અમિત શાહનું મોટું નિવેદન : 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત કરવાની સરકારની ઐતિહાસિક યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદ સામેની લડાઈને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો સંપૂર્ણ અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આમ, વર્ષોથી દેશના અંદરૂની સુરક્ષા માટે પડકારરૂપ રહેલા નક્સલવાદના અંતની ઘોષણા સાથે સરકાર હવે આખરી તબક્કાની તૈયારીમાં છે. છત્તીસગઢમાં નક્સલીઓની ધરપકડ અને શરણાગતિ છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં CRPFની કોબ્રા બટાલિયન અને રાજ્ય પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 22 નક્સલીઓને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. બીજું મહત્વનું સફળ પગલું છે સુકમા જિલ્લાના બડેસટ્ટી પંચાયતમાં 11 નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી છે. શરણાગતિ બાદ આ વિસ્તારોને “નક્સલ મુક્ત” જાહેર કરવામાં આવ્યા છે, જે સરકાર માટે એક મોટું…

Rajkot: પદ્મીનીબા વાળા ફરી આવ્યા વિવાદમાં, હનીટ્રેપ મામલે નોંધાયો ગોંડલમાં ગુનો

ક્ષત્રિય સમાજમાં પ્રવૃત્ત અને પોતાના આંદોલનકારી ભુમિકાને કારણે જાણીતી મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાઈ છે. તેમના અને તેમના પુત્ર સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપનો ગુનો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેજલ છૈયા નામની યુવતીએ ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને વીડિયો કોલ અને વોટ્સએપ મેસેજિંગ દ્વારા પ્રેમજાળમાં ફસાવ્યા હોવાનો આરોપ છે. યુવતીએ અંગપ્રદર્શન કરતાં આ વૃદ્ધને મનોવૈજ્ઞાનિક જાળમાં ફસાવી પૈસાની માંગણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસમાં આરોપીઓએ વૃદ્ધના ઘરમાં જઈ ધાકધમકી આપી, અને જાણે પૂરતું ન હોય તેમ પદ્મિનીબા વાળાએ જણાવ્યા મુજબ, ફરિયાદી સામે રસ્તા પર કપડા કાઢી મારમારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે દાખલ કર્યો ગુનો: આ અંગે ફરિયાદીની રજૂઆતના આધારે ગોંડલ B…

જૂનાગઢમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત, મકાનમાલિક સારવાર હેઠળ

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ગેસ ગળતરની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભેંસાણ તાલુકાના રામપુર ગામે સેફ્ટી ટેંક સાફ કરી રહ્યાં હતાં ત્યારે ઝેરી ગેસના ગળતરથી બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં મકાનમાલિક પણ ઝેરી અસરથી બેફામ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્ર કુબાવતના ઘરની અંદર આવેલ સેફ્ટી ટેંક સાફ કરવા માટે બે શ્રમિકો ઉતર્યા હતાં. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું. પહેલા શ્રમિકને અસર થતા બીજો શ્રમિક તેની મદદ માટે ટેંકમાં ઉતર્યો, પરંતુ તે પણ બેફામ થઇ ગયો. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ ટેંકમાં ઊતરતા તે પણ બેફામ થયો. અજાણતાં ગેસના સંસર્ગમાં આવતા એક પછી એક ત્રણ લોકો બેફામ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા…

PBKS vs RCB: પંજાબ કિંગ્સની શાનદાર જીત! RCBને પાંચ વિકેટથી પરાજય આપ્યો

ભારતીય પ્રીમિયર લીગ 2025ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) પર દબદબાદાર જીત હાંસલ કરી છે. વરસાદને કારણે માત્ર 14-14 ઓવરની જ મેચ યોજાઈ, પરંતુ ટૂંકી ઇનિંગમાં પણ દ્રષ્ટિએ પંજાબે ઉત્તમ બેટિંગ અને બોલિંગથી પોતાનું પ્રદર્શન નોંધાવ્યું. વરસાદની ખલેલ – માત્ર 14 ઓવરની મેચ મેચની શરૂઆત મોડી થઈ કારણ કે મોસમ વરસાદી રહ્યો. બંને ટીમોને 14 ઓવરો આપવામાં આવ્યા. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી જે એકદમ યોગ્ય સાબિત થયું. RCB – 95/9 (14 ઓવરો) RCBના બેટ્સમેન પંજાબના બોલિંગ આક્રમણ સામે ટકી ન શક્યા. ધબડતી શરૂઆત બાદ ટીમે રન બનાવવા માટે સંઘર્ષ કર્યો. જોશ હેઝલવુડે – 3 વિકેટ ભુવનેશ્વર કુમાર – 2 વિકેટ પંજાબની ઇનિંગ (98/5 – 12.1 ઓવરમાં) શરુઆત નબળી રહી…

મહેસાણા: માતા અને દીકરીએ નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટુંકાવ્યું

મહેસાણામાં આજે હૃદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ પોતાની નાની દીકરી સાથે નર્મદા કેનાલમાં પડી જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક માતાનું નામ પ્રીતિકાબેન છે અને તેમની દીકરી પિનલ માત્ર ધોરણ 3માં ભણતી હતી. બંનેના મૃતદેહો નર્મદા કેનાલમાંથી મળી આવ્યા છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણાની આસપાસ બની છે, જ્યારે મૃતક પીડિતો મૂળ સાણંદ તાલુકાના મખીયાવ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ દરમિયાન કેનાલના કિનારેથી મૃતક મહિલાનો મોબાઈલ ફોન, એક થેલી અને એક ચિઠ્ઠી મળી આવી છે. ચિઠ્ઠીમાંથી મળેલી માહિતી અનુસાર, પ્રીતિકાબેન નટુ નામના વ્યક્તિ પાસેથી 30,000 રૂપિયાની રકમ લેવાની…

ગુજરાતમાં કોંગ્રેસ આપ સાથે નહીં કરે ગઠબંધન, શક્તિસિંહ ગોહિલે કરી મોટી જાહેરાત

ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. એક તરફ ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થવા રણનીતિ ઘડી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધીનું ફોકસ પણ ગુજરાત પર છે. આ દરમિયાન હવે ગુજરાતમાં આવનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી જેને પૂર્ણવિરામ આપ્યો છે. કોંગ્રેસ હવે કડી અને વિસાવદર બંને બેઠક પર ઉમેદવાર મેદાને ઉતારશે. વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન નહીં કરે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ગુજરાત ત્રીજો મોરચો સ્વીકારતું નહીં તેથી નિર્ણય લીધો છે. વિસાવદર અને કડીમાં ઉમેદવાર ઉતારીશું. કેન્દ્રમાં…

વકફ કાયદાના ગરમાયેલા રાજકારણ વચ્ચે દાઉદી બોહરા સમાજના લોકોએ કરી PM મોદી સાથે મુલાકાત, માન્યો આભાર

વકફ સુધારા કાયદાને લઈને દેશભરમાં રાજકારણ તેજ બન્યું છે. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમ સમુદાયના હિતમાં તેને જરૂરી ગણાવી રહી છે. ત્યારે કોંગ્રેસ અને મુસ્લિમ સંગઠનો સહિત ઘણા વિપક્ષી પક્ષો તેને મુસ્લિમો વિરુદ્ધ ગણાવી રહ્યા છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. જ્યાં હાલમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન, દાઉદી બોહરા સમુદાયના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. ગુરુવારે, દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સમુદાયની લાંબા સમયથી પડતર માંગ હતી. તેમણે વડાપ્રધાનના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ”ના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. PM મોદીએ કાયદાની પૃષ્ઠભૂમિ જણાવી આ…

પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને કાશ્મીર મામલે ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા કાશ્મીર અને બે રાષ્ટ્ર સિદ્ધાંત અંગે આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને તેને કોઈપણ કિંમતે ખાલી કરવું પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કાશ્મીર ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. તેમણે જનરલ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પરના નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે આ સિદ્ધાંત 1971 માં બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે સમાપ્ત થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગમે તેટલા નિવેદનો આપે, તે વાસ્તવિકતા બદલી શકતું નથી કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને હંમેશા રહેશે. મુનિરે શું કહ્યું હતું જનરલ અસીમ…

અંક જ્યોતિષ/18 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

રાશિફળ/18 એપ્રિલ 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. ઘર ના જરૂરી સમાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આના થી તમે ભવિષ્ય ની ઘણી પરેશાનીઓ થી બચી જશો. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. તમારા પ્રેમી કે પ્રેમિકા…