કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા- 2025નું આયોજન થઇ શકશે નહીં, જાણો વિગત

ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા- 2025 મોકૂફ રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કિચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે. આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે, લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે. આ સ્થિતિનું આજે મહંત ઇન્દ્રભારતી બાપુ, મહેશ ગીરીબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ઉતારા- અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરીયા સહિતના પ્રતિનિધિઓ , કલેકટર સહિતના…

મોરબીનાં આ ધારાસભ્યએ સરકાર સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી સહાય આપવા કરી રજુઆત

ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લબજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિતનાને પત્ર લખી ખેડૂતોને પડેલ નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સરકારને પત્ર લખી રજૂઆતમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર મોરબી ટંકારા પડધરી રાજકોટ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ ગયા છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ નુકસાન થયેલ છે. કમોસમી વરસાદને કારણે મોટાભાગના ખેડૂતોના પાક નિષ્ફળ ગયેલ હોવાથી ખૂબ જ નુકસાન થયેલ છે. જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું મોટાભાગે વાવેતર થયેલ હોય કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇ મારા મતવિસ્તારમાં સત્વરે નુકસાનનું સર્વે કરાવી ખેડૂતોને સહાય પેટે વળતર આપવા ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,…

ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલે મેળવી અનોખી સિદ્ધિ, એક માસમાં 400થી વધુ સફળ ડિલિવરી

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકો આજે આરોગ્યસેવામાં નવો માપદંડ સ્થાપિત કરી રહ્યો છે. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ હવે માત્ર એક હોસ્પિટલ નથી, પરંતુ માતૃત્વસુરક્ષા અને માનવતા માટેનું પ્રતિક બની ચૂકી છે. જેમાં રાજસ્થાનના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીના પરિવારે પણ હોસ્પિટલની સુવિધાનો લાભ લઈ સંતોષ વ્યક્ત કર્યો હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તથા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ ગઢવીના દૃઢ નેતૃત્વ હેઠળ અહીં સતત ઉચ્ચ ગુણવત્તાની સેવા આપવામાં આવી રહી છે. તેમની ટીમની નિષ્ઠા, સેવા અને કાર્યદક્ષતાના કારણે ન માત્ર ખેડબ્રહ્મા તાલુકાના પરંતુ પાડોશી રાજસ્થાન રાજ્યના અનેક મહિલા દર્દીઓ માટે પણ આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. ડૉ. અશ્વિનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે,“અહીં દર મહિને સરેરાશ ૩૫૦ જેટલી ડિલિવરી કરવામાં આવે છે, પરંતુ આ મહિનામાં 400થી વધુ ડિલિવરી કરીને અમારી ટીમે નવી સિદ્ધિ હાંસલ કરી…

પંચાંગ /31 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી નવમી (નોમ) 10:05 AM નક્ષત્ર ધનિષ્ઠા 06:51 PM કરણ : કૌલવ 10:05 AM તૈતુલ 10:05 AM પક્ષ શુક્લ યોગ વૃદ્ધિ +04:31 AM દિવસ શુક્રવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 06:31 AM ચંદ્રોદય 02:16 PM ચંદ્ર રાશિ મકર સૂર્યાસ્ત 05:37 PM ચંદ્રાસ્ત +01:41 AM ઋતું હેમંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…

જસપ્રીત બુમરાહ પાસે ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક, ચાર વિકેટ લેતા જ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે ચાહકો નિરાશ થયા હતા. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ તે મેચમાં સારા ફોર્મમાં હતા. જોકે, બંને ટીમો વચ્ચેની બીજી T20 મેચ 31 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં એક મોટી સિધ્ધી હાંસલ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ચાર વિકેટ લીધા બાદ જસપ્રીત બુમરાહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 વિકેટ પૂર્ણ કરશે, જે આવું કરનાર માત્ર બીજો ભારતીય બનશે. અર્શદીપ સિંહ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 101 વિકેટ લઈ ચૂક્યો છે. 2024 ના T20 વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું જસપ્રીત બુમરાહે 2016 માં ભારતીય ટીમ માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારથી…

અંડરવર્લ્ડ કનેક્શનને લઈ મમતા કુલકર્ણીનું મોટું નિવેદન, દાઉદ ઈબ્રાહીમને લઈ જાણો શું કહ્યું

90ના દાયકાની અભિનેત્રી મમતા કુલકર્ણી ઘણા વર્ષો પછી ચર્ચામાં આવી છે. આ વર્ષની શરૂઆતમાં, તે કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની હતી. જોકે, તેમની નિમણૂકથી વિવાદ થયો હતો, જેના કારણે તેમને અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, મમતા કિન્નર સમુદાય સાથે સંકળાયેલી રહી. હવે, અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે અને વાયરલ થઈ રહ્યો છે. મમતા પોતાના સમયની સૌથી મોટી અભિનેત્રીઓમાંની એક હતી. જોકે, જ્યારે અંડરવર્લ્ડ સાથેના તેના સંબંધોની અફવાઓ ફેલાઈ ત્યારે તેની કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ. કોઈને ખબર નહોતી કે આમાં કેટલું સત્ય છે. હવે, ઘણા વર્ષો પછી, મમતાએ અંડરવર્લ્ડ સાથેના તેના કનેકશનને લઈ એક નિવેદન બહાર પાડ્યું છે. તેણે દાઉદ ઇબ્રાહિમ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં મમતા કુલકર્ણી…

પરિમલ નથવાણીએ તેમની ગીર સિંહ સફારીની મુલાકાતના વિવાદ પર તોડ્યું મૌન, જાણો શું કહ્યું

રાજ્યસભાના સાંસદ અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના ગણાતા પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદને લઈને પોતાનું મૌન તોડ્યું છે. નથવાણીએ જણાવ્યું હતું કે તેમણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સાસન ગીર સિંહ સફારીની મુલાકાત માટે તમામ જરૂરી પરવાનગીઓ મેળવી લીધી હતી. આ નિવેદન એક વીડિયો વાયરલ થયા બાદ આવ્યું છે જેમાં તેઓ સિંહો વચ્ચે સિંહોનું ફિલ્માંકન કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કરીને ટિપ્પણી કરી હતી કે કદાચ હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ માટે કાયદા અને નિયમો અલગ હોય છે. પ્રભાવશાળી વ્યક્તિ પરિમલ નથવાણીએ પોતાની ખાનગી કારમાં સાસન ગીરની યાત્રા કરી હતી. સોશિયલ મીડિયાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું નથવાણીએ વન વિભાગ અને ગુજરાત સરકાર પાસેથી પરવાનગી લીધી હતી. નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર અને…

સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ભારતમાં લોન્ચ માટે તૈયાર, આજથી ટ્રાયલ શરૂ

એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં ભારતમાં તેની સેટેલાઇટ સેવા શરૂ કરી શકે છે. એલોન મસ્કની કંપની કોમર્શિયલ લોન્ચ માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગની મંજૂરીની રાહ જોઈ રહી છે. સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં સત્તાવાર રીતે પોતાની હાજરી સ્થાપિત કરી છે. કંપનીએ આગામી 5 વર્ષ માટે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં ઓફિસ સ્પેસ ભાડે લીધી છે. કંપની ભારતના 9 શહેરોમાં તેના બેઝ સ્ટેશન બનાવશે, જેમાં મુંબઈ, દિલ્હીને અડીને આવેલા શહેરો જેમ કે નોઇડા, ચંદીગઢ, કોલકાતાનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, એલોન મસ્કની કંપનીએ મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં 1,294 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ₹2.33 કરોડના પાંચ વર્ષના લીઝ પર લીધી છે. આ ભારતમાં સ્ટારલિંકની પ્રથમ સત્તાવાર હાજરી છે. વધુમાં,…

GST મુક્તિ બાદ હેલ્થ ઇન્શ્યોરન્સની માંગમાં 38%નો વધારો, જાણો શું કહે છે ડેટા

આરોગ્ય વીમા યોજનાઓ પર GST દૂર કરવાના પગલાથી માંગમાં તીવ્ર વધારો થયો છે. પોલિસીબજારના અહેવાલ મુજબ, ઉચ્ચ આરોગ્ય વીમા કવરેજની માંગમાં એકંદરે 38 ટકાનો વધારો થયો છે. તેમાં જણાવાયું છે કે લોકો તબીબી કટોકટી સામે નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે. વીમા કવરેજની સાથે, વધારાના આરોગ્ય લાભોની માંગ પણ વધી છે. કેન્દ્ર સરકારે GST સુધારાના ભાગ રૂપે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર GST મુક્તિની જાહેરાત કરી હતી. આ નવો નિયમ 22 સપ્ટેમ્બર, 2025 થી અમલમાં આવ્યો છે. આ મુક્તિનો હેતુ ગ્રાહકો માટે આરોગ્ય અને જીવન વીમા પૉલિસીઓને વધુ સસ્તું બનાવવાનો છે, કારણ કે તેમને હવે વીમા પ્રીમિયમ પર GST ચૂકવવો પડશે નહીં. સરેરાશ વીમા કવરમાં થયો વધારો અહેવાલ મુજબ, સરેરાશ આરોગ્ય વીમા કવર ₹1.3 મિલિયનથી…

Microsoftના CEO સત્યા નડેલા ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, AI કોન્ફરન્સમાં આપશે હાજરી

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ના વધતા પ્રભાવ અંગે ચર્ચા કરવા અને ટેકનોલોજી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાતે આવવાના છે. એક મીડિયાએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે નડેલા ડિસેમ્બરમાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેશે, જ્યાં તેઓ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નેતાઓ અને કંપનીના કર્મચારીઓને મળશે. નડેલા તેમની મુલાકાત દરમિયાન AI-સંબંધિત અનેક મહત્વપૂર્ણ પરિષદોને સંબોધિત કરશે. કંપનીએ હજુ સુધી તેમની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ આ મુલાકાત માઇક્રોસોફ્ટ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-અમેરિકા સંબંધો એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે. બંને દેશો તાજેતરના મતભેદોને બાજુ પર રાખીને ટેકનોલોજી ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરમિયાન, ભારત સરકાર “મેક ઇન…