટર LIVE | GROUND REPORT | GUJARATI NEWS BULETIN
ભાવનગર : મહુવામાં મધરાતથી અવિરત વરસાદ શહેરના વિસ્તારો પાણીમાં તરબોળ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત ગાંધી બાગ, વીટીનગર રોડ, ખોખરા પ્લોટ વિસ્તારો પાણી-પાણી ગાંધીજીનું બાવળું અને શાકમાર્કેટ વિસ્તારમાં ભરાયા પાણી મોનસૂન પૂર્વ તૈયારી અંગે તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો ગાંધી બાગ રોડ, શાકમાર્કેટ, વીટી નગર રોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાયા નેસવડ, નાના-મોટા જાદરા, દૂધેરી અને ડોળીયા ગામોમાં સતત વરસાદ કપાસ, મગફળી અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ દિલીપ ગળથરીયા_સંવાદદાતા મહુવામાં ધોધમાર વરસાદથી માલણ ડેમ ઓવરફ્લો માલ નદી બે કાંઠે વહેતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખોરાક અને સામાનનું નુકસાન ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ મહુવા પંથકમાં 11 ઇંચ વરસાદથી ખેતરો અને ગામો બન્યા પાણીમાં તરબતર સિહોર તાલુકામાં કોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા…
બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું | GUJARATI NEWS BULLETIN
બાળકો બાદ વડીલોમાં ટેકનોલોજીનું વ્યસન વધ્યું ડિજિટલ દુનિયામાં ખોવાતા વડીલોના સ્વાસ્થ્યને અસર સોશિયલ મીડિયા અને ગેમિંગમાંવડીલોની વધતી રૂચી વડીલોમાં ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિ ઘટી વડીલોની ઓનલાઇન પ્રવૃત્તિ પર જણાઈ દેખરેખની જરૂર છેલ્લા દાયકામાં વડીલોમાં ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ 60% સુધી વધ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અમેરિકા દ્વારા ભારતીય વિદેશ નીતિની પ્રશંસા, પાકિસ્તાન સાથેના સંબંધો પણ ટાંક્યા
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજેતરમાં જણાવ્યું છે કે વોશિંગ્ટન અને પાકિસ્તાન વચ્ચે વધતી જતી નિકટતા ભારત સાથેની અમેરિકાની મજબૂત ભાગીદારી પર અસર કરશો નહીં. રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકાનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સાથેના સંબંધોને માત્ર આતંકવાદ વિરોધી સહયોગ પૂરતો મર્યાદિત રાખવાનો નથી, પરંતુ આર્થિક અને વ્યૂહાત્મક સ્તરે ભાગીદારીને વિસ્તૃત કરવા માટે પણ કાર્યરત છે. પ્રેસ સમક્ષ રુબિયોએ જણાવ્યું, “ભારત સાથેના અમારા સંબંધો ઊંડા, ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ છે. પાકિસ્તાન સાથેની અમારી ચર્ચાઓ ભારતના ખર્ચે નથી.” તેમણે ઉમેર્યું કે અમેરિકા એક વ્યવહારિક વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે એકસાથે અનેક દેશો સાથે મજબૂત સંબંધો જાળવવા માટે કાર્ય કરે છે. અમેરિકા-પાકિસ્તાન વ્યૂહાત્મક જોડાણ યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે જણાવ્યું કે યુએસ પાકિસ્તાન સાથે નવું વ્યૂહાત્મક જોડાણ બનાવવા માંગે છે.…
Uttar Pradesh: સહારનપુરમાં ફેક્ટરીમાં થયો ભયંકર બ્લાસ્ટ, 2 ના મોત 5 ઘાયલ
શેખપુરા કદીમ નજીક ટાયર ઓઇલ કાઢવાની ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટ સર્જાતા એક ભયંકર અકસ્માત બન્યો, જેમાં બે કામદારોના દુઃખદ મોત થયા અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, ફેક્ટરીમાં ટાયરથી તેલ કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે બોઈલરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે નજીકના લોકો પણ ડરી ગયા અને ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ. આગના કારણે કર્મચારીઓમાં ભારે ભયનો માહોલ સર્જાયો અને જાનહાનિ થઇ. બચાવ કામગીરી અને મૃતકની ઓળખ જાણી મળતાં જ, શહેરના પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો. બચાવ કામગીરી ખૂબ…
















