વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત: પીગળેલા સ્ટીલની લીકેજથી 8 મજૂરોના મોત
વિશાખાપટ્ટનમ: આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં થયેલા ભયાનક ઔદ્યોગિક અકસ્માતમાં 8 મજૂરોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે અનેક કામદારો ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સ્ટીલ પ્લાન્ટના SMS-2 અને STC-3 હીટ ફેસિલિટી વિસ્તારમાં લગભગ 1600 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળેલા સ્ટીલથી ભરેલો લાડલ (Ladle) અચાનક ફાટી જતાં મોટી માત્રામાં પીગળેલું સ્ટીલ બહાર વહી ગયું હતું. અત્યંત ઊંચા તાપમાને રહેલા સ્ટીલના સંપર્કમાં આવતા અનેક કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. અકસ્માત બાદ પ્લાન્ટ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કામદારો પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્ટીલ પ્લાન્ટની ઇમરજન્સી ટીમ અને ફાયર સેફ્ટી સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા…
અસામ અને ઉત્તર-પૂર્વ ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા
અસામ સહિત ઉત્તર-પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.7 નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આંચકા એટલા પ્રબળ હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી ખુલ્લી જગ્યાઓ પર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાની અસર માત્ર ભારત સુધી મર્યાદિત રહી નહોતી. પાડોશી દેશ ભૂતાનના અનેક વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠી હતી. ખાસ કરીને થિમ્ફુમાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય ભૂકંપ બાદ આફ્ટરશોક્સની આશંકાને કારણે મોટી સંખ્યામાં લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનોમાં એકત્ર થયા હતા. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના પ્રાથમિક અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ ભૂતાન વિસ્તારમાં જમીનની અંદર સ્થિત હતું. ઉત્તર-પૂર્વ ભારત અને ભૂતાનનો વિસ્તાર ભૂકંપીય દ્રષ્ટિએ અત્યંત…
મરાઠા સમુદાય માટે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, OBC જેવી અનેક યોજનાઓનો મળશે લાભ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠા સમુદાયના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકાર દ્વારા મરાઠા સમુદાયને OBC સમુદાયને મળતી કેટલીક કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓના લાભ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મરાઠા સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ, તાલીમ અને આર્થિક સહાય સંબંધિત અનેક લાભો મળી શકશે. 10મા ધોરણ પછી મળશે શિષ્યવૃત્તિ સરકારના નિર્ણય મુજબ 10મું ધોરણ પાસ કર્યા બાદ ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુક મરાઠા સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો હેતુ ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવાનો છે. ડ્રાઈવર અને કંડક્ટર તાલીમનો લાભ મરાઠા સમાજના યુવાનોને સરકારી પરિવહન સેવાઓમાં રોજગારીની તકો વધારવા માટે ડ્રાઈવર અને કંડક્ટર તાલીમ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે. તાલીમ દરમિયાન જરૂરી…
અંદમાનના દરિયામાં મળ્યો કુદરતી ગેસનો મોટો ભંડાર, ભારતની ઉર્જા સુરક્ષાને મળશે નવી તાકાત
ભારત માટે ઉર્જા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. સરકારી કંપની Oil India Limited (OIL)ને અંદમાનના દરિયાઈ વિસ્તારમાં કુદરતી ગેસની વધુ એક મોટી શોધ મળી છે. કંપની દ્વારા ખોદવામાં આવેલા નવા કૂવામાં ગેસની હાજરીની પુષ્ટિ થતાં દેશના સ્થાનિક ગેસ ઉત્પાદનને પ્રોત્સાહન મળશે અને ભવિષ્યમાં આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે. અંદમાનના દરિયામાં બીજી મોટી સફળતા ઓઈલ ઈન્ડિયાએ જાહેર કરેલી માહિતી અનુસાર અંદમાનના છીછરા દરિયાઈ વિસ્તારમાં ખોદવામાં આવેલા ‘વિજયપુરમ-3’ કૂવામાં કુદરતી ગેસ મળી આવ્યો છે. આ બ્લોકમાં ગેસ અને હાઇડ્રોકાર્બનની હાજરી દર્શાવતો આ બીજો સફળ કૂવો છે. કંપનીનું માનવું છે કે આ વિસ્તાર ભવિષ્યમાં ભારત માટે એક મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્ર બની શકે છે. અંદમાન કિનારાથી 15 કિમી દૂર મળી સફળતા ‘વિજયપુરમ-3’ કૂવો અંદમાન દ્વીપસમૂહના…
કૂચબિહાર બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ તાત્કાલિક કાર્યવાહી કરી સ્થિતિ કાબૂમાં લીધી
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી એકવાર સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહાર જિલ્લાના મેખલીગંજ વિસ્તારમાં કેટલાક બાંગ્લાદેશી નાગરિકોએ ભારતીય સરહદ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે સ્થાનિક લોકોની સતર્કતા અને Border Security Force (BSF)ની તાત્કાલિક કાર્યવાહીના કારણે સ્થિતિ પર ઝડપથી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું. ઝિરો પોઈન્ટ નજીક ભીડ એકત્ર થતાં ચિંતા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના લાલમોનિરહાટ જિલ્લો નજીક આવેલા સરહદી વિસ્તારમાં શુક્રવારે સવારે ઝિરો પોઈન્ટ પાસે કેટલાક લોકો એકત્ર થવા લાગ્યા હતા. સમય જતાં તેમની સંખ્યા વધી જતાં સરહદી વિસ્તારના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરતા BSF દ્વારા વિસ્તારમાં વધારાની તૈનાતી કરવામાં આવી હતી. BSFએ સંભાળ્યો મોરચો માહિતી મળતાની સાથે જ…
ડિજિટલ ક્રાંતિ વચ્ચે ATM પર સંકટ! રોકડની અછતથી દેશભરમાં ‘નો કેશ’ની સ્થિતિ સર્જાવાનો ખતરો
ભારતમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે, પરંતુ બીજી તરફ ATM ઉદ્યોગ એક ગંભીર પડકારનો સામનો કરી રહ્યો છે. દેશભરના ATMમાં રોકડની અછત સર્જાતા આગામી સમયમાં ગ્રાહકોને કેશ ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ATM ઓપરેટર્સનું કહેવું છે કે બેંકો તરફથી પૂરતી રોકડ ઉપલબ્ધ ન થવાને કારણે ATM સેવાઓ પર સીધી અસર પડી રહી છે. માર્ચ અને એપ્રિલમાં રોકડની ભારે ખાધ ATM ઉદ્યોગના સંગઠન Confederation of ATM Industry (CATMi) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માર્ચ અને એપ્રિલ મહિનામાં ATM માટે જરૂરી રોકડ અને વાસ્તવિક ઉપલબ્ધતામાં મોટું અંતર જોવા મળ્યું છે. – માર્ચ અને એપ્રિલ દરમિયાન ATM માટે કુલ અંદાજિત જરૂરિયાત: ₹94,000 કરોડ – માર્ચમાં ઉપલબ્ધ રોકડ: ₹61,000 કરોડ – એપ્રિલમાં ઉપલબ્ધ રોકડ: ₹54,000 કરોડ…
સીમાંકન બિલ 2.0 લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, વિપક્ષી પક્ષો સાથે વધારી સંપર્ક સાધના
લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત પ્રસ્તાવને પૂરતું સમર્થન ન મળ્યા બાદ કેન્દ્ર સરકાર ફરી એકવાર સીમાંકન બિલ લાવવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. સંસદના આગામી ચોમાસુ સત્ર પહેલાં સરકાર પ્રાદેશિક અને વિપક્ષી પક્ષો સાથે સહમતિ સાધવા માટે સક્રિય બની છે. મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્ર સરકારે ખાસ કરીને DMK અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) જેવા મહત્વના વિરોધ પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી સીમાંકન મુદ્દે વ્યાપક રાજકીય સમર્થન મેળવી શકાય. TMC અને DMK પર સરકારની નજર સૂત્રોના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના કેટલાક સાંસદોએ સરકારના અભિગમ પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવ્યું છે અને તેઓ સીમાંકન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ, DMK, જેણે અગાઉ સીમાંકન પ્રક્રિયા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી,…
હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના નાગરિકમાં ઈબોલાના લક્ષણો, આઈસોલેશન સેન્ટરમાં ખસેડાયો
હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગુરુવારે સુદાનના એક નાગરિકમાં ઈબોલા જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગમાં સતર્કતા વધારવામાં આવી છે. મુસાફરની તાજેતરની મુસાફરીનો ઇતિહાસ તપાસતા તે ઈબોલા પ્રભાવિત દેશોમાં ગયો હોવાનું સામે આવતા તેને તાત્કાલિક આઈસોલેશન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંબંધિત મુસાફરે તાજેતરમાં દક્ષિણ સુદાન અને યુગાન્ડાની મુલાકાત લીધી હતી. એરપોર્ટ પર કાર્યરત હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ખાસ સ્ક્રીનિંગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગંભીર ચેપી રોગોના સંભવિત લક્ષણોની તપાસ કરવામાં આવે છે. હાલ શંકાસ્પદ કેસ, પુષ્ટિ બાકી આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હાલ આ કેસને ઈબોલાનો પુષ્ટિ થયેલો કેસ ગણવામાં આવ્યો નથી. મુસાફરમાં જોવા મળેલા લક્ષણોને આધારે માત્ર સાવચેતીના ભાગરૂપે તેને શંકાસ્પદ કેસ તરીકે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.…
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યા 4 ઉમેદવાર, રાજ્યસભામાં પણ અપનાવી ‘નો રિપીટ થિયરી’
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની ચાર બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’ અપનાવીને નવા ચહેરાઓને તક આપી છે. ભાજપે રાજ્યસભા માટે રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના નામ જાહેર કર્યા છે. નોંધનીય છે કે રાજ્યસભાના સાંસદ પદેથી નિવૃત થઈ રહેલા ત્રણ વર્તમાન સભ્યોને ફરી તક આપવામાં આવી નથી. ભાજપના ઉમેદવારો કોણ? મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારના રહેવાસી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. તેઓ હાલમાં ભાજપના મહામંત્રી તરીકે કાર્યરત છે તેમજ અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. જીતેન્દ્ર કણઝારિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના…
એક દિવસનો પ્રવાસ અને ૫૬ મેગા પ્રોજેક્ટ્સ! નમો એરપોર્ટથી લઈને આઇકોનિક બ્રિજ સુધી…
PM મોદી 5 જૂને દમણની ઐતિહાસિક મુલાકાતે: ₹૨,૯૭૦ કરોડના ૫૬ મેગા પ્રોજેક્ટ્સ સાથે ‘નવા ભારત’નો ઉદય! દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ઈતિહાસમાં ૫ જૂન ૨૦૨૬ (શુક્રવાર)નો દિવસ સુવર્ણ અક્ષરે લખાવા જઈ રહ્યો છે. “નવું ભારત” થીમ પર આયોજિત એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક દિવસીય દમણની મુલાકાતે આવી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પીએમ મોદીની આ પ્રદેશની આ આઠમી મુલાકાત છે, જે દર્શાવે છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ પ્રત્યે વડાપ્રધાનનો કેટલો વિશેષ પ્રેમ અને વિકાસ માટેની કટિબદ્ધતા છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી નાની દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાળ અને ઐતિહાસિક જનમેદનીને સંબોધિત કરશે અને પ્રદેશને કુલ ₹૨,૯૭૦ કરોડના ૫૬ વિકાસ…
















